Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

  • રાજ્ય સરકારે લીમખેડા અને સીંગવડ મા 14 નવા ગ્રામીણ રસ્તાઓને આપી મંજુરી
  • માર્ગ-મકાન વિભાગને રુપિયા 8.47 કરોડ ફાળવ્યા
  • Advertisement
  • ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે સરકારમાં કરી હતી રજૂઆતો

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
લીમખેડા વિધાનસભા મતવિસ્તારના ગ્રામીણ રસ્તાઓ માટે સ્થાનિકોએ લીમખેડા ના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરને રજુઆતો કરી હતી, મતવિસ્તાર ના મતદારોની માંગણીઓને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી સમક્ષ રજૂઆત કરી હતી, ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઇ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીમખેડા વિધાનસભા મતવિસ્તાર ના લોકોની સુખાકારી માટે રૂપિયા 8.47 કરોડના ખર્ચે તૈયાર થનાર કુલ 14 પાકા રસ્તાઓને મંજુરી આપવામા આવી છે, જે નવિન મંજુર થયેલ રસ્તાઓ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ ને નાણાંની ફાળવણી પણ કરી દેવામા આવી છે.
રાજય સરકાર દ્વારા લીમખેડા વિધાનસભા વિસ્તાર માટે મંજુર કરેલા નવિન રસ્તાઓની યાદી જોઈએ તો 
નાના હાથીધારા સ્મશાનથી જેતપુર સીમાડા સુધીનો રસ્તો, ફતેપુરા મુખ્ય રસ્તાથી નવા ફળિયા પ્રા.શાળા સુધીનો રસ્તો, ઉસરા ડામર રસ્તાથી લુહાર ફળિયા રોડ, ચિલકોટામાં ગોરાડ ફળિયા એપ્રોચ રસ્તો, દાતિયામાં દાહોદ હાઇવે થી ભીલ ફળીયા પ્રા.શાળા રસ્તો, ખેરિયમાં ગાયત્રી વિદ્યાલય માળ સુધીનો રસ્તો,છાપરવડ ગામતળ તોયણી સીમાડા સુધીનો તથા છાપરવડથી પીપળીયા રંધીપુર સીમાડા સુધીનો રસ્તો, બોરગોટા ડુંગરભીત ફળીય રસ્તો,છાપરવડ થી તોયણી તળાવ રસ્તો તારમી છાપરીથી સુડિયા ખોબરા ફળીય રસ્તો,વાલાગોટા મુખ્ય રસ્તાથી તાલુકા સભ્યના ઘર સુધીનો રસ્તો,માળ ફ.નાની સંજેલી પ્રા.શાળા રસ્તો કુમ્પુર ડુંગરભીત નિશાળ ફળિયા રસ્તો સહિતના કુલ 14 ગ્રામીણ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જે રસ્તાઓની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક હાથ ધરવામા આવશે અને વહેલી તકે આ રસ્તાઓની કામગીરી પુર્ણ કરવામા આવશે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે પરંપરાગત ચાડીયાનો મેળો ભરાયો: ગોળની પોટલી લેવા યુવાનો માર ખાતા ચઢે છે આંબાના ઝાડ પર

Panchayat Samachar24

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગૃહ વિભાગનો સપાટો: એકસાથે 37 IPSની બદલીમાં ગોધરા રેન્જ આઈજી બદલાયા, વિધિ ચૌધરીને સોંપાઈ પંચમહાલની મહત્વની કમાન

Panchayat Samachar24

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

Panchayat Samachar24