Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારસીંગવડ

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

  • દોઢ વર્ષથી પહેરેલ કપડે પિતાને ઘરે આવ્યા છતાં ફરક નહી પડતાં અંતે પોલીસ સ્ટેશનમા રાવ
  • પતિ તથા સાસુ, સસરા અને બે કાકા સસરા અને એક કાકી સાસુ સહિત છ લોકો વિરૂદ્ધ ફરિયાદ
  • Advertisement
  • ઘરમાંથી નીકળી જા તને રાખવી નથી ઘરમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી શારીરિત માનસિક ત્રાસ આપતા હતા
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.12
સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરણિતાને શહેરા તાલુકાના પોરડા ગામના સાસરિયાઓ દ્રારા ઘરના કામકાજ મુદ્દે અને તને ઘરમાં રાખવી નથી ઘરમાં આવીશ તો મારી નાખવાની ધમકી આપતાં દોઢ વર્ષથી પિતાના ઘરે આવેલી યુવતીએ આખરે સાસરિયાઓ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.
સીંગવડ તાલુકાના ચૂંદડી ગામની 34 વર્ષિય રેખાબેન ગોરાંગકુમાર પટેલના લગ્ન તા.23 જુન’2020ના રોજ શહેરા તાલુકાના પોયાડા ગામે રહેતા અશ્વિન પટેલના પુત્ર ગોરાંગ સાથે થયા હતા. ત્યારે રેખાના પતિ ગૌરાંગ ગોધરાની સ્કૂલમાં નોકરી કરતાં બન્ને ગોધરા રહેતા હતા. લગ્નજીવન દરમિયાન પતિ ગૌરાંગે રેખાબેનને ત્રણ માસ જેવુ સારી રીતે રાખ્યા બાદ ગાળો બોલી તને રાખવી નથી તેમ કહી અવાર નવાર મ્હેણા ટોણા મારતો હતો. તેમજ ઘરનુ કામકાજ બરાબર કરતી નથી, ઘરમાંથી નીકળી જા તને રાખવી નથી ઘરમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી શારીરિત માનસિક ત્રાસ આપતો હતો, તેમજ સસરા અશ્વિન પટેલ, સાસુ મીનાબેન પટેલ, કાકા સસરા મુકેશ ચતુર પટેલ અને મહેશ ચતુર પટેલ તેમજ કાકી સાસુ કૈલાસ મહેશ પટેલ પણ અવાર નવાર મ્હેણા ટોણા મારી રેખાબેનના પતિ ગોરાંગને ચઢામણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. પરંતુ ઘર સંસાર બગડે નહી તે માટે રેખાબેન બધાનુ મુંગા મોઢે દુખ સહન કરતી હતી. સાસરિયાઓનો અસહ્ય ત્રાસ સહન કરવા છતા પતિ તથા સાસરિયાઓમાં કોઇ પણ જાતનો ફરક પડ્યો ન હતો. જેથી રેખાબેન પહેરેલ કપડે છેલ્લા દોઢેક વર્ષથી તેમના પિતાને ઘરે રહેવા આવી ગઇ હતી, દોઢ વર્ષનો સમય વિતવા છતા પતિ ગોરાંગકુમાર મા કોઇ પણ ફરક પડ્યો ન હતો. જેથી પોતાનો ઘર સંસાર ચાલે તેમ ન હોય રેખાબેને પતિ ગોરાંગકુમાર તથા સાસુ, સસરા અને બે કાકા સસરા અને એક કાકી સાસુ સહિત છ લોકો વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરણિતાની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું પાણી પુરુ પાડવાની યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો: અગાઉની યોજનાઓમાં બનાવેલ પાણીના ટાંકાઓ તથા સંપમાં વર્ષો બાદ પણ પાણી આવ્યુ નથી

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

Panchayat Samachar24