Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

  • ભારત સરકારે 35 જેટલી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો
  • 2 ટ્વિટર એકાઉન્ટ્સ, 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, 2 વેબસાઇટ્સને બ્લોક કરાઈ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.21
ભારત સરકાર ના સૂચના અને પ્રસારણ મંત્રાલયે દેશમાં ઉશ્કેરણી જનક બાબતોના વિડીયો પ્રસારીત કરતી 35 જેટીલી યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિક્રમ સહાયે જણાવ્યું હતું કે, ગઈકાલે 20 જાન્યુઆરીએ મંત્રાલયને મળેલી ગુપ્ત માહિતીના આધારે, અમે 35 યુટ્યુબ ચેનલો, 2 ટ્વિટર એકાઉન્ટ્સ, 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો હુકમ આપ્યો છે. આ તમામ એકાઉન્ટની સામાન્ય વાત એ છે કે તે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે અને ખોટા ભારત વિરોધી સમાચાર અને અન્ય સામગ્રી ફેલાવે છે.
અગાઉ 19 જાન્યુઆરીના રોજ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સરકાર દેશ વિરુદ્ધ તે “ષડયંત્રકારો” પર કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. તેણે કહ્યું હતું કે, ‘મેં તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મને ખુશી છે કે વિશ્વના ઘણા મોટા દેશોએ આ અંગે સંજ્ઞાન લીધું છે. YouTube પણ આગળ આવ્યું અને તેમને બ્લોક કરવાની કાર્યવાહી કરી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે, ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલિત પ્રયાસમાં, 20 YouTube ચેનલો અને બે વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો કારણ કે તેઓ ભારત વિરોધી પ્રચાર અને નકલી સમાચાર ફેલાવી રહ્યા હતા.
મંત્રાલયે કહ્યું હતું કે આ ચેનલોનો ઉપયોગ “કાશ્મીર, ભારતીય સૈન્ય, ભારતમાં લઘુમતી સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે જેવા વિષયો પર વિભાજનકારી સામગ્રી પોસ્ટ કરવા માટે સંકલનપૂર્વક કરવામાં આવી રહ્યો છે”.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

લીમખેડાના ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા

Panchayat Samachar24

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

ગુજરાત રાજયમાં ડ્રગ્સની હેરાફેરી વધતા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1908 જાહેર કરાયો: ફોન કરી આપી શકાશે ડ્રગ્સ માફિયાઓની માહિતી

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24