Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

  • ગુજરાત મા ત્રીજા મોરચાની તૈયારીઓ શરૂ
  • આપ અને બીટીપી વચ્ચે ગઠબંધન નક્કી
  • Advertisement
  • ૧લી મે ના રોજ કામરેજમાં મહાસંમેલન થશે જાહેરાત
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.22
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીના ભણકારા વાગી રહ્યાં છે, તો બીજી તરફ ગુજરાત માથી ભાજપને સત્તા માથી દુર કરવા વિપક્ષ પણ રણનિતી તૈયાર કરવામા લાગી ગયુ છે, ગુજરાત મા બીટીપીએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્વની બેઠક યોજી ત્રીજા મોરચાની તૈયારીઓનો આરંભ કરી દિધો છે .1 મે ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જીલ્લાના કામરેજ ખાતે આપ અને બિટીપીનું મહાસંમેલન યોજાશે જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે.બિટીપીના સૌરક્ષક ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા , બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા , બહાદુર વસાવા , ચૈતર વસાવા , રાજપીપલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા સહિત મોટી સંખ્યામાં બિટીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .

બિટીપીના સૌરક્ષક ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપે ગુજરાતમાં આટલા વર્ષો શાસન કર્યું પણ એસ.સી , એસટી , ઓબીસી , માયનોરિટીનાં લોકોને કોઈ લાભ આપ્યા નથી .
ભાજપના લોકો સત્તામાં નિષ્ફળ ગયા એટલે લોકોને મનાવવા માટે પીએમ મોદીને ગુજરાતમાં બોલાવી રેલીઓ કરે છે.ભાજપે ગુજરાતમાં એસ.સી , એસટી , ઓબીસી અને માયનોરીટી સાથે જે ખરાબ કૃત્ય કર્યું એ કોઈ દિવસ ભુલાશે નહિ . ભાજપે રામ નવમીના દિવસે હિંદુ – મુસ્લિમો વચ્ચે ઝઘડા કરાવી એક તરફી વોટ લેવા કાવતરું રચ્યું છે.ભાજપે હાલ 811 કરોડના જનતાના રૂપિયે લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે , અગાઉ પણ મફત અનાજના નામે લોકો પાસે વોટ માંગ્યા હતા.ભાજપ અધિકારીઓ , પોલીસ અને લશ્કરને ચઢાવી લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે . આઝાદી પછી અંગ્રેજો ભલે ગયા પણ હજુ પણ દેશ પર 3 ટકા લોકો જ રાજ કરી રહ્યાં છે , અત્યારે દરેક ક્ષેત્રમાં બ્રાહ્મણ સિવાય કોઈ જ નથી.ભાજપ અનામત , સંવિધાનનો વિરોધી છે , ખાનગીકરણથી ગરીબો અને મૂળ જાતિના લોકો મરી રહ્યાં છે.અમને આપ પાર્ટીની વિકાસની ફોર્મ્યુલા અને મફત શિક્ષણ – આરોગ્ય – પાણીની યોજનાથી પ્રભાવિત થઈ ગઠબંધન કરવાના છે.દેશમાં ભાજપ કોંગ્રેસની ભઠ્ઠી ગરમ થઈ ગઈ છે એને ઠંડી પાડવા આપ બિટીપીનું ગઠબંધન કરી 1 મે ના રોજ મોટું સંમેલન કરવાના છે .
બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે આપ પાર્ટી અમારા વિવિધ 14 મુદ્દાઓ સાથે સહમત થઈ છે , જેમાં મફત શિક્ષણ , આરોગ્ય અને પાણી મુખ્ય છે એટલે અમે આપ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.અમારી વિચારધારા આપ પાર્ટી સાથે મળે છે .1 મે ના રોજ બિટીપી અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જાહેરાત કરી મહાસંમેલન યોજીશું , એ મહાસંમેલનમાં અમે નયા ગુજરાતનો સંકલ્પ લઈશું.અમે આપ પાર્ટી સાથે ગઠબંધન મુદ્દે અને અમારા મુદ્દાઓ ચર્ચા કરી છે , સીટોની વહેચણી આગામી સમયમાં નક્કી થશે .
ભાજપે ગુજરાતમાં આટલા વર્ષો શાસન કર્યું પણ એસ.સી , એસટી , ઓબીસી , માયનોરિટીનાં લોકોને કોઈ લાભ આપ્યા નથી .: હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા કરાવી વોટ લેવા કાવતરું કરે છે : સતા માં નિષ્ફળ જતાં વડાપ્રધાનની રેલીઓ કરાવે છે : છોટુ વસાવા

સંબંધિત પોસ્ટ

લીમખેડા ગ્રામ પંચાયત ચૂંટણી: નિરસતા વચ્ચે રસપ્રદ બનશે ચૂંટણી, પ્રજાપતિ-ભરવાડ સમાજની ચાલ પર સૌની નજર: ગ્રામજનોમાં ઉત્સાહનો અભાવ, સરપંચના ઉમેદવારોને વોર્ડ સભ્યો શોધવામાં મુશ્કેલી, 22 જૂને મતદાન

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24