Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

  • કોરોના સંક્રમણ ના શુક્રવારે 27 અને શનિવારે 45 પોઝિટીવ કેસ નોંધાયા
  • સૌથી વધુ દાહોદ શહેર ના 45 પોઝિટીવ કેસ સામે આવ્યા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.15
સમગ્ર દાહોદ જીલ્લા સહિત શહેર મા જાન્યુઆરી મહિનામા કોરોના સંક્રમણ ના કેસો દિવસ દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જાન્યુઆરી ની તારીખ 14 અને 15 એમ બે દિવસમાં જ કોરોના સંક્રમણ ના 72 જેટલા પોઝિટીવ કેસ નોધાયા હતાં. જેમાં સૌથી વધારે દાહોદ શહેર માથી 54 કેસ સામે આવ્યા હતાં. આરોગ્ય વિભાગ તરફથી તારીખ 14મી જાન્યુઆરી ના રોજ 1724 RT-PCR અને 128 રેપીડ ટેસ્ટમાંથી 27 લોકો ના કોરોના સંક્રમણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં દાહોદ શહેર માથી 18 કેસ જ્યારે દાહોદ ગ્રામ્ય માથી 4 કેસ, ઝાલોદ માથી 3 કેસ, દેવગઢ બારીઆ માથી 2 કેસ કોરોના પોઝિટીવ મળી આવ્યા હતાં.
જ્યારે બીજા દિવસે એટલે કે, 15મી જાન્યુઆરીના રોજ 2193 RT-PCR અને 667 રેપીડ ટેસ્ટ કરવામા આવ્યા હતા, જે માંથી 45 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા હતાં. જે પોઝિટીવ કેસો માંથી 36 જેટલા કેસ ફક્ત દાહોદ શહેરના જ હતાં. અને અન્ય પોઝિટીવ કેસો મા  દાહોદ ગ્રામ્ય-1,  ઝાલોદ નગર -1,  ઝાલોદ ગ્રામ્ય-4, લીમખેડા-1, સીંગવડ-1, અને ગરાબાડા-1 કેસ નોધાયો હતો. દાહોદ જિલ્લામાં ધીમી ગતિએ કોરોના સંક્રમણ ના પોઝિટીવ કેસો મા વધારો જોવા મળી રહ્યો છે,  અત્યાર સુધી કુલ – 212 પોઝિટીવ કેસ નોંધાઈ ચુક્ય છે  જેને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

Panchayat Samachar24

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin