Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

ફતેપુરા નગરમા આવેલો બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ પર ખાડા પડી જતા બિસ્માર હાલતમા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ફતેેેેેપુરા તા.૧૯

ફતેપુરા નગરની બહાર થી બલૈયા રોડ થી ઝાલોદ રોડ તરફ આવતો બાયપાસ રોડ પર મસ મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, આ રોડ પર ફતેપુરા કોર્ટ અને સાયન્સ સ્કુલ આવેલી છે, ફતેપુરામા ટ્રાફીક સમસ્યા ને લઈને મોટા ભાગે નગરજનો આ રોડની ઉપયોગ કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રોડ બિસ્માર હાલત માં હોવા છતાં તંત્ર ધ્વારા રીપેરીંગ કરવામા આવતુ નથી જેના કારણે વાહન ચાલકો અને નગરજનોમા ભારો રોષ જોવા મળી રહ્યો છે, હાલમા ચોમાસુ શરુ થવાની ભીતી સેવાઈ રહી છે ત્યા ચોમાસાની રુતુમા આ બિસ્માર અને ખાડા વાળા રોડ પરથી પસાર થવુ વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે,
ફતેપુરા બજાર માં ટ્રાફિક ની સમસ્યા હોવાથી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ આ રોડ થી દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડે છે, બલૈયા રોડ થી ઝાલોદ રોડ ને જોડતો રોડ બિસ્માર હોવા થી અકસ્માત થવા ની પણ સંભાવનઓ રહેલી છે, તંત્ર આ બાયપાસ રોડનુ સમારકામ કરવા માં આવે આવી લોકમાંગ ઉઠી રહી છે, ત્યારે તંત્ર દ્વારા ક્યારે આ રોડનુ રીપેરીંગ કરવામા આવે છે તે જોવાનુ રહેશે.

સંબંધિત પોસ્ટ

દાહોદ SOG અને LCB પોલીસે સીંગવડ ના હાંડી ગામેથી રૂપીયા 2.75 કરોડની કિંમતનો 2745 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

Panchayat Samachar24

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24