Panchayat Samachar24
Breaking News
ગરબાડાગુજરાતતાજા સમાચારદાહોદ

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

  • ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા પર પ્રહાર: એન્ટીલાર્વલ ઝુંબેશ શરૂ
  • 159 પાત્રોની તપાસ, 3 પોઝિટિવ પાત્રો નાશ, આરોગ્ય ટીમની જોરદાર કામગીરી
  • Advertisement
ગરબાડા.તા.24, રીપોર્ટર-ગુંજન હાડા દ્વારા
ગરબાડા ગામના અર્બન વિસ્તારમાં 24 જુલાઈ, 2025ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અને મલેરિયા નિયંત્રણ માટે એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી. આ કામગીરીમાં 2 ટીમો બનાવવામાં આવી હતી, જેમણે કુલ 159 પાણી ભરેલા પાત્રો (ટાંકીઓ, માટલાઓ વગેરે)ની તપાસ કરી, જેમાંથી 3 પાત્રો પોઝિટિવ જણાયા હતા અને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત, પાણી ભરેલા ખાડાઓ અને પ્લાસ્ટિકના તાપડાઓમાં બળેલા ઓઈલના દડા નાખવામાં આવ્યા.

 

આ કામગીરી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત, જિલ્લા મલેરિયા અધિકારી અતીત ડામોર અને ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. અવિનાશ ડામોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ. તાલુકા મેલ સુપરવાઈઝર કે. સી. કટારા અને તાલુકા મલેરિયા સુપરવાઈઝર ગોવિંદ સોનીએ સઘન દેખરેખ રાખી, જ્યારે MPHW તેજસ ધરમાણી અને તેમની ટીમે સમગ્ર કામગીરીનું અમલીકરણ કર્યું.

 

આ ઝુંબેશ દરમિયાન એક તાવનો કેસ નોંધાયો હતો, અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ડેન્ગ્યુ અને મલેરિયા નિવારણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી ૬ હજારનો દંડ જ્યારે ૧૧ હજાર દંડ વસુલી ૩ વાહનો મુક્ત કર્યા

ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું પાણી પુરુ પાડવાની યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો: અગાઉની યોજનાઓમાં બનાવેલ પાણીના ટાંકાઓ તથા સંપમાં વર્ષો બાદ પણ પાણી આવ્યુ નથી

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24