Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારસીંગવડ

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

  • આધેડ પુરૂષની લાશ ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવી
  • થોડા દિવસો પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઘરમાં કોઈને કહ્યાં વગર જતાં રહ્યાં હતા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા,12
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મેથાણ ગામે 45 વર્ષીય આધેડ પુરૂષનો મૃતદેહ મેથાણ ગામના ડુંગર ઉપર આવેલ એક ઝાડ પર લટકેલી અવસ્થામા મળી આવી હતી. સમગ્ર ઘટના મામલે મૃતકના કુટુંબીજનો દ્વારા રણધીકપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલ મા મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
સીંગવડ તાલુકાના મેથાણ ગામના નાળ ફળિયામાં રહેતાં 45 વર્ષીય લાલાભાઈ લીંબાભાઈ નિનામા થોડાક દિવસ પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઘરે કોઈને કહ્યાં વગર નિકોલ ગયા હતા, લાલાભાઈ ઘરે નહિ આવતા પરિવારજનો  તેઓની શોધખોળ શરૂ કરી હતી, શોધખોળ દરમિયાન મેથાણ ગામે આવેલા ડુંગર પર આવેલા એક ઝાડ પર ગળે ફાંસો ખાઘેલી હાલતમાં લાલાભાઈની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ રણધીકપુર પોલીસને કરાતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પી.એમ. અર્થે મોકલ્યો હતો.
આ સમગ્ર ઘટના સંદર્ભે મૃતકના ભાઈ અમરસીંગભાઈ નિનામાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24