Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

સમગ્ર દાહોદ જિલ્લા સહિત શહેરમાં કોરોના વાયરસના અજગર ભરડામાં છે. ત્યારે હવે સરકારી સુવિધાઓ હવે પુરતા પ્રમાણમાં નહી રહે અને સમગ્ર માળખુ તૂટી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે દાહોદ ના શહેરીજનો લોકડાઉન વિશે મનોમંથન કરી રહ્યા હતા. તેવા સમયમાં નગર પાલિકા પ્રમુખ રીના પંચાલે બોલાવેલી બેઠકમાં વેપારીઓ વચ્ચે સર્વસંમત્તિ સધાતા હવે શુક્ર, શનિ અને રવી લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે.

રવિવારે મળેલી આ બેઠકમાં વેપારીઓ, સામાજિક સંગઠનો તેમજ પાલિકાના સત્તાધીશો વગેરે ઉપસ્થિત હતા. મહત્તમ વેપારીઓનો મત લોકડાઉનના વિરોધમાં હતો. ત્યારે કેટલાકે જાન હૈ તો જહાંન હૈની વાત પણ કરી હતી. વાતાવરણ જોતા સ્પષ્ટ જણાતું હતુ કે લોકડાઉન કોરોનાને રોકવા અસરકારક નથી તો એમ પણ જણાતુ હતુ કે સ્વૈચ્છિક લોકડાઉનની વાત હતી એટલે ઘણાંએ જાણે તેનો છેદ જ ઉડાવી દીધો. જો કાયદાની કલમ વડે લોકડાઉનનો પત્ર લખવામાં આવ્યો હોત તો પરિણામ કંઇક જુદું જ આવતુ તે નિશ્ચિત છે.

આમ આ લોકડાઉન કરવામાં આવશે. પરંતુ આગામી ચાર દિવસમાં જ ઘણું મોડુ થઇ જવાની દહેશત આરોગ્ય સેવા સાથે જોડાયોલા તજજ્ઞો જ વ્યક્ત કરી રહ્યા છે. આરોગ્ય સેવા ઠપ થઇ જવાના મેસેજ વાઇરલ થઇ રહ્યા છે. જેથી આ ચાર દિવસમાં દવાખાનાઓથી માંડી જનસામાન્યની સ્થિતિ વણસી જવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24

સીંગવડમાં CMની ગાડીમાં સ્નેહલ ધરીયાની સવારીથી ગરમાવો: હેલિપેડથી સભા સ્થળ સુધી પ્રમુખ સતત મુખ્યમંત્રીની પડખે રહેતા મંત્રીઓ અને ધારાસભ્યોમાં પણ ભારે કુતૂહલ સાથે અટકળો તેજ

Panchayat Samachar24