Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

  • ગુજરાત મા ત્રીજા મોરચાની તૈયારીઓ શરૂ
  • આપ અને બીટીપી વચ્ચે ગઠબંધન નક્કી
  • Advertisement
  • ૧લી મે ના રોજ કામરેજમાં મહાસંમેલન થશે જાહેરાત
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.22
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીના ભણકારા વાગી રહ્યાં છે, તો બીજી તરફ ગુજરાત માથી ભાજપને સત્તા માથી દુર કરવા વિપક્ષ પણ રણનિતી તૈયાર કરવામા લાગી ગયુ છે, ગુજરાત મા બીટીપીએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્વની બેઠક યોજી ત્રીજા મોરચાની તૈયારીઓનો આરંભ કરી દિધો છે .1 મે ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જીલ્લાના કામરેજ ખાતે આપ અને બિટીપીનું મહાસંમેલન યોજાશે જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે.બિટીપીના સૌરક્ષક ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા , બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા , બહાદુર વસાવા , ચૈતર વસાવા , રાજપીપલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા સહિત મોટી સંખ્યામાં બિટીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .

બિટીપીના સૌરક્ષક ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપે ગુજરાતમાં આટલા વર્ષો શાસન કર્યું પણ એસ.સી , એસટી , ઓબીસી , માયનોરિટીનાં લોકોને કોઈ લાભ આપ્યા નથી .
ભાજપના લોકો સત્તામાં નિષ્ફળ ગયા એટલે લોકોને મનાવવા માટે પીએમ મોદીને ગુજરાતમાં બોલાવી રેલીઓ કરે છે.ભાજપે ગુજરાતમાં એસ.સી , એસટી , ઓબીસી અને માયનોરીટી સાથે જે ખરાબ કૃત્ય કર્યું એ કોઈ દિવસ ભુલાશે નહિ . ભાજપે રામ નવમીના દિવસે હિંદુ – મુસ્લિમો વચ્ચે ઝઘડા કરાવી એક તરફી વોટ લેવા કાવતરું રચ્યું છે.ભાજપે હાલ 811 કરોડના જનતાના રૂપિયે લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે , અગાઉ પણ મફત અનાજના નામે લોકો પાસે વોટ માંગ્યા હતા.ભાજપ અધિકારીઓ , પોલીસ અને લશ્કરને ચઢાવી લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે . આઝાદી પછી અંગ્રેજો ભલે ગયા પણ હજુ પણ દેશ પર 3 ટકા લોકો જ રાજ કરી રહ્યાં છે , અત્યારે દરેક ક્ષેત્રમાં બ્રાહ્મણ સિવાય કોઈ જ નથી.ભાજપ અનામત , સંવિધાનનો વિરોધી છે , ખાનગીકરણથી ગરીબો અને મૂળ જાતિના લોકો મરી રહ્યાં છે.અમને આપ પાર્ટીની વિકાસની ફોર્મ્યુલા અને મફત શિક્ષણ – આરોગ્ય – પાણીની યોજનાથી પ્રભાવિત થઈ ગઠબંધન કરવાના છે.દેશમાં ભાજપ કોંગ્રેસની ભઠ્ઠી ગરમ થઈ ગઈ છે એને ઠંડી પાડવા આપ બિટીપીનું ગઠબંધન કરી 1 મે ના રોજ મોટું સંમેલન કરવાના છે .
બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે આપ પાર્ટી અમારા વિવિધ 14 મુદ્દાઓ સાથે સહમત થઈ છે , જેમાં મફત શિક્ષણ , આરોગ્ય અને પાણી મુખ્ય છે એટલે અમે આપ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.અમારી વિચારધારા આપ પાર્ટી સાથે મળે છે .1 મે ના રોજ બિટીપી અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જાહેરાત કરી મહાસંમેલન યોજીશું , એ મહાસંમેલનમાં અમે નયા ગુજરાતનો સંકલ્પ લઈશું.અમે આપ પાર્ટી સાથે ગઠબંધન મુદ્દે અને અમારા મુદ્દાઓ ચર્ચા કરી છે , સીટોની વહેચણી આગામી સમયમાં નક્કી થશે .
ભાજપે ગુજરાતમાં આટલા વર્ષો શાસન કર્યું પણ એસ.સી , એસટી , ઓબીસી , માયનોરિટીનાં લોકોને કોઈ લાભ આપ્યા નથી .: હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા કરાવી વોટ લેવા કાવતરું કરે છે : સતા માં નિષ્ફળ જતાં વડાપ્રધાનની રેલીઓ કરાવે છે : છોટુ વસાવા

સંબંધિત પોસ્ટ

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24