Panchayat Samachar24
Breaking News
ગરબાડાતાજા સમાચાર

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
સુન્ની વક્ફ બોર્ડે ગુજરાતના ભગવાન કૃષ્ણના શહેર દ્વારકામાં આવેલા બેટ દ્વારકાના બે ટાપુઓ પર દાવો કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તમે કૃષ્ણ શહેર પર દાવો કેવી રીતે કરી શકો. આવો મામલો ગુજરાત હાઈકોર્ટના જજ સંગીતા વિષેનની કોર્ટમાં પહોંચ્યો હતો. જે સાંભળીને તેઓ પોતે પણ ચોંકી ગયા. સુન્ની વક્ફ બોર્ડે દેવભૂમિ દ્વારકામાં સ્થિત બેટ દ્વારકાના બે ટાપુઓ પર દાવો કર્યો છે. ન્યાયાધીશે અરજદારને કહ્યું કે તમે શું વાત કરો છો. ભગવાન કૃષ્ણના શહેર પર તમારો અધિકાર કેવી રીતે હોઈ શકે? ન્યાયાધીશે આ અરજી પણ ફગાવી દીધી હતી. બેટ દ્વારકામાં લગભગ આઠ ટાપુઓ છે, જેમાંથી ભગવાન કૃષ્ણના બે મંદિરો બંધાયેલા છે.
પ્રાચીન કથાઓ કહે છે કે ભગવાન કૃષ્ણની પૂજા કરતી વખતે, મીરાબાઈ અહીં તેમની મૂર્તિમાં સમાઈ ગયા હતા. બેટ દ્વારકાના આ બે ટાપુઓ પર લગભગ 7000 પરિવારો રહે છે, જેમાંથી લગભગ 6000 પરિવારો મુસ્લિમ છે. વકફ બોર્ડ આના આધારે આ બે ટાપુઓ પર પોતાનો દાવો કરે છે, પરંતુ કોર્ટમાં તેની કાર્યવાહી પર આશ્ચર્ય વ્યક્ત કરીને તેમના દાવાને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે અરજીમાં સુધારો કરીને ફરીથી દાખલ કરવામાં આવે તેમ જણાવ્યુ હતુ.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24

સીંગવડમાં CMની ગાડીમાં સ્નેહલ ધરીયાની સવારીથી ગરમાવો: હેલિપેડથી સભા સ્થળ સુધી પ્રમુખ સતત મુખ્યમંત્રીની પડખે રહેતા મંત્રીઓ અને ધારાસભ્યોમાં પણ ભારે કુતૂહલ સાથે અટકળો તેજ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24