Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

  • લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની ટુટેલી રેલિંગના સમાચાર પ્રસિદ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ
  • નાળાની ટુટેલી રેલિંગના સમારકામ તાત્કાલિક શરૂ કરાતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.21
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ અડધી તૂટેલી હાલતમાં હોવાનો અહેવાલ પંચાયત સમાચાર24 દ્વારા તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિદ્ધ કરવામા આવ્યા હતો, જે અહેવાલ બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આળસ ખંખેરી તૂટેલી નાળાની રેલીંગના સમારકામ ની કામગીરી શરુ કરવામા આવતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ હોવાના કારણે કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધી ગઈ હતી, આ રસ્તો સતત વાહનવ્યવહારથી ધમધમતો રસ્તો છે. આ રોડ પર ગોધરા – અમદાવાદ- વડોદરા જેવા મોટા શહેરો માથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતા વાહનો માટે મુખ્ય માર્ગ છે, જેના કારણે આ રોડ પર વાહનવ્યવહાર સતત વધ્યો છે, જેના કારણે નાળાની રેલિંગ નુ સમારકામ તાત્કાલિક કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા હતા, પરંતુ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ આ નાળાની રેલિંગ ને સમારકામ કરવામા કોઈ રસ દાખવ્યો ન હતો, જેને લઈને પંચાયત સમાચાર24 દ્વારા અધિકારીઓની બેદરકારી મામલે સમગ્ર અહેવાલ તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામા આવ્યો હતો, જે અહેવાલ ના પગલે માર્ગ અને મકાન વિભાગ સફાળુ જગ્યુ હતુ અને લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગના સમારકામની કામગીરી શરુ કરી હતી. નાળાના રેલિંગ નૂ સમારકામ થતા વાહન ચાલકો સહીત સ્થાનિકોમા ખુશી જોવા મળી હતી.
મયુર રાઠોડ
મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24