Panchayat Samachar24
Breaking News
ગરબાડાતાજા સમાચાર

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
સુન્ની વક્ફ બોર્ડે ગુજરાતના ભગવાન કૃષ્ણના શહેર દ્વારકામાં આવેલા બેટ દ્વારકાના બે ટાપુઓ પર દાવો કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તમે કૃષ્ણ શહેર પર દાવો કેવી રીતે કરી શકો. આવો મામલો ગુજરાત હાઈકોર્ટના જજ સંગીતા વિષેનની કોર્ટમાં પહોંચ્યો હતો. જે સાંભળીને તેઓ પોતે પણ ચોંકી ગયા. સુન્ની વક્ફ બોર્ડે દેવભૂમિ દ્વારકામાં સ્થિત બેટ દ્વારકાના બે ટાપુઓ પર દાવો કર્યો છે. ન્યાયાધીશે અરજદારને કહ્યું કે તમે શું વાત કરો છો. ભગવાન કૃષ્ણના શહેર પર તમારો અધિકાર કેવી રીતે હોઈ શકે? ન્યાયાધીશે આ અરજી પણ ફગાવી દીધી હતી. બેટ દ્વારકામાં લગભગ આઠ ટાપુઓ છે, જેમાંથી ભગવાન કૃષ્ણના બે મંદિરો બંધાયેલા છે.
પ્રાચીન કથાઓ કહે છે કે ભગવાન કૃષ્ણની પૂજા કરતી વખતે, મીરાબાઈ અહીં તેમની મૂર્તિમાં સમાઈ ગયા હતા. બેટ દ્વારકાના આ બે ટાપુઓ પર લગભગ 7000 પરિવારો રહે છે, જેમાંથી લગભગ 6000 પરિવારો મુસ્લિમ છે. વકફ બોર્ડ આના આધારે આ બે ટાપુઓ પર પોતાનો દાવો કરે છે, પરંતુ કોર્ટમાં તેની કાર્યવાહી પર આશ્ચર્ય વ્યક્ત કરીને તેમના દાવાને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે અરજીમાં સુધારો કરીને ફરીથી દાખલ કરવામાં આવે તેમ જણાવ્યુ હતુ.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

Panchayat Samachar24

ફતેપુરાની બેન્ક ઓફ બરોડાની બહાર લાગી લાંબી લાઈનો: કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24