Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

ભાજપ હાઈકમાન્ડ દાહોદ જિલ્લાને આપી શકે મોટી રાજકીય ભેટ, અનિલભાઈ શાહનું નામ રાજ્યસભા માટે સૌથી વધુ ચર્ચામાં, સોશિયલ મીડિયા પર સમર્થનમાં પોસ્ટરો વાયરલ

ગુજરાતના રાજકારણમાં આગામી રાજ્યસભાની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. રાજ્યસભાની ખાલી થનારી બેઠકોને લઈને વિવિધ રાજકીય સમીકરણો વચ્ચે હવે આદિવાસી બહુલ દાહોદ જિલ્લાનું નામ પણ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવવા લાગ્યું છે. ખાસ કરીને દાહોદ જિલ્લાના ભાજપ કાર્યકરો, સામાજિક આગેવાનો અને સામાન્ય જનતામાં એક જ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષોથી પક્ષ માટે કાર્યરત રહેલા અગ્રણી નેતા અનિલભાઈ શાહને રાજ્યસભાના સાંસદ તરીકે મોકલવામાં આવે.
તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પોસ્ટરો, સમર્થન સંદેશાઓ અને સ્થાનિક સ્તરે ઉઠી રહેલી માંગણીઓએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. “દાહોદની જનતાની લાગણી – અનિલભાઈ શાહ રાજ્યસભા સાંસદ બને” જેવા સંદેશાઓ સાથે ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં પણ હવે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
દાહોદ જિલ્લાને રાજ્યસભામાં પ્રતિનિધિત્વ મળે તેવી લાગણી
આઝાદીના 78 વર્ષ બાદ પણ દાહોદ જિલ્લાને રાજ્યસભામાં સીધું પ્રતિનિધિત્વ મળ્યું નથી. જેના કારણે સ્થાનિક લોકોમાં લાંબા સમયથી એક લાગણી રહી છે કે, આદિવાસી બહુલ અને રાજકીય રીતે મહત્વપૂર્ણ એવા દાહોદ જિલ્લાને પણ દેશના ઉચ્ચ સદનમાં સ્થાન મળવું જોઈએ.
સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકરોનું માનવું છે કે, જો આ વખતે ભાજપ હાઈકમાન્ડ દાહોદમાંથી કોઈ નેતાને રાજ્યસભામાં મોકલે તો તે જિલ્લાની રાજકીય ઓળખ માટે ઐતિહાસિક નિર્ણય સાબિત થઈ શકે છે. ખાસ કરીને અનિલભાઈ શાહનું નામ હાલ સૌથી વધુ ચર્ચામાં હોવાથી કાર્યકરોમાં આશા અને અપેક્ષા બંને વધી રહી છે.
અનિલભાઈ શાહનું પક્ષ પ્રત્યે લાંબા સમયથી યોગદાન
અનિલભાઈ શાહ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. ભાજપના સંગઠનને તાલુકા અને પંચાયત સ્તરથી લઈને જિલ્લા અને રાજ્ય સ્તર સુધી મજબૂત બનાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હોવાનું ભાજપ કાર્યકરો ખુલ્લેઆમ કહી રહ્યા છે.
દાહોદ જિલ્લામાં ભાજપને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સત્તાના શિખરે પહોંચાડવામાં અનિલભાઈ શાહે સંગઠનાત્મક રીતે સતત કામગીરી કરી હોવાનું માનવામાં આવે છે. વર્ષોથી પક્ષ માટે નિસ્વાર્થ ભાવે કાર્ય કરનાર અને સત્તાની કોઈ લાલસા વગર સંગઠન માટે સતત સક્રિય રહેલા ચહેરા તરીકે તેમની ઓળખ ઉભી થઈ છે.
કાર્યકરોનું કહેવું છે કે, અનિલભાઈ શાહ હંમેશા ભાજપના નાના થી નાના કાર્યકર્તા માટે ઉપલબ્ધ રહેતા આવ્યા છે. સામાજિક, સેવાકીય અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ સતત અગ્રેસર રહ્યા છે. કોઈપણ કાર્યકર્તાને મુશ્કેલી હોય ત્યારે મદદરૂપ થવાની તેમની ભાવનાને કારણે જિલ્લા ભાજપમાં તેમની આગવી છાપ ઉભી થઈ છે.
ભાજપ માટે ઐતિહાસિક નિર્ણય બની શકે
રાજકીય વિશ્લેષકોના મતે જો ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદમાંથી અનિલભાઈ શાહની પસંદગી કરવામાં આવે તો ભાજપ આ વિસ્તારમાં એક નવો રાજકીય ઇતિહાસ રચી શકે છે. આ નિર્ણયથી આદિવાસી વિસ્તાર અને સ્થાનિક સંગઠન બંનેમાં સકારાત્મક સંદેશો જશે.
ભાજપના પાયાના કાર્યકરોમાં એવી પણ ચર્ચા છે કે, વર્ષોથી પક્ષ માટે સમર્પિત રહીને કાર્ય કરનાર નેતાને રાજ્યસભા જેવી મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવે તો તે સંગઠનને વધુ મજબૂત બનાવશે અને કાર્યકરોમાં નવી ઊર્જા પણ ભરી શકશે.
કોંગ્રેસની સ્થિતિ નબળી હોવાના કારણે ચર્ચાઓને વેગ
રાજ્યસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે તેવી મજબૂત સ્થિતિમાં નથી તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો બિનહરીફ જાહેર થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
તેવામાં ભાજપ પાસે દાહોદ જિલ્લાને રાજ્યસભાનું પ્રતિનિધિત્વ આપવાની અનુકૂળ તક હોવાનું રાજકીય જાણકારો માની રહ્યા છે. જેના કારણે અનિલભાઈ શાહના નામની ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે.
સોશિયલ મીડિયા પર સમર્થન અભિયાન તેજ
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અનિલભાઈ શાહના સમર્થનમાં પોસ્ટરો અને સંદેશાઓ મોટી સંખ્યામાં વાયરલ થઈ રહ્યા છે. “સાથ છે, વિશ્વાસ છે, હું છું ભાજપ” જેવા નારાઓ સાથે કાર્યકરો દ્વારા સમર્થન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભાજપ કાર્યકરો અને સમર્થકો દ્વારા પણ અનિલભાઈ શાહને રાજ્યસભામાં મોકલવાની માંગ ઉઠાવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં હાલ આ મુદ્દો ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે.
કાર્યકરો અને જનતાની એક જ માંગ
દાહોદ જિલ્લાના ભાજપ કાર્યકરો અને સામાન્ય જનતાની વચ્ચે હાલ એક જ લાગણી જોવા મળી રહી છે કે, વર્ષોથી સંગઠન અને સમાજ માટે કાર્યરત રહેલા અનિલભાઈ શાહને રાજ્યસભામાં મોકલીને દાહોદ જિલ્લાને ગૌરવ અપાવવામાં આવે.
હવે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું મોવડીમંડળ આ લોકલાગણી અને રાજકીય ચર્ચાઓને ધ્યાને લઈને શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

સંબંધિત પોસ્ટ

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24

સીંગવડમાં CMની ગાડીમાં સ્નેહલ ધરીયાની સવારીથી ગરમાવો: હેલિપેડથી સભા સ્થળ સુધી પ્રમુખ સતત મુખ્યમંત્રીની પડખે રહેતા મંત્રીઓ અને ધારાસભ્યોમાં પણ ભારે કુતૂહલ સાથે અટકળો તેજ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ