Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

ફતેપુરા નગરમા આવેલો બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ પર ખાડા પડી જતા બિસ્માર હાલતમા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ફતેેેેેપુરા તા.૧૯

ફતેપુરા નગરની બહાર થી બલૈયા રોડ થી ઝાલોદ રોડ તરફ આવતો બાયપાસ રોડ પર મસ મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, આ રોડ પર ફતેપુરા કોર્ટ અને સાયન્સ સ્કુલ આવેલી છે, ફતેપુરામા ટ્રાફીક સમસ્યા ને લઈને મોટા ભાગે નગરજનો આ રોડની ઉપયોગ કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રોડ બિસ્માર હાલત માં હોવા છતાં તંત્ર ધ્વારા રીપેરીંગ કરવામા આવતુ નથી જેના કારણે વાહન ચાલકો અને નગરજનોમા ભારો રોષ જોવા મળી રહ્યો છે, હાલમા ચોમાસુ શરુ થવાની ભીતી સેવાઈ રહી છે ત્યા ચોમાસાની રુતુમા આ બિસ્માર અને ખાડા વાળા રોડ પરથી પસાર થવુ વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે,
ફતેપુરા બજાર માં ટ્રાફિક ની સમસ્યા હોવાથી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ આ રોડ થી દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડે છે, બલૈયા રોડ થી ઝાલોદ રોડ ને જોડતો રોડ બિસ્માર હોવા થી અકસ્માત થવા ની પણ સંભાવનઓ રહેલી છે, તંત્ર આ બાયપાસ રોડનુ સમારકામ કરવા માં આવે આવી લોકમાંગ ઉઠી રહી છે, ત્યારે તંત્ર દ્વારા ક્યારે આ રોડનુ રીપેરીંગ કરવામા આવે છે તે જોવાનુ રહેશે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

ફાયર સેફટીના નિયમોના ભંગ કરનારાઓ સામે ઝાલોદ નગરપાલીકાએ કરી લાલ આંખ: નિયમોના ભંગ બદલ સાત બિલ્ડીંગોને કરી સીલ: 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા અને 3 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24