Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

  • ગુજરાત મા ત્રીજા મોરચાની તૈયારીઓ શરૂ
  • આપ અને બીટીપી વચ્ચે ગઠબંધન નક્કી
  • Advertisement
  • ૧લી મે ના રોજ કામરેજમાં મહાસંમેલન થશે જાહેરાત
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.22
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીના ભણકારા વાગી રહ્યાં છે, તો બીજી તરફ ગુજરાત માથી ભાજપને સત્તા માથી દુર કરવા વિપક્ષ પણ રણનિતી તૈયાર કરવામા લાગી ગયુ છે, ગુજરાત મા બીટીપીએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્વની બેઠક યોજી ત્રીજા મોરચાની તૈયારીઓનો આરંભ કરી દિધો છે .1 મે ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જીલ્લાના કામરેજ ખાતે આપ અને બિટીપીનું મહાસંમેલન યોજાશે જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે.બિટીપીના સૌરક્ષક ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા , બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા , બહાદુર વસાવા , ચૈતર વસાવા , રાજપીપલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા સહિત મોટી સંખ્યામાં બિટીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .

બિટીપીના સૌરક્ષક ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપે ગુજરાતમાં આટલા વર્ષો શાસન કર્યું પણ એસ.સી , એસટી , ઓબીસી , માયનોરિટીનાં લોકોને કોઈ લાભ આપ્યા નથી .
ભાજપના લોકો સત્તામાં નિષ્ફળ ગયા એટલે લોકોને મનાવવા માટે પીએમ મોદીને ગુજરાતમાં બોલાવી રેલીઓ કરે છે.ભાજપે ગુજરાતમાં એસ.સી , એસટી , ઓબીસી અને માયનોરીટી સાથે જે ખરાબ કૃત્ય કર્યું એ કોઈ દિવસ ભુલાશે નહિ . ભાજપે રામ નવમીના દિવસે હિંદુ – મુસ્લિમો વચ્ચે ઝઘડા કરાવી એક તરફી વોટ લેવા કાવતરું રચ્યું છે.ભાજપે હાલ 811 કરોડના જનતાના રૂપિયે લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે , અગાઉ પણ મફત અનાજના નામે લોકો પાસે વોટ માંગ્યા હતા.ભાજપ અધિકારીઓ , પોલીસ અને લશ્કરને ચઢાવી લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે . આઝાદી પછી અંગ્રેજો ભલે ગયા પણ હજુ પણ દેશ પર 3 ટકા લોકો જ રાજ કરી રહ્યાં છે , અત્યારે દરેક ક્ષેત્રમાં બ્રાહ્મણ સિવાય કોઈ જ નથી.ભાજપ અનામત , સંવિધાનનો વિરોધી છે , ખાનગીકરણથી ગરીબો અને મૂળ જાતિના લોકો મરી રહ્યાં છે.અમને આપ પાર્ટીની વિકાસની ફોર્મ્યુલા અને મફત શિક્ષણ – આરોગ્ય – પાણીની યોજનાથી પ્રભાવિત થઈ ગઠબંધન કરવાના છે.દેશમાં ભાજપ કોંગ્રેસની ભઠ્ઠી ગરમ થઈ ગઈ છે એને ઠંડી પાડવા આપ બિટીપીનું ગઠબંધન કરી 1 મે ના રોજ મોટું સંમેલન કરવાના છે .
બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે આપ પાર્ટી અમારા વિવિધ 14 મુદ્દાઓ સાથે સહમત થઈ છે , જેમાં મફત શિક્ષણ , આરોગ્ય અને પાણી મુખ્ય છે એટલે અમે આપ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.અમારી વિચારધારા આપ પાર્ટી સાથે મળે છે .1 મે ના રોજ બિટીપી અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જાહેરાત કરી મહાસંમેલન યોજીશું , એ મહાસંમેલનમાં અમે નયા ગુજરાતનો સંકલ્પ લઈશું.અમે આપ પાર્ટી સાથે ગઠબંધન મુદ્દે અને અમારા મુદ્દાઓ ચર્ચા કરી છે , સીટોની વહેચણી આગામી સમયમાં નક્કી થશે .
ભાજપે ગુજરાતમાં આટલા વર્ષો શાસન કર્યું પણ એસ.સી , એસટી , ઓબીસી , માયનોરિટીનાં લોકોને કોઈ લાભ આપ્યા નથી .: હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા કરાવી વોટ લેવા કાવતરું કરે છે : સતા માં નિષ્ફળ જતાં વડાપ્રધાનની રેલીઓ કરાવે છે : છોટુ વસાવા

સંબંધિત પોસ્ટ

લીમડી થી ચાકલીયા રોડ પર મલવાસી ગામ નજીક તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હોમગાર્ડ જવાનની કરપીણ હત્યા: ઘટનાને પગલે લીમડી પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ

Panchayat Samachar24

ગુજરાત રાજ્ય મહિલા આયોગે લીમખેડાના Dy.SP ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડથી કર્યા સન્માનિત

Panchayat Samachar24

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની શાળાઓમાં ઓડિટ ટીમનું કૌભાંડ: વર્ગ દીઠ ₹500, નવા શિક્ષકો પાસેથી ₹2000 સુધીની ઉઘરાણી, વિડીયો પણ બન્યો હોવાની ચર્ચાઓ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની કેટલીક બક્ષીપંચ છાત્રાલયોમા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવની ચર્ચાઓ: કેટલીક છાત્રાલયોમા મંજુરીની સંખ્યા કરતા ઓછા વિધાર્થીઓ સાથે ચાલતી હોવાની વ્યાપક બુમો ઉઠી, છાત્રાલયોની તાત્કાલિક તપાસની જરૂરિયાત

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24