Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદદેવગઢ બારીયા

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લાના લોકોના હૃદયમાં વસે છે. તેમનો નિર્મળ સ્વભાવ, જનસેવાની ભાવના અને વિકાસ પ્રત્યેની લગનથી દેવગઢ બારીઆ અને ધાનપુરે પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી. પરંતુ વિપક્ષની ઈર્ષ્યાથી પ્રેરિત, ભ્રષ્ટાચારના ખોટા આરોપો લગાવીને બચુભાઈની બેદાગ છબીને બદનામ કરવાના ષડયંત્રો રચાઈ રહ્યા છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો, ખાસ કરીને દેવગઢ બારીયા અને ધાનપુરને નિશાન બનાવીને કરવામા આવી રહ્યા છે, જે વિપક્ષની નીચલી કક્ષાની રાજનીતિ દર્શાવે છે. આ કાવતરાંઓનો હેતુ બચુભાઈની લોકપ્રિયતા અને ગુજરાતના નેતૃત્વમાં તેમનું સ્થાન ડગમગાવવાનો છે, પરંતુ જનતા અને તેમના વિકાસના કાર્યો આ બદનામીના પ્રયાસોને નિષ્ફળ કરી રહ્યા છે.

જેનો સણસણતો જવાબ વિરોધીઓને બચુભાઈએ 2012, 2017 અને 2022ની ચૂંટણીઓમાં દેવગઢ બારીઆ માંથી વિજય મેળવીને આપ્યો હતો, જે જનતાના વિશ્વાસની સાબિતી છે. 2016માં મત્સ્યોદ્યોગ, 2017માં પશુપાલન અને 2021થી પંચાયત-કૃષિ મંત્રી તરીકે, તેમણે સિંચાઈ, રસ્તા, આવાસ અને ખેતીના આધુનિકીકરણના કાર્યો હાથ ધર્યા. દાહોદ જીલ્લામા ઉદ્વહન સિંચાઈ યોજનાએ ખેડૂતોની આવક વધારી છે, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને નાળાઓનું નિર્માણ થયું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ફસલ બીમા યોજના ખેડૂતો સુધી પહોંચી. આદિવાસીઓ માટે શિક્ષણ અને રોજગારની તકો વધી છે.

વિપક્ષના ભ્રષ્ટાચારના આરોપો પુરાવા વિનાના છે. જનતાએ બચુભાઈને વારંવાર વિજયી બનાવીને આ ષડયંત્રોનો જવાબ આપ્યો. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુડબુકમા હોવાથી બચુભાઈની નિષ્ઠાને મજબૂત કરે છે. દાહોદ જિલ્લો તેમના નેતૃત્વમાં વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. બચુભાઈની જનસેવા સામે વિપક્ષના ખોટા આરોપો નિષ્ફળ ગયા, અને તેમનું નામ ગુજરાતના ઈતિહાસમાં ચમકતું રહેશે.

સંબંધિત પોસ્ટ

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin