Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

  • લીમખેડા અને સીંગવડ તાલુકામા 150 ગામોના લોકોને લોકોને પડી રહી છે મુશ્કેલી
  • સીંગવડ તાલુકામા એકપણ CNG પંપ નહિ
  • Advertisement
  • CNG થી પ્રદુષણ ઓછુ થતુ હોવાથી પર્યાવરણ માટે ફાયદાકારક
  • વાહનોમાં CNGનો વધુ ઉપયોગ શરૂ થઇ ગયો છે ત્યારે હાઇ-વે પર આવેલા લીમખેડા ગામમાં CNG ઓનલાઈન પંપની સુવિધા જરૂરી
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.28
દેશમા પેટ્રોલ અને ડીઝલ ના ભાવમા સતત વધારો થઈ રહ્યો છે, સાથે સાથે માનવ વસતી વધી રહી છે અને જેમ-જેમ માનવ વસતી વધી રહી છે તેમ-તેમ વસ્તીના અનુપાતમાં વાહનોની જરૂરિયાત પણ વધી રહી છે. ડીઝલના વાહનો થી પ્રદૂષણ વધારે થાય છે, અને પેટ્રોલ અને ડીઝલ ના ભાવો આમ આદમીની કમર તોડી નાખી છે. જેના કારણે લોકો મહત્તમ સીએનજીના વાહનોનો ઉપયોગ કરતાં થયા છે. લીમખેડા ના પાલ્લી ખાતે ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ ઉપર ઓફલાઇન સીએનજી પંપ ચાલુ કરવામા આવેલ છે જે સીએનજી પંપમા વાહન મારફતે સીએનજી પંપ ચલાવવામા આવે છે પરંતુ તેમા પુરતુ પ્રેસર મળતુ ન હોવાથી વાહન ચાલકોને વારંવાર ધક્કા ખાવા પડે છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે , જેથી લીમખેડા ગામે CNG ઓનલાઇન પંપ શરૂ કરવા લોકમાંગ ઊઠવા પામી છે.
લીમખેડા તાલુકા મથકનુ ગામ છે, અને આ ગામ માંથી અમદાવાદ- ઈન્દોર નેશનલ ધોરી માર્ગ પણ પસાર થાય છે. આથી આ રોડ પરથી રાત-દિવસ મોટી માત્રામાં વાહનો પસાર થાય છે. ઉપરાંત રાજસ્થાન – વાસવાડા તરફ નો હાઈવે રોડ પરના વાહનો પણ લીમખેડાથિ પસાર થાય છે. લીમખેડા પંથકના દુધીયા, મોટીબાંડીબાર, સહિતના લીમખેડા તાલુકાના ગામો માથી લોકો સરકારી કામે અને ખરીદી કરવા લીમખેડા આવે છે.
હાલમાં લીમખેડા તાલુકાના પાલ્લી અને ઘુમણી ગામે એક એક ઓફલાઇન સીએનજી પંપ શરૂ કરવામા આવેલ છે. જેમાં પ્રેશર ઓછું આવતું હોવાને કારણે વાહનમા ગેસ ઓછો ભરાતો હોય છે. આથી તે વાહન સીએનજીમાં વધારે અંતર કાપી શકતું નથી. ઘણીવાર CNG ગાડી પંપ ઉપર હાજર ન હોવાના કારણે વાહન ચાલકોને કલ્લાકો સુધી CNG ગેસની ગાડીની રાહ જોવી પડે છે, જેના કારણે વાહન ચાલકો અને પંપ સંચાલક વચ્ચે સામાન્ય રકઝક થતી હોય છે, પરંતુ જો ઓનલાઇન સીએનજી પંપ શરૂ કરવામાં આવે તો ફોર વ્હીલ વાહનધારકોને વધારે ફાયદો થઇ શકે તેમ છે. જ્યારે સીંગવડ તાલુકા મા તો એક પણ સી.એન.જી. પંપ નહી હોવાથી ત્યાંના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આથી લીમખેડા અને સીંગવડ ગામે ઓનલાઇન સીએનજી પંપ શરૂ કરવામાં આવે તેવી લીમખેડા અને સીંગવડ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય પંથકના વાહન ચાલકોની પ્રબળ માંગ ઊઠી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24