Panchayat Samachar24
Breaking News
ગરબાડાગુજરાતતાજા સમાચારદાહોદ

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

  • ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા પર પ્રહાર: એન્ટીલાર્વલ ઝુંબેશ શરૂ
  • 159 પાત્રોની તપાસ, 3 પોઝિટિવ પાત્રો નાશ, આરોગ્ય ટીમની જોરદાર કામગીરી
  • Advertisement
ગરબાડા.તા.24, રીપોર્ટર-ગુંજન હાડા દ્વારા
ગરબાડા ગામના અર્બન વિસ્તારમાં 24 જુલાઈ, 2025ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અને મલેરિયા નિયંત્રણ માટે એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી. આ કામગીરીમાં 2 ટીમો બનાવવામાં આવી હતી, જેમણે કુલ 159 પાણી ભરેલા પાત્રો (ટાંકીઓ, માટલાઓ વગેરે)ની તપાસ કરી, જેમાંથી 3 પાત્રો પોઝિટિવ જણાયા હતા અને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત, પાણી ભરેલા ખાડાઓ અને પ્લાસ્ટિકના તાપડાઓમાં બળેલા ઓઈલના દડા નાખવામાં આવ્યા.

 

આ કામગીરી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત, જિલ્લા મલેરિયા અધિકારી અતીત ડામોર અને ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. અવિનાશ ડામોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ. તાલુકા મેલ સુપરવાઈઝર કે. સી. કટારા અને તાલુકા મલેરિયા સુપરવાઈઝર ગોવિંદ સોનીએ સઘન દેખરેખ રાખી, જ્યારે MPHW તેજસ ધરમાણી અને તેમની ટીમે સમગ્ર કામગીરીનું અમલીકરણ કર્યું.

 

આ ઝુંબેશ દરમિયાન એક તાવનો કેસ નોંધાયો હતો, અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ડેન્ગ્યુ અને મલેરિયા નિવારણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી.

સંબંધિત પોસ્ટ

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

Panchayat Samachar24

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

Panchayat Samachar24

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

Panchayat Samachar24

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

Panchayat Samachar24

લીમખેડા તાલુકામાં અખાદ્ય આઈસ્ક્રીમ, કુલ્ફી અને કેરીના રસનુ ખુલ્લેઆમ વેચાણ: લોકોના જીવ જોખમે, તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે ભયંકર ખેલ: આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા સવાલો

Panchayat Samachar24