Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

ફતેપુરા નગર સહિત તાલુકામા સરકારી પડતર, ખરાબા તેમજ ગૌચરની જમીનનો આવેલી છે. જે સરકારી જમીનની જાળવણી કરવાની જવાબદારી તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી ની સંયુક્ત હોય છે, તલાટી કમ મંત્રીએ ગામની મુલાકાત દરમિયાન ગામના સરકારી સર્વે નંબરો ચકાસણી કરવાની હોય છે અને તેમાં જો કોઈ વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર પ્રવેશ કે દબાણ કરવામાં આવતું હોય તો તેને તાત્કાલિક આટકાવવાનુ હોય છે અને તેની જાણ તાલુકાના અધિકારીઓને કરવાની હોય છે તેમ છતાં ફતેપુરા તાલુકામાં સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ કોઈપણ પ્રકારની લોક વગર સરકારી જમીનો ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે તંત્રની નજર સમક્ષ સરકારી જમીન ઉપર ધોળા દિવસે બાંધકામ ચાલતા હોવા છતાં સરકારી તંત્ર દ્વારા દબાણ થતું અટકાવવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે ફતેપુરા નગર સહિત તાલુકામાં સરકારી જમીન પર દબાણો દિન-પ્રતિદિન પડી રહ્યા છે ત્યારે સરકારી તંત્રની રહેમ નજર આ હું માફિયા ઉપર હોય તેવું લાગી રહ્યું છે, સરકારી જમીન પર દબાણ બાબતે જાગૃત નાગરિકો દ્વારા તાલુકાના અધિકારીઓને લેખિતમાં અનેક અરજીઓ કરવામાં આવે છે પરંતુ તંત્રના અધિકારીઓ અરજી બાબતે કોઈ તપાસ કરવામાં આવતી નથી જેના કારણે સરકારી જમીન પર દબાણ કરતા ભૂમાફિયાઓ ને ખુલ્લો દોર મળી રહ્યો છે, ફતેપુરા નગરના મોટાભાગના સરકારી સર્વે નંબર ની જમીન નો પર હાલમાં બેફામ ગેરકાયદેસર બાંધકામમાં ચાલી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા તંત્રને લેખિત તેમજ મૌખિક અનેક ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં આવા ભૂ માફિયાઓ વિરોધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે તંત્ર સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ફતેપુરા તાલુકામાં ખાસ કરીને ફતેપુરા નગરના જે સરકારી સર્વે નંબરો છે તે સર્વે નંબરોની જમીન પર ગેરકાયદેસર કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલુ તંત્ર ક્યારે જાગશે અને ભૂ માફિયા વિરુદ્ધ ક્યારે કડક કાર્યવાહી કરશે તેના પર સવ નગરજનોની નજર છે.

સંબંધિત પોસ્ટ

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

Panchayat Samachar24

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24