Panchayat Samachar24
Breaking News
ગરબાડાગુજરાતતાજા સમાચારદાહોદ

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

  • ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા પર પ્રહાર: એન્ટીલાર્વલ ઝુંબેશ શરૂ
  • 159 પાત્રોની તપાસ, 3 પોઝિટિવ પાત્રો નાશ, આરોગ્ય ટીમની જોરદાર કામગીરી
  • Advertisement
ગરબાડા.તા.24, રીપોર્ટર-ગુંજન હાડા દ્વારા
ગરબાડા ગામના અર્બન વિસ્તારમાં 24 જુલાઈ, 2025ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અને મલેરિયા નિયંત્રણ માટે એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી. આ કામગીરીમાં 2 ટીમો બનાવવામાં આવી હતી, જેમણે કુલ 159 પાણી ભરેલા પાત્રો (ટાંકીઓ, માટલાઓ વગેરે)ની તપાસ કરી, જેમાંથી 3 પાત્રો પોઝિટિવ જણાયા હતા અને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત, પાણી ભરેલા ખાડાઓ અને પ્લાસ્ટિકના તાપડાઓમાં બળેલા ઓઈલના દડા નાખવામાં આવ્યા.

 

આ કામગીરી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત, જિલ્લા મલેરિયા અધિકારી અતીત ડામોર અને ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. અવિનાશ ડામોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ. તાલુકા મેલ સુપરવાઈઝર કે. સી. કટારા અને તાલુકા મલેરિયા સુપરવાઈઝર ગોવિંદ સોનીએ સઘન દેખરેખ રાખી, જ્યારે MPHW તેજસ ધરમાણી અને તેમની ટીમે સમગ્ર કામગીરીનું અમલીકરણ કર્યું.

 

આ ઝુંબેશ દરમિયાન એક તાવનો કેસ નોંધાયો હતો, અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ડેન્ગ્યુ અને મલેરિયા નિવારણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી.

સંબંધિત પોસ્ટ

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24