Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

  • આજે PM મોદીની મન કી બાત
  • રેડિયોના માધ્યમથી કરશે મન કી બાત
  • Advertisement
  • સવારે 11 કલાકે PM મોદી કરશે મન કી બાત
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશને સંબોધિત કરશે. દર મહિનાનાં છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કરે છે. તે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશને સંબોધિત કરશે. દર મહિનાનાં છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કરે છે. તે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે. આજે મન કી બાતની 84મી આવૃત્તિ હશે. આ વર્ષનો ‘મન કી બાત’નો આ છેલ્લો કાર્યક્રમ હશે.
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાની શરૂઆતમાં ટ્વીટ કર્યું હતું કે, મને આ મહિનાની 26મીએ મન કી બાત માટે ઘણા ઈનપુટ મળી રહ્યા છે. આ 2021 ની અંતિમ મન કી બાત હશે. ઇનપુટ્સ ઘણાં વિવિધ ક્ષેત્રોને આવરી લે છે અને પાયાનાં સ્તરે પરિવર્તન લાવવા માટે કામ કરતા ઘણા લોકોની જીવન યાત્રાની ઉજવણી કરે છે. તમારા વિચારો શેર કરતા રહો. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન સિવાય વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.  આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકો પાસેથી સલાહ અને સૂચનો આમંત્રિત કરે છે અને બાદમાં તેમના કાર્યક્રમ દ્વારા ઘણાનો ઉલ્લેખ કરે છે. તમે PM નરેન્દ્ર મોદીની વેબસાઈટ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારા સૂચનો મોકલી શકો છો. આ સિવાય, mygov.in પર આપવામાં આવેલી માહિતી મુજબ, તમે 1922 પર મિસ્ડ કૉલ પણ કરી શકો છો અને SMSમાં મળેલી લિંકને અનુસરીને તમારા સૂચનો સીધા જ વડાપ્રધાનને આપી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર ડાયલ કરીને તમારા સૂચનો પણ રેકોર્ડ કરી શકો છો.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24

ભૂ-માફીયાઓ વિરુદ્ધ ની સરકારની મુહીમને ઘોળીને પી જતુ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર: ફતેપુરાની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર નહિ કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24