Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

  • 60 વર્ષથી ઉપરની ઉંમરના કોમોર્બિડિટીના નાગરિકોને વેક્સિનની પ્રિકોશન ડોઝનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવાશે.
  • માસ્કનો ભરપૂર ઉપયોગ કરો અને હાથને થોડી થોડી વારે સાફ કરતા રહો. આ બધી બાબતો ભૂલવાની નથી.
  • Advertisement
  • કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઈનો અનુભવ એ દર્શાવે છે કે વ્યક્તિગત સ્તર પર દરેક દિશાનિર્દેશોનું પાલન જ કોરોના સામે લડવાનું હથિયાર છે.
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જેની શરુઆત 10 જાન્યુઆરી 2022ના રોજ સોમવારથી થશે.
PM મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે 3 જાન્યુઆરી 2022થી 15થી 18 વર્ષના બાળકોને પણ કોરોના વેક્સિનેશન ચાલુ થશે. તેમજ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જેની શરુઆત 10 જાન્યુઆરી 2022ના રોજ સોમવારથી થશે. 60 વર્ષથી ઉપરની ઉંમરના કોમોર્બિડિટીના નાગરિકોને વેક્સિનની પ્રિકોશન ડોઝનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવાશે. આ કાર્ય પણ 10 જાન્યુઆરીથી જ શરુ થશે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘2022 હવે આવવાનું જ છે. તમે દરેક લોકો 2022ના સ્વાગતની તૈયારીમાં લાગ્યા છો પરંતુ ઉત્સાહ અને ઉમંગની સાથે જ આ સમય હવે સચેત રહેવાનો પણ છે. આજે દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે સંક્રમણ વધી રહ્યું છે. ‘ભારતમાં પણ અનેક લોકો કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. હું તમને દરેકને આગ્રહ કરું છું કે મહેરબાની કરી ગભરાવું નહીં. સાવધાન રહો અને સતર્ક રહો. માસ્કનો ભરપૂર ઉપયોગ કરો અને હાથને થોડી થોડી વારે સાફ કરતા રહો. આ બધી બાબતો ભૂલવાની નથી.’ રાજ્યોને જરુરી દવાઓના બફર ડોઝ પણ તૈયાર થઈ રહ્યાં છે અને પર્યાપ્ત ટેસ્ટિંગ કિટ્સ પણ મોકલી દેવાઈ છે. કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઈનો અનુભવ એ દર્શાવે છે કે વ્યક્તિગત સ્તર પર દરેક દિશાનિર્દેશોનું પાલન જ કોરોના સામે લડવાનું હથિયાર છે.

દેશના દરેક નાગરિકોનો સામૂહિક પ્રયત્નથી અને આત્મવિશ્વાસથી દરેક કાર્ય શક્ય બનશે. વયસ્કમાંથી 61% કરતા વધુ લોકોને વેક્સિનના બન્ને ડોઝ અપાઈ ચૂક્યા છે. તેમજ વયસ્ક લોકોમાંથી 90% લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. દેશે બીમારીની ગંભીરતા સમજતાં પહેલાથી જ વેક્સિન નિર્માણ પર મિશન મોડમાં કામ થઈ રહ્યું છે. વેક્સિન પર રિસર્ચની સાથે એપ્રૂવલ પ્રોસેસ અને સપ્લાય ચેન તેમજ ડિસ્ટ્રિબ્યૂશન અને સર્ટિફિકેશન પર પણ નિરંતર કામ કર્યુ છે. આ તૈયારીઓનું પરિણામ છે કે પોતાના નાગરિકોને વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે.’

મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

કોરોના સારવાર અને બે ડોઝ વેક્સીનના લીધા બાદ પણ આ આરોગ્ય અધિકારી ફરીવાર બન્યા કોરોનાનો શિકાર

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

ફતેપુરાના મોટાનટવા ખાતે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24