Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

દાહોદ શહેર સાહિત જીલ્લાની કોરોના હોસ્પીટલમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી રેમડેસિવર ઇન્જેક્શન મેળવી શકે તે માટે વોટ્સઅપ નંબરની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત કન્ટ્રોલ રૂમ નંબરનો ઉપયોગ પણ આ માટે કરી શકાશે. જેમાં તમામ દસ્તાવેજો તપાસ્યા બાદ માત્ર ડોક્ટર્સને જ ઇન્જેક્શન પૂરા પડાશે. આ માટે તેમણે એક વ્યક્તિને અધિકૃત પણ કરવાનો રહેશે.

કલેક્ટર વિજય ખરાડીએ આ સુવિધા બાબતે જણાવતા કહ્યું કે, વોટ્સએપ નંબર ઉપર કોરોના સંક્રમિત દર્દીનું નામ ઉપરાંત દર્દીનું આધારકાર્ડ, તેનો કોરોના પોઝિટિવ હોવાનો આરટીપીસીઆર, સીટીસ્કેન કે આરએટી રિપોર્ટ, રેમડેસિવર ઇન્જેક્શન ભલામણ કરનાર એમ.ડી. ડોક્ટરનું પ્રિસ્કીપ્શન એટલા દસ્તાવેજો વોટ્સએપ નંબર 08200140854 અને 09824953953 પર વોટ્સએપના માધ્યમથી મોકલ્યા બાદ અથવા કન્ટ્રોલ રૂમના 02673-239055 અને 7567895504 નંબર પર ફોન કરી જરૂરી માહિતી પુરી પાડ્યા બાદ, આ તમામ ડોક્યુમેન્ટ ચકાસીને માત્ર ડોક્ટરોને જ રેમડેસિવર ઇન્જેક્શન પુરા પાડવામાં આવશે. આ માટે તમામ ડોક્ટરોએ તેમના એક માણસને રેમડેસિવર ઇન્જેક્શન લેવા માટે અધિકૃત કરવાના રહેશે અને ડોક્ટરોના અધિકૃત પ્રતિનિધિને હેલ્પલાઇનમાંથી સુચના મળ્યે રેમડેસિવર ઇન્જેક્શન મેળવી લેવાના રહેશે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24