Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. એક અભ્યાસમાં બતાવવામાં આવ્યું કે કોરોના વાયરસ કઈ રીતે શરીર પર ધીમે ધીમે હુમલો કરે છે. કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિને ઠીક થવામાં 14 દિવસ લાગે છે.

  • પ્રથમ દિવસઃ કોરોનાથી સંક્રમિત થતાં 88 ટકા લોકો પ્રથમ દિવસે તાવ અને થાકની ફરિયાદ કરે છે.
  • બીજાથી લઈ ચોથો દિવસઃ તાવ અને કફ બીજા દિવસથી લઈ સતત ચોથા દિવસ સુધી રહે છે.
  • Advertisement
  • પાંચમો દિવસઃ કોરોના વાયરસના પાંચમા દિવસે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. ખાસ કરીને વડીલો તથા પહેલાથી બીમાર લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. ભારતમાં ફેલાયેલા નવા સ્ટ્રેનમાં અનેક યુવાનોને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
  • છઠ્ઠો દિવસઃ છઠ્ઠા દિવસે પણ શરદી અને તાવ રહે છે. કેટલાક લોકને આ દિવસથી છાતીમાં દર્દ, દબાણ અને ખેંચાણનો અનુભવ થાય છે.
  • સાતમો દિવસઃ સાતમા દિવસે લોકને માથામાં દુખાવો થાય છે અને દબાણ વધી જાય છે. શ્વાસ લેવામાં પરેશાની થાય છે. હોઠ અને ચહેરો ફિક્કો પડવા લાગે છે. કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.
  • આઠમો-નવમો દિવસઃ ચીનના સીડીસી મુજબ આઠમા અને નવમા દિવસે લગભગ 15 ટકા કોરના દર્દી એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનો અનુભવ કરે છે. આ સ્થિતિમાં ફેફસામાં ફ્લૂઈડ બનવાનું શરૂ થવાથી પૂરતી માત્રામાં ફેફસા સુધી હવા પહોંચતી નથી. આ કારણે લોહીમાં ઓક્સિજનની તંગી વર્તાવા લાગે છે.
  • દસમો-અગિયારમો દિવસઃ શ્વાસ લેવાની મુશ્કેલી વધી જાય છે અને હાલત બગડવા પર દર્દીને આઈસીયુમાં દાખલ કરવો પડે છે.
  • બારમો દિવસઃ વુહાન સ્ટડી મુજબ મોટા ભાગના લોકોને 12માં દિવસે તાવ આવવાનો બંધ થઈ જાય છે.  કેટલાક લોકને કફની મુશ્કેલી રહે છે.
  • તેરમો-ચૌદમો દિવસઃ આ વાયરસનો સામનો કરતાં લોકોમાં તેરમા-ચૌદમા દિવસે શ્વાસ લેવાની પરેશાની ખતમ થવા લાગે છે.
  • પંદરથી અઠાર દિવસઃ આ દિવસો દરમિયાન કોરોના સંક્રમિત ઠીક થઈ જાય છે પરંતુ જો 18મા દિવસે પણ તકલીફ હોય તો ચિંતાની વાત હોઇ શકે છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

Panchayat Samachar24

લીમખેડા તાલુકામાં અખાદ્ય આઈસ્ક્રીમ, કુલ્ફી અને કેરીના રસનુ ખુલ્લેઆમ વેચાણ: લોકોના જીવ જોખમે, તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે ભયંકર ખેલ: આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા સવાલો

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24