Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

દાહોદ જિલ્લાના ફતેપુરાની દીકરી ધ્રુવી પ્રજાપતિએ ધોરણ-10માં 96.94 PR સાથે શાનદાર સફળતા મેળવી પ્રજાપતિ સમાજનું નામ ગૌરવથી ઉજ્જવળ કર્યું

ફતેપુરાની ધ્રુવીબેન પ્રજાપતિએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી છે. દાહોદ જિલ્લાના ફતેપુરા સ્થિત કોમલ વિદ્યાલયની આ વિદ્યાર્થીનીએ 600માંથી 551 ગુણ મેળવી 96.94 પર્સેન્ટાઈલ રેન્ક (PR) સાથે A1 ગ્રેડ હાંસલ કર્યો છે. આ સિદ્ધિથી તેણે પ્રજાપતિ સમાજ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
પરિણામ જાહેર થતાં જ ધ્રુવીબેનના પરિવાર, શાળા અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ સિદ્ધિ બદલ પરિવારજનોએ મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડીને આનંદભેર ઉજવણી કરી હતી, જેનાથી ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
ધ્રુવીબેનની આ સફળતા પાછળ તેની સતત મહેનત, આત્મવિશ્વાસ અને પરિવારનો અતૂટ સહયોગ રહ્યો છે. તેના પિતા વિનોદભાઈ પ્રજાપતિ અને માતા ગાયત્રીબેન પ્રજાપતિએ દીકરીના અભ્યાસ માટે હંમેશા પ્રોત્સાહન અને હકારાત્મક વાતાવરણ પૂરું પાડ્યું હતું. સાથે દાદા- દાદીના આશીર્વાદ અને માર્ગદર્શન પણ તેની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયા છે.
ધ્રુવીબેને પોતાની સફળતા અંગે જણાવ્યું હતું કે તેનું સપનું ભવિષ્યમાં MBBS ડોક્ટર બની સમાજ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનું છે. ફતેપુરા જેવા સરહદી વિસ્તારની વિદ્યાર્થીનીએ મેળવેલી આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
આ પરિણામ સાબિત કરે છે કે મક્કમ ઈચ્છાશક્તિ, યોગ્ય માર્ગદર્શન અને સતત મહેનત દ્વારા કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

Panchayat Samachar24