Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

  • લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની ટુટેલી રેલિંગના સમાચાર પ્રસિદ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ
  • નાળાની ટુટેલી રેલિંગના સમારકામ તાત્કાલિક શરૂ કરાતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.21
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ અડધી તૂટેલી હાલતમાં હોવાનો અહેવાલ પંચાયત સમાચાર24 દ્વારા તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિદ્ધ કરવામા આવ્યા હતો, જે અહેવાલ બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આળસ ખંખેરી તૂટેલી નાળાની રેલીંગના સમારકામ ની કામગીરી શરુ કરવામા આવતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ હોવાના કારણે કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધી ગઈ હતી, આ રસ્તો સતત વાહનવ્યવહારથી ધમધમતો રસ્તો છે. આ રોડ પર ગોધરા – અમદાવાદ- વડોદરા જેવા મોટા શહેરો માથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતા વાહનો માટે મુખ્ય માર્ગ છે, જેના કારણે આ રોડ પર વાહનવ્યવહાર સતત વધ્યો છે, જેના કારણે નાળાની રેલિંગ નુ સમારકામ તાત્કાલિક કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા હતા, પરંતુ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ આ નાળાની રેલિંગ ને સમારકામ કરવામા કોઈ રસ દાખવ્યો ન હતો, જેને લઈને પંચાયત સમાચાર24 દ્વારા અધિકારીઓની બેદરકારી મામલે સમગ્ર અહેવાલ તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામા આવ્યો હતો, જે અહેવાલ ના પગલે માર્ગ અને મકાન વિભાગ સફાળુ જગ્યુ હતુ અને લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગના સમારકામની કામગીરી શરુ કરી હતી. નાળાના રેલિંગ નૂ સમારકામ થતા વાહન ચાલકો સહીત સ્થાનિકોમા ખુશી જોવા મળી હતી.
મયુર રાઠોડ
મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમા વાંદરીયા પુર્વ પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો: સગીર વયના એક આરોપી સહિત છ આરોપીઓની ચોરીના મુદામાલ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24

લીમખેડા માં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનુ સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું : શુક્ર-શનિ-રવિ બજારો સજ્જડ બંધ રહેશે

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું: દાહોદ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત: રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે ઉચ્ચક દંડ વસુલાશે: ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24