Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારસીંગવડ

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

  • આધેડ પુરૂષની લાશ ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવી
  • થોડા દિવસો પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઘરમાં કોઈને કહ્યાં વગર જતાં રહ્યાં હતા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા,12
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મેથાણ ગામે 45 વર્ષીય આધેડ પુરૂષનો મૃતદેહ મેથાણ ગામના ડુંગર ઉપર આવેલ એક ઝાડ પર લટકેલી અવસ્થામા મળી આવી હતી. સમગ્ર ઘટના મામલે મૃતકના કુટુંબીજનો દ્વારા રણધીકપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલ મા મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
સીંગવડ તાલુકાના મેથાણ ગામના નાળ ફળિયામાં રહેતાં 45 વર્ષીય લાલાભાઈ લીંબાભાઈ નિનામા થોડાક દિવસ પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઘરે કોઈને કહ્યાં વગર નિકોલ ગયા હતા, લાલાભાઈ ઘરે નહિ આવતા પરિવારજનો  તેઓની શોધખોળ શરૂ કરી હતી, શોધખોળ દરમિયાન મેથાણ ગામે આવેલા ડુંગર પર આવેલા એક ઝાડ પર ગળે ફાંસો ખાઘેલી હાલતમાં લાલાભાઈની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ રણધીકપુર પોલીસને કરાતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પી.એમ. અર્થે મોકલ્યો હતો.
આ સમગ્ર ઘટના સંદર્ભે મૃતકના ભાઈ અમરસીંગભાઈ નિનામાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત: રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે ઉચ્ચક દંડ વસુલાશે: ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે

Panchayat Samachar24

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24