Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

દાહોદ શહેર સાહિત જીલ્લાની કોરોના હોસ્પીટલમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી રેમડેસિવર ઇન્જેક્શન મેળવી શકે તે માટે વોટ્સઅપ નંબરની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત કન્ટ્રોલ રૂમ નંબરનો ઉપયોગ પણ આ માટે કરી શકાશે. જેમાં તમામ દસ્તાવેજો તપાસ્યા બાદ માત્ર ડોક્ટર્સને જ ઇન્જેક્શન પૂરા પડાશે. આ માટે તેમણે એક વ્યક્તિને અધિકૃત પણ કરવાનો રહેશે.

કલેક્ટર વિજય ખરાડીએ આ સુવિધા બાબતે જણાવતા કહ્યું કે, વોટ્સએપ નંબર ઉપર કોરોના સંક્રમિત દર્દીનું નામ ઉપરાંત દર્દીનું આધારકાર્ડ, તેનો કોરોના પોઝિટિવ હોવાનો આરટીપીસીઆર, સીટીસ્કેન કે આરએટી રિપોર્ટ, રેમડેસિવર ઇન્જેક્શન ભલામણ કરનાર એમ.ડી. ડોક્ટરનું પ્રિસ્કીપ્શન એટલા દસ્તાવેજો વોટ્સએપ નંબર 08200140854 અને 09824953953 પર વોટ્સએપના માધ્યમથી મોકલ્યા બાદ અથવા કન્ટ્રોલ રૂમના 02673-239055 અને 7567895504 નંબર પર ફોન કરી જરૂરી માહિતી પુરી પાડ્યા બાદ, આ તમામ ડોક્યુમેન્ટ ચકાસીને માત્ર ડોક્ટરોને જ રેમડેસિવર ઇન્જેક્શન પુરા પાડવામાં આવશે. આ માટે તમામ ડોક્ટરોએ તેમના એક માણસને રેમડેસિવર ઇન્જેક્શન લેવા માટે અધિકૃત કરવાના રહેશે અને ડોક્ટરોના અધિકૃત પ્રતિનિધિને હેલ્પલાઇનમાંથી સુચના મળ્યે રેમડેસિવર ઇન્જેક્શન મેળવી લેવાના રહેશે.

સંબંધિત પોસ્ટ

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

Panchayat Samachar24

ઝાલોદની આઈ.પી. મિશન હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને વન્યસૃષ્ટિનો પરિચય કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24