Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારસીંગવડ

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

  • દોઢ વર્ષથી પહેરેલ કપડે પિતાને ઘરે આવ્યા છતાં ફરક નહી પડતાં અંતે પોલીસ સ્ટેશનમા રાવ
  • પતિ તથા સાસુ, સસરા અને બે કાકા સસરા અને એક કાકી સાસુ સહિત છ લોકો વિરૂદ્ધ ફરિયાદ
  • Advertisement
  • ઘરમાંથી નીકળી જા તને રાખવી નથી ઘરમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી શારીરિત માનસિક ત્રાસ આપતા હતા
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.12
સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરણિતાને શહેરા તાલુકાના પોરડા ગામના સાસરિયાઓ દ્રારા ઘરના કામકાજ મુદ્દે અને તને ઘરમાં રાખવી નથી ઘરમાં આવીશ તો મારી નાખવાની ધમકી આપતાં દોઢ વર્ષથી પિતાના ઘરે આવેલી યુવતીએ આખરે સાસરિયાઓ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.
સીંગવડ તાલુકાના ચૂંદડી ગામની 34 વર્ષિય રેખાબેન ગોરાંગકુમાર પટેલના લગ્ન તા.23 જુન’2020ના રોજ શહેરા તાલુકાના પોયાડા ગામે રહેતા અશ્વિન પટેલના પુત્ર ગોરાંગ સાથે થયા હતા. ત્યારે રેખાના પતિ ગૌરાંગ ગોધરાની સ્કૂલમાં નોકરી કરતાં બન્ને ગોધરા રહેતા હતા. લગ્નજીવન દરમિયાન પતિ ગૌરાંગે રેખાબેનને ત્રણ માસ જેવુ સારી રીતે રાખ્યા બાદ ગાળો બોલી તને રાખવી નથી તેમ કહી અવાર નવાર મ્હેણા ટોણા મારતો હતો. તેમજ ઘરનુ કામકાજ બરાબર કરતી નથી, ઘરમાંથી નીકળી જા તને રાખવી નથી ઘરમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી શારીરિત માનસિક ત્રાસ આપતો હતો, તેમજ સસરા અશ્વિન પટેલ, સાસુ મીનાબેન પટેલ, કાકા સસરા મુકેશ ચતુર પટેલ અને મહેશ ચતુર પટેલ તેમજ કાકી સાસુ કૈલાસ મહેશ પટેલ પણ અવાર નવાર મ્હેણા ટોણા મારી રેખાબેનના પતિ ગોરાંગને ચઢામણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. પરંતુ ઘર સંસાર બગડે નહી તે માટે રેખાબેન બધાનુ મુંગા મોઢે દુખ સહન કરતી હતી. સાસરિયાઓનો અસહ્ય ત્રાસ સહન કરવા છતા પતિ તથા સાસરિયાઓમાં કોઇ પણ જાતનો ફરક પડ્યો ન હતો. જેથી રેખાબેન પહેરેલ કપડે છેલ્લા દોઢેક વર્ષથી તેમના પિતાને ઘરે રહેવા આવી ગઇ હતી, દોઢ વર્ષનો સમય વિતવા છતા પતિ ગોરાંગકુમાર મા કોઇ પણ ફરક પડ્યો ન હતો. જેથી પોતાનો ઘર સંસાર ચાલે તેમ ન હોય રેખાબેને પતિ ગોરાંગકુમાર તથા સાસુ, સસરા અને બે કાકા સસરા અને એક કાકી સાસુ સહિત છ લોકો વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરણિતાની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ભૂ-માફીયાઓ વિરુદ્ધ ની સરકારની મુહીમને ઘોળીને પી જતુ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર: ફતેપુરાની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર નહિ કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરતા નગરપાલીકાના પ્રમુખ રીના પંચાલ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24