Panchayat Samachar24
Breaking News
ગરબાડાગુજરાતતાજા સમાચારદાહોદ

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

  • ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા પર પ્રહાર: એન્ટીલાર્વલ ઝુંબેશ શરૂ
  • 159 પાત્રોની તપાસ, 3 પોઝિટિવ પાત્રો નાશ, આરોગ્ય ટીમની જોરદાર કામગીરી
  • Advertisement
ગરબાડા.તા.24, રીપોર્ટર-ગુંજન હાડા દ્વારા
ગરબાડા ગામના અર્બન વિસ્તારમાં 24 જુલાઈ, 2025ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અને મલેરિયા નિયંત્રણ માટે એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી. આ કામગીરીમાં 2 ટીમો બનાવવામાં આવી હતી, જેમણે કુલ 159 પાણી ભરેલા પાત્રો (ટાંકીઓ, માટલાઓ વગેરે)ની તપાસ કરી, જેમાંથી 3 પાત્રો પોઝિટિવ જણાયા હતા અને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત, પાણી ભરેલા ખાડાઓ અને પ્લાસ્ટિકના તાપડાઓમાં બળેલા ઓઈલના દડા નાખવામાં આવ્યા.

 

આ કામગીરી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત, જિલ્લા મલેરિયા અધિકારી અતીત ડામોર અને ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. અવિનાશ ડામોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ. તાલુકા મેલ સુપરવાઈઝર કે. સી. કટારા અને તાલુકા મલેરિયા સુપરવાઈઝર ગોવિંદ સોનીએ સઘન દેખરેખ રાખી, જ્યારે MPHW તેજસ ધરમાણી અને તેમની ટીમે સમગ્ર કામગીરીનું અમલીકરણ કર્યું.

 

આ ઝુંબેશ દરમિયાન એક તાવનો કેસ નોંધાયો હતો, અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ડેન્ગ્યુ અને મલેરિયા નિવારણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી.

સંબંધિત પોસ્ટ

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

Panchayat Samachar24

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24