Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદદેવગઢ બારીયા

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લાના લોકોના હૃદયમાં વસે છે. તેમનો નિર્મળ સ્વભાવ, જનસેવાની ભાવના અને વિકાસ પ્રત્યેની લગનથી દેવગઢ બારીઆ અને ધાનપુરે પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી. પરંતુ વિપક્ષની ઈર્ષ્યાથી પ્રેરિત, ભ્રષ્ટાચારના ખોટા આરોપો લગાવીને બચુભાઈની બેદાગ છબીને બદનામ કરવાના ષડયંત્રો રચાઈ રહ્યા છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો, ખાસ કરીને દેવગઢ બારીયા અને ધાનપુરને નિશાન બનાવીને કરવામા આવી રહ્યા છે, જે વિપક્ષની નીચલી કક્ષાની રાજનીતિ દર્શાવે છે. આ કાવતરાંઓનો હેતુ બચુભાઈની લોકપ્રિયતા અને ગુજરાતના નેતૃત્વમાં તેમનું સ્થાન ડગમગાવવાનો છે, પરંતુ જનતા અને તેમના વિકાસના કાર્યો આ બદનામીના પ્રયાસોને નિષ્ફળ કરી રહ્યા છે.

જેનો સણસણતો જવાબ વિરોધીઓને બચુભાઈએ 2012, 2017 અને 2022ની ચૂંટણીઓમાં દેવગઢ બારીઆ માંથી વિજય મેળવીને આપ્યો હતો, જે જનતાના વિશ્વાસની સાબિતી છે. 2016માં મત્સ્યોદ્યોગ, 2017માં પશુપાલન અને 2021થી પંચાયત-કૃષિ મંત્રી તરીકે, તેમણે સિંચાઈ, રસ્તા, આવાસ અને ખેતીના આધુનિકીકરણના કાર્યો હાથ ધર્યા. દાહોદ જીલ્લામા ઉદ્વહન સિંચાઈ યોજનાએ ખેડૂતોની આવક વધારી છે, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને નાળાઓનું નિર્માણ થયું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ફસલ બીમા યોજના ખેડૂતો સુધી પહોંચી. આદિવાસીઓ માટે શિક્ષણ અને રોજગારની તકો વધી છે.

વિપક્ષના ભ્રષ્ટાચારના આરોપો પુરાવા વિનાના છે. જનતાએ બચુભાઈને વારંવાર વિજયી બનાવીને આ ષડયંત્રોનો જવાબ આપ્યો. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુડબુકમા હોવાથી બચુભાઈની નિષ્ઠાને મજબૂત કરે છે. દાહોદ જિલ્લો તેમના નેતૃત્વમાં વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. બચુભાઈની જનસેવા સામે વિપક્ષના ખોટા આરોપો નિષ્ફળ ગયા, અને તેમનું નામ ગુજરાતના ઈતિહાસમાં ચમકતું રહેશે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

Panchayat Samachar24

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24