Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ LCB પોલીસે છટકું ગોઠવી રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ઈસમને 11 ઈન્જેકશન તથા રુપિયા 75,000 રોકડા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો

દાહોદ જીલ્લાની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેકશનની અછત જોવા મળી રહી છે. આવા કપરાકાળમાં દાહોદમાં રેમડેસિવિર ઈન્જેકશન નો કાળા બજાર કરી વધુ ભાવમાં ઈન્જેકશન વેચતો ઈસમ ઝડપાઇ જતાં ઘણાંની પોલ ખુલી ગઇ છે. પોલીસે આ ઈન્જેકશન નો કાળા બજાર કરતા ઈસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. હવે આ તપાસનો રેલો આગળ ક્યાં સુધી પહોંચશે તે હાલ કહેવું મુશ્કેલ છે.

દાહોદ શહેરની સરકારી ઝાયડસ હોસ્પિટલ સહિત અન્ય ખાનગી હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી. કોરોનાના દર્દીઓને લઇને પરિવારજનો હોસ્પિટલે હોસ્પિટલે ફરી રહ્યા છે. વહીવટી તંત્ર હજી પણ લીપાપોતીમાં વ્સસ્ત છે. કારણ કે રોજ બતાવાતાં પોઝિટિવના આંકડા એક માયાજાળ સમાન બની ગયા છે. રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ હોવાની ગુલબાંગો વચ્ચે ઇન્જેકશન માટે પણ દર્દીઓના સંબંધીઓ હાથમાં નાંણા લઇને પણ વલખાં મારી રહ્યા છે.

બીજી તરફ દાહોદમાં સ્ટેશન રોડ પર આવેલી ક્રિષ્ના ભોજનાલયમાં દાહોદ એલસીબી પોલીસે છટકું ગોઠવીને રેમડેસિવિરના કાળા બજાર થતાં હોવોનો પર્દાફાશ કર્યો છે. જેમાં ગોધરા રોડ પર માં પાર્વતી નગરમાં રહેતો કમલેશ ગટુલાલ રાજપુરોહિત આ ઇન્જેકશનનું વેચાણ કરતો હોવાનું જણાતા પોલીસે ડમી ગ્રાહક મોકલીને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરમાં લોકો એક એક ઇન્જેકશન માટે તરસી રહ્યાં છે. ત્યારે આ ગઠિયા પાસેથી 11 ઇન્જેક્શન મળી આવ્યા હતા. રૂ. 75,000 રોકડા અને 5000 રુ.ના મોબાઇલ સાથે 1,39,400 રુ.નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આરોપી ઈસમની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધી ઈન્જેકશન ના કાળા બજારના કોભાડની તપાસ શરુ કરી છે.

સંબંધિત પોસ્ટ

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ