Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

સમગ્ર દાહોદ જિલ્લા સહિત શહેરમાં કોરોના વાયરસના અજગર ભરડામાં છે. ત્યારે હવે સરકારી સુવિધાઓ હવે પુરતા પ્રમાણમાં નહી રહે અને સમગ્ર માળખુ તૂટી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે દાહોદ ના શહેરીજનો લોકડાઉન વિશે મનોમંથન કરી રહ્યા હતા. તેવા સમયમાં નગર પાલિકા પ્રમુખ રીના પંચાલે બોલાવેલી બેઠકમાં વેપારીઓ વચ્ચે સર્વસંમત્તિ સધાતા હવે શુક્ર, શનિ અને રવી લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે.

રવિવારે મળેલી આ બેઠકમાં વેપારીઓ, સામાજિક સંગઠનો તેમજ પાલિકાના સત્તાધીશો વગેરે ઉપસ્થિત હતા. મહત્તમ વેપારીઓનો મત લોકડાઉનના વિરોધમાં હતો. ત્યારે કેટલાકે જાન હૈ તો જહાંન હૈની વાત પણ કરી હતી. વાતાવરણ જોતા સ્પષ્ટ જણાતું હતુ કે લોકડાઉન કોરોનાને રોકવા અસરકારક નથી તો એમ પણ જણાતુ હતુ કે સ્વૈચ્છિક લોકડાઉનની વાત હતી એટલે ઘણાંએ જાણે તેનો છેદ જ ઉડાવી દીધો. જો કાયદાની કલમ વડે લોકડાઉનનો પત્ર લખવામાં આવ્યો હોત તો પરિણામ કંઇક જુદું જ આવતુ તે નિશ્ચિત છે.

આમ આ લોકડાઉન કરવામાં આવશે. પરંતુ આગામી ચાર દિવસમાં જ ઘણું મોડુ થઇ જવાની દહેશત આરોગ્ય સેવા સાથે જોડાયોલા તજજ્ઞો જ વ્યક્ત કરી રહ્યા છે. આરોગ્ય સેવા ઠપ થઇ જવાના મેસેજ વાઇરલ થઇ રહ્યા છે. જેથી આ ચાર દિવસમાં દવાખાનાઓથી માંડી જનસામાન્યની સ્થિતિ વણસી જવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

સંબંધિત પોસ્ટ

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની કેટલીક બક્ષીપંચ છાત્રાલયોમા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવની ચર્ચાઓ: કેટલીક છાત્રાલયોમા મંજુરીની સંખ્યા કરતા ઓછા વિધાર્થીઓ સાથે ચાલતી હોવાની વ્યાપક બુમો ઉઠી, છાત્રાલયોની તાત્કાલિક તપાસની જરૂરિયાત

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24