Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

  • કોરોના સંક્રમણ ના શુક્રવારે 27 અને શનિવારે 45 પોઝિટીવ કેસ નોંધાયા
  • સૌથી વધુ દાહોદ શહેર ના 45 પોઝિટીવ કેસ સામે આવ્યા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.15
સમગ્ર દાહોદ જીલ્લા સહિત શહેર મા જાન્યુઆરી મહિનામા કોરોના સંક્રમણ ના કેસો દિવસ દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જાન્યુઆરી ની તારીખ 14 અને 15 એમ બે દિવસમાં જ કોરોના સંક્રમણ ના 72 જેટલા પોઝિટીવ કેસ નોધાયા હતાં. જેમાં સૌથી વધારે દાહોદ શહેર માથી 54 કેસ સામે આવ્યા હતાં. આરોગ્ય વિભાગ તરફથી તારીખ 14મી જાન્યુઆરી ના રોજ 1724 RT-PCR અને 128 રેપીડ ટેસ્ટમાંથી 27 લોકો ના કોરોના સંક્રમણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં દાહોદ શહેર માથી 18 કેસ જ્યારે દાહોદ ગ્રામ્ય માથી 4 કેસ, ઝાલોદ માથી 3 કેસ, દેવગઢ બારીઆ માથી 2 કેસ કોરોના પોઝિટીવ મળી આવ્યા હતાં.
જ્યારે બીજા દિવસે એટલે કે, 15મી જાન્યુઆરીના રોજ 2193 RT-PCR અને 667 રેપીડ ટેસ્ટ કરવામા આવ્યા હતા, જે માંથી 45 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા હતાં. જે પોઝિટીવ કેસો માંથી 36 જેટલા કેસ ફક્ત દાહોદ શહેરના જ હતાં. અને અન્ય પોઝિટીવ કેસો મા  દાહોદ ગ્રામ્ય-1,  ઝાલોદ નગર -1,  ઝાલોદ ગ્રામ્ય-4, લીમખેડા-1, સીંગવડ-1, અને ગરાબાડા-1 કેસ નોધાયો હતો. દાહોદ જિલ્લામાં ધીમી ગતિએ કોરોના સંક્રમણ ના પોઝિટીવ કેસો મા વધારો જોવા મળી રહ્યો છે,  અત્યાર સુધી કુલ – 212 પોઝિટીવ કેસ નોંધાઈ ચુક્ય છે  જેને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24