Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારસીંગવડ

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

  • આધેડ પુરૂષની લાશ ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવી
  • થોડા દિવસો પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઘરમાં કોઈને કહ્યાં વગર જતાં રહ્યાં હતા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા,12
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મેથાણ ગામે 45 વર્ષીય આધેડ પુરૂષનો મૃતદેહ મેથાણ ગામના ડુંગર ઉપર આવેલ એક ઝાડ પર લટકેલી અવસ્થામા મળી આવી હતી. સમગ્ર ઘટના મામલે મૃતકના કુટુંબીજનો દ્વારા રણધીકપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલ મા મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
સીંગવડ તાલુકાના મેથાણ ગામના નાળ ફળિયામાં રહેતાં 45 વર્ષીય લાલાભાઈ લીંબાભાઈ નિનામા થોડાક દિવસ પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઘરે કોઈને કહ્યાં વગર નિકોલ ગયા હતા, લાલાભાઈ ઘરે નહિ આવતા પરિવારજનો  તેઓની શોધખોળ શરૂ કરી હતી, શોધખોળ દરમિયાન મેથાણ ગામે આવેલા ડુંગર પર આવેલા એક ઝાડ પર ગળે ફાંસો ખાઘેલી હાલતમાં લાલાભાઈની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ રણધીકપુર પોલીસને કરાતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પી.એમ. અર્થે મોકલ્યો હતો.
આ સમગ્ર ઘટના સંદર્ભે મૃતકના ભાઈ અમરસીંગભાઈ નિનામાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24