Panchayat Samachar24
Breaking News
ગરબાડાતાજા સમાચાર

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
સુન્ની વક્ફ બોર્ડે ગુજરાતના ભગવાન કૃષ્ણના શહેર દ્વારકામાં આવેલા બેટ દ્વારકાના બે ટાપુઓ પર દાવો કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તમે કૃષ્ણ શહેર પર દાવો કેવી રીતે કરી શકો. આવો મામલો ગુજરાત હાઈકોર્ટના જજ સંગીતા વિષેનની કોર્ટમાં પહોંચ્યો હતો. જે સાંભળીને તેઓ પોતે પણ ચોંકી ગયા. સુન્ની વક્ફ બોર્ડે દેવભૂમિ દ્વારકામાં સ્થિત બેટ દ્વારકાના બે ટાપુઓ પર દાવો કર્યો છે. ન્યાયાધીશે અરજદારને કહ્યું કે તમે શું વાત કરો છો. ભગવાન કૃષ્ણના શહેર પર તમારો અધિકાર કેવી રીતે હોઈ શકે? ન્યાયાધીશે આ અરજી પણ ફગાવી દીધી હતી. બેટ દ્વારકામાં લગભગ આઠ ટાપુઓ છે, જેમાંથી ભગવાન કૃષ્ણના બે મંદિરો બંધાયેલા છે.
પ્રાચીન કથાઓ કહે છે કે ભગવાન કૃષ્ણની પૂજા કરતી વખતે, મીરાબાઈ અહીં તેમની મૂર્તિમાં સમાઈ ગયા હતા. બેટ દ્વારકાના આ બે ટાપુઓ પર લગભગ 7000 પરિવારો રહે છે, જેમાંથી લગભગ 6000 પરિવારો મુસ્લિમ છે. વકફ બોર્ડ આના આધારે આ બે ટાપુઓ પર પોતાનો દાવો કરે છે, પરંતુ કોર્ટમાં તેની કાર્યવાહી પર આશ્ચર્ય વ્યક્ત કરીને તેમના દાવાને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે અરજીમાં સુધારો કરીને ફરીથી દાખલ કરવામાં આવે તેમ જણાવ્યુ હતુ.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

Panchayat Samachar24

ગાંધીનગરથી ઝડપાયો નકલી કલેક્ટર: પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24