Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદહેલ્થ

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

  • આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમો દ્વારા સર્વેની કામગીરી શરુ કરાઈ
  • શંકાસ્પદ ડેન્ગ્યુ ના કેસો ધરાવતા વિસ્તારોમાં ફોગીંગ કરવામા આવ્યુ
  • Advertisement

ડેસ્ક પંચાયત સમાચાર24 તા.27

સીંગવડ ગામમાં મચ્છર જન્ય બીમારીના કેસોમાં દિન પ્રતિદિન વધારો નોંધાતા આરોગ્ય વિભાગ હરકત મા આવ્યુ હતુ, અને છેલ્લા બે દિવસથી સીંગવડ ગામમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓની ટીમો દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં સર્વેની કામગીરી શરુ કરવામા આવી હતી, સમગ્ર સીંગવડમાં ફોગીંગની કામગીરી શરુ કરવામા આવી છે, જેના કારણે મચ્છર જન્ય રોગચાળો વધુ વકરતા અટકાવવાના પ્રયાસો આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામા આવ્યા છે.
દાહોદ જિલ્લાના સીંગવડ ગામમા છેલ્લા કેટલાક દિવસ થી વરસાદી વાતાવરણ ને કારણે શરદી-ખાસી, વાયરલ તાવ ના કેસોમાં વધારો થતાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામા વધારો થયો હતો, જ્યારે વાયરલ તાવ સહીત ડેન્ગ્યુ ની બીમારીએ માથું ઉચકતા આજે સીંગવડ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતુ અને છેલ્લા બે દિવસથી સીંગવડ ગામમાં આરોગ્ય કેન્દ્રની ટીમોએ ધેર ધેર ફરી સર્વેની કામગીરી હાથ ધરી હતી, મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ને નાથવા સૌ પ્રથમ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અસરકારક કામગીરીને પ્રાથમિકતા આપી તાત્કાલિક કામગીરી શરુ કરી હતી, અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સીંગવડ ગામના ચુંદડી રોડ,પીપલોદ રોડ, નીચવાસ બજાર સહિત અનેક વિસ્તારોમા સર્વે સહીત ફોગીંગ ની કામગીરી શરુ કરાઈ હતી, સાથે નગરમા ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે પણ ખુબ જ જરુરી હોવાનુ લોકો માની રહ્યા છે.

સંબંધિત પોસ્ટ

કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાય: વેક્સિનના બંને ડોઝ લેનારા સંજીવભાઇએ કોરોના સંક્રમિત માતાની સેવા કરી પરંતુ કોરોના સ્પર્શયો પણ નહી

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24