Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદહેલ્થ

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

  • આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમો દ્વારા સર્વેની કામગીરી શરુ કરાઈ
  • શંકાસ્પદ ડેન્ગ્યુ ના કેસો ધરાવતા વિસ્તારોમાં ફોગીંગ કરવામા આવ્યુ
  • Advertisement

ડેસ્ક પંચાયત સમાચાર24 તા.27

સીંગવડ ગામમાં મચ્છર જન્ય બીમારીના કેસોમાં દિન પ્રતિદિન વધારો નોંધાતા આરોગ્ય વિભાગ હરકત મા આવ્યુ હતુ, અને છેલ્લા બે દિવસથી સીંગવડ ગામમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓની ટીમો દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં સર્વેની કામગીરી શરુ કરવામા આવી હતી, સમગ્ર સીંગવડમાં ફોગીંગની કામગીરી શરુ કરવામા આવી છે, જેના કારણે મચ્છર જન્ય રોગચાળો વધુ વકરતા અટકાવવાના પ્રયાસો આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામા આવ્યા છે.
દાહોદ જિલ્લાના સીંગવડ ગામમા છેલ્લા કેટલાક દિવસ થી વરસાદી વાતાવરણ ને કારણે શરદી-ખાસી, વાયરલ તાવ ના કેસોમાં વધારો થતાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામા વધારો થયો હતો, જ્યારે વાયરલ તાવ સહીત ડેન્ગ્યુ ની બીમારીએ માથું ઉચકતા આજે સીંગવડ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતુ અને છેલ્લા બે દિવસથી સીંગવડ ગામમાં આરોગ્ય કેન્દ્રની ટીમોએ ધેર ધેર ફરી સર્વેની કામગીરી હાથ ધરી હતી, મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ને નાથવા સૌ પ્રથમ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અસરકારક કામગીરીને પ્રાથમિકતા આપી તાત્કાલિક કામગીરી શરુ કરી હતી, અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સીંગવડ ગામના ચુંદડી રોડ,પીપલોદ રોડ, નીચવાસ બજાર સહિત અનેક વિસ્તારોમા સર્વે સહીત ફોગીંગ ની કામગીરી શરુ કરાઈ હતી, સાથે નગરમા ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે પણ ખુબ જ જરુરી હોવાનુ લોકો માની રહ્યા છે.

સંબંધિત પોસ્ટ

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24