Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારફતેપુરા

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

  • PSI, ASI અને કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકો અપાયા
  • ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ તમામ ઉમેદવારોને અપાશે પુસ્તકો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.11
દાહોદ જિલ્લા પંચાયત ની સલરા બેઠકના જિલ્લા સભ્ય શ્રીમતી શાંતાબેન મુકેશભાઈ પારગી દ્વારા હાલ માં યોજાયેલ પોલીસ વિભાગની વિવિધ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં જે લોકોએ ફિઝિકલ ટેસ્ટ એટલે કે ગ્રાઉન્ડ પાસ કર્યું હોય તેવા દાહોદ જિલ્લા પંચાયતની સલરા બેઠક વિસ્તાર ના વિદ્યાર્થીઓને આવનાર લેખિત પરીક્ષાઓ માં પુરતુ માર્ગદર્શન મળી રહે અને પરીક્ષામા ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે, અને સમાજનુ નામ રોશન કરે તેવા હેતુસર આવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે જરૂરિયાત મુજબના તમામ પુસ્તકો નો શેટ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે, સલરા બેઠકના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શાંતાબેન મુકેશભાઈ પારગી ની આ ઉમદા કામગીરી ને લોકોએ પણ બિરદાવી હતી, અને ભવિષ્યમાં પણ આ જ પ્રકારે સમાજની સેવા કરતા રહે તેવી અપેક્ષા પણ લોકોએ વ્યક્ત કરી હતી.
સલરા જીલ્લા પંચાયત સીટ મા સમાવિષ્ટ વિસ્તાર માંથી પોલીસ વિભાગ ની પી.એસ.આઇ, એ.એસ.આઇ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારોએ પરીક્ષા લગતા પુસ્તકોને સેટ વિના મુલ્યે મેળવવા માટે ફીઝીકલ ટેસ્પાટ પાસ કરેલો સિક્કો મારેલ કોલ લેટર લઈને આવવાનું રહેશે.
જે વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષાલક્ષી સાહિત્ય માટે લાભ લેવા માગતા હોય તેઓ અગાઉથી પોતાનું નામ અને નંબર નીચે આપેલા નંબર પર લખવાનો રહેશે.
મુકેશભાઈ (ઉર્ફે ટીનો) :9512927777

સંબંધિત પોસ્ટ

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24