Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

  • રાજ્ય સરકારે લીમખેડા અને સીંગવડ મા 14 નવા ગ્રામીણ રસ્તાઓને આપી મંજુરી
  • માર્ગ-મકાન વિભાગને રુપિયા 8.47 કરોડ ફાળવ્યા
  • Advertisement
  • ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે સરકારમાં કરી હતી રજૂઆતો

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
લીમખેડા વિધાનસભા મતવિસ્તારના ગ્રામીણ રસ્તાઓ માટે સ્થાનિકોએ લીમખેડા ના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરને રજુઆતો કરી હતી, મતવિસ્તાર ના મતદારોની માંગણીઓને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી સમક્ષ રજૂઆત કરી હતી, ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઇ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીમખેડા વિધાનસભા મતવિસ્તાર ના લોકોની સુખાકારી માટે રૂપિયા 8.47 કરોડના ખર્ચે તૈયાર થનાર કુલ 14 પાકા રસ્તાઓને મંજુરી આપવામા આવી છે, જે નવિન મંજુર થયેલ રસ્તાઓ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ ને નાણાંની ફાળવણી પણ કરી દેવામા આવી છે.
રાજય સરકાર દ્વારા લીમખેડા વિધાનસભા વિસ્તાર માટે મંજુર કરેલા નવિન રસ્તાઓની યાદી જોઈએ તો 
નાના હાથીધારા સ્મશાનથી જેતપુર સીમાડા સુધીનો રસ્તો, ફતેપુરા મુખ્ય રસ્તાથી નવા ફળિયા પ્રા.શાળા સુધીનો રસ્તો, ઉસરા ડામર રસ્તાથી લુહાર ફળિયા રોડ, ચિલકોટામાં ગોરાડ ફળિયા એપ્રોચ રસ્તો, દાતિયામાં દાહોદ હાઇવે થી ભીલ ફળીયા પ્રા.શાળા રસ્તો, ખેરિયમાં ગાયત્રી વિદ્યાલય માળ સુધીનો રસ્તો,છાપરવડ ગામતળ તોયણી સીમાડા સુધીનો તથા છાપરવડથી પીપળીયા રંધીપુર સીમાડા સુધીનો રસ્તો, બોરગોટા ડુંગરભીત ફળીય રસ્તો,છાપરવડ થી તોયણી તળાવ રસ્તો તારમી છાપરીથી સુડિયા ખોબરા ફળીય રસ્તો,વાલાગોટા મુખ્ય રસ્તાથી તાલુકા સભ્યના ઘર સુધીનો રસ્તો,માળ ફ.નાની સંજેલી પ્રા.શાળા રસ્તો કુમ્પુર ડુંગરભીત નિશાળ ફળિયા રસ્તો સહિતના કુલ 14 ગ્રામીણ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જે રસ્તાઓની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક હાથ ધરવામા આવશે અને વહેલી તકે આ રસ્તાઓની કામગીરી પુર્ણ કરવામા આવશે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

Panchayat Samachar24