Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

દાહોદ જિલ્લાના ફતેપુરાની દીકરી ધ્રુવી પ્રજાપતિએ ધોરણ-10માં 96.94 PR સાથે શાનદાર સફળતા મેળવી પ્રજાપતિ સમાજનું નામ ગૌરવથી ઉજ્જવળ કર્યું

ફતેપુરાની ધ્રુવીબેન પ્રજાપતિએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી છે. દાહોદ જિલ્લાના ફતેપુરા સ્થિત કોમલ વિદ્યાલયની આ વિદ્યાર્થીનીએ 600માંથી 551 ગુણ મેળવી 96.94 પર્સેન્ટાઈલ રેન્ક (PR) સાથે A1 ગ્રેડ હાંસલ કર્યો છે. આ સિદ્ધિથી તેણે પ્રજાપતિ સમાજ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
પરિણામ જાહેર થતાં જ ધ્રુવીબેનના પરિવાર, શાળા અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ સિદ્ધિ બદલ પરિવારજનોએ મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડીને આનંદભેર ઉજવણી કરી હતી, જેનાથી ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
ધ્રુવીબેનની આ સફળતા પાછળ તેની સતત મહેનત, આત્મવિશ્વાસ અને પરિવારનો અતૂટ સહયોગ રહ્યો છે. તેના પિતા વિનોદભાઈ પ્રજાપતિ અને માતા ગાયત્રીબેન પ્રજાપતિએ દીકરીના અભ્યાસ માટે હંમેશા પ્રોત્સાહન અને હકારાત્મક વાતાવરણ પૂરું પાડ્યું હતું. સાથે દાદા- દાદીના આશીર્વાદ અને માર્ગદર્શન પણ તેની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયા છે.
ધ્રુવીબેને પોતાની સફળતા અંગે જણાવ્યું હતું કે તેનું સપનું ભવિષ્યમાં MBBS ડોક્ટર બની સમાજ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનું છે. ફતેપુરા જેવા સરહદી વિસ્તારની વિદ્યાર્થીનીએ મેળવેલી આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
આ પરિણામ સાબિત કરે છે કે મક્કમ ઈચ્છાશક્તિ, યોગ્ય માર્ગદર્શન અને સતત મહેનત દ્વારા કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

સંબંધિત પોસ્ટ

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

દાહોદના વિકાસના શિલ્પી બચુભાઈ ખાબડની મધુર વાણીથી વિરોધીઓના ષડયંત્રો અને સત્તાના સપનાઓ ચકનાચૂર

Panchayat Samachar24

કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાય: વેક્સિનના બંને ડોઝ લેનારા સંજીવભાઇએ કોરોના સંક્રમિત માતાની સેવા કરી પરંતુ કોરોના સ્પર્શયો પણ નહી

Panchayat Samachar24

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર: કેનેડિયન ગાયક શુભનીતસિંહનો “બુક માય શો” દ્વારા રદ કરવામાં આવ્યો

Panchayat Samachar24

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

Panchayat Samachar24