Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ શહેર સહિત જીલ્લામા રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજની હાટડીઓ : તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ઉઠી લોકમાંગ

  • રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજ હાટડીઓ
  • રોડ નજીક નોનવેજની લારીઓના કારણે ટ્રાફિક જામની સમસ્યામા વધારો
  • Advertisement
  • તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તે જરુરી બન્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
ગુજરાતના મોટા શહેરોમાં માંસ મટન અને ઈંડાની લારીઓ જાહેર રોડ નજીકથી દુર કરવાના આદેશો કરવામા આવ્યા છે, રોડની નજીકની નોનવેજ બનાવતી ઉડતા વઘારની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. ત્યારે સરકારી તંત્ર હાલમાં એલર્ટ બન્યું છે  ત્યારે દાહોદ શહેર સહિત જીલ્લાના તાલુકાઓમા તંત્ર દ્વારા તપાસ કરી આવી મટન, ઈંડાની લારીઓ જાહેર રસ્તાઓ પરથી દુર કરવાની લોકો ની માંગ ઉઠી છે.
જ્યારે દાહોદ શહેર સહિત તાલુકાઓના ગામડાઓના રોડ ઉપર રોડની નજીકમાં જ માંસ, મટનની હાટડીઓ લગાવી વેચાણ કરી રહ્યા છે,  જ્યારે કેટલીક જગ્યાએ હાઇવે રોડ નજીક માંસને આગમા શેકવાથી ખુબ જ દુર્ગન્ધ આવતી હોય છે, નસકોરા ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધ આવતી હોવાના કારણે જેના કારણે રાહદારીઓને ખુબ જ મુશ્કેલી પડી રહી છે, રોડની નજીક માં જ આ પ્રકારની માંસ મટન ની ધમ ધમતી હાટડીઓ મા દિવસે દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, જ્યારે કેટલાક ગામોમા સરકારી જમીન પર દબાણ કરી માંસ મટનની હાટડી શરુ કરવામા આવી છે, તેમ છતા ગ્રામ પંચાયત કે, મામલતદાર દ્વારા આ સરકારી જમીન પરની ગેરકાયદેસર માંસ ની હાટડી બંધ કરાવવામા આવી નથી, તંત્ર દ્વવારા આવી ગેરકાયદેસર હાટડીઓ રોડ નજીક થી હટાવી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

સંબંધિત પોસ્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24