Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

  • લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની ટુટેલી રેલિંગના સમાચાર પ્રસિદ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ
  • નાળાની ટુટેલી રેલિંગના સમારકામ તાત્કાલિક શરૂ કરાતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.21
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ અડધી તૂટેલી હાલતમાં હોવાનો અહેવાલ પંચાયત સમાચાર24 દ્વારા તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિદ્ધ કરવામા આવ્યા હતો, જે અહેવાલ બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આળસ ખંખેરી તૂટેલી નાળાની રેલીંગના સમારકામ ની કામગીરી શરુ કરવામા આવતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ હોવાના કારણે કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધી ગઈ હતી, આ રસ્તો સતત વાહનવ્યવહારથી ધમધમતો રસ્તો છે. આ રોડ પર ગોધરા – અમદાવાદ- વડોદરા જેવા મોટા શહેરો માથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતા વાહનો માટે મુખ્ય માર્ગ છે, જેના કારણે આ રોડ પર વાહનવ્યવહાર સતત વધ્યો છે, જેના કારણે નાળાની રેલિંગ નુ સમારકામ તાત્કાલિક કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા હતા, પરંતુ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ આ નાળાની રેલિંગ ને સમારકામ કરવામા કોઈ રસ દાખવ્યો ન હતો, જેને લઈને પંચાયત સમાચાર24 દ્વારા અધિકારીઓની બેદરકારી મામલે સમગ્ર અહેવાલ તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામા આવ્યો હતો, જે અહેવાલ ના પગલે માર્ગ અને મકાન વિભાગ સફાળુ જગ્યુ હતુ અને લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગના સમારકામની કામગીરી શરુ કરી હતી. નાળાના રેલિંગ નૂ સમારકામ થતા વાહન ચાલકો સહીત સ્થાનિકોમા ખુશી જોવા મળી હતી.
મયુર રાઠોડ
મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર: કેનેડિયન ગાયક શુભનીતસિંહનો “બુક માય શો” દ્વારા રદ કરવામાં આવ્યો

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24