Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

  • દાહોદ શહેર માં સ્માર્ટસિટી અંતર્ગત ચાલતા મંથરગતિ ના કામોને કારણે શહેરીજનો અનેક સમસ્યાઓ થી ત્રાહિમામ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.02
દાહોદ શહેરમા પ્રવેશતાની સાથે જ સ્માર્ટસિટી દાહોદ માં પ્રવેશ્યા ની અનુભૂતિ થઈ જાય છે, ગોધરા રોડ થી પ્રવેશો કે રળિયાતી રોડ બાજુ થી કે અન્ય કોઈપણ જગ્યાએ થી પ્રવેશો એટલે સ્માર્ટસીટી ના સ્માર્ટ રસ્તાઓ નો બહોળો અનુભવ થઈ જાય છે, વરસાદ ની સિઝન માં પણ ખાડા નગરી માંથી શહેરીજનો ને છુટકારો મેળવવામાં તંત્ર સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે ત્યારે કહેવાતા તંત્ર ના અધિકારીઓ કે પાલિકાના સત્તાધીશો એકબીજા પર દોષ નો ટોપલો રેડી રહ્યા છે, પાલિકા ના સત્તાધીશો કહે છે કે, સ્માર્ટસિટી અંતર્ગત ચાલતા કામોમાં પાલિકા ની કોઈ જવાબદારી નથી, તો બીજી તરફ સ્માર્ટસિટી અંતર્ગત ચાલતા કામોની સીધી દેખરેખ જીલ્લા સમહર્તા કરતા હોય છે, અને સ્માર્ટસિટી કમિટી ના અધ્યક્ષ પણ જીલ્લા સમાહર્તા જ છે, અહીંયા પ્રશ્ન હવે એ છે કે ચૂંટણી ટાણે નગરસેવકો દ્વારા પ્રજા ની વચ્ચે જઈને અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે જે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પુરા થયા નથી, અને જો કોઈ પ્રજાજન પાલિકા ના સત્તાધીશો ને રજુઆત કરવા જાય તો એકજ જવાબ મળે છે કે સ્માર્ટસિટી ના કામોમાં પાલિકા ને કોઈજ લેવા દેવા નથી, જેથી હવે શહેરીજનો ની પરિસ્થિતિ એવી છે કે જાએ તો જાએ કહાં નગરપાલિકા દાહોદ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નિવડી ગ છે, જે શહેરીજનો સારી રીતે જાણે જ છે, પરંતુ પોતાની નૈતિક જવાબદારી પૂર્ણ કરવામાં પણ પાલિકા દાહોદ ઉણી ઉતરી છે, એક તરફ રોડ ઉપર ખાડાઓ નું સામ્રાજ્ય બીજી તરફ ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાના કારણે ખાબોચિયા થઈ જતા મચ્છરોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે શહેરમાં રોગ ચાળો ફાટી નીકળ્યો છે, ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો ના ખાટલા ઘરે ઘરે જોવા મળે છે, ઊડતી ધૂળ ના કારણે લોકો વાયરલ ની બીમારી થી પણ પીડિત છે તેમ છતાંય પાલિકા તંત્ર દ્વારા દવા નો છટકાવ કે ફોગીંગ નામ માત્ર નું કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ રસ્તે રખડતા ઢોરો એ પણ માઝા મૂકી છે શહેર ના ટ્રાફિક થી ધમધમતા મુખ્ય માર્ગો પર અડીંગો જમાવી ને બેઠેલા ઢોરો ના કારણે અનેકવાર અકસ્માતો સર્જાઈ ચુક્યા છે અને લોકો ને શારીરિક તેમજ આર્થિક નુકશાન વેઠવાનો વારો પણ આવ્યો છે તો એ બાબતે પણ પાલિકા પોતાની જવાબદારી નિભાવી શકી નથી, અને રસ્તાઓ પર ઢોરો રખડે તો પાલિકા શુ કરે તેવા ઉડાઉ જવાબો આપી ને પોતાની જવાબદારી માંથી છટકી જાય છે, ગંદકી હોય કે ગટરો હોય કે પ્રાથમિક પાણી ની સુવિધા હોય તમામ ક્ષેત્રે નગર પાલિકા દાહોદ નું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે હવે તો પ્રજા પણ પૂછે છે કે પ્રાથમિક સુવિધાઓ પણ પુરી ના પાડનાર દાહોદ નગરપાલિકા ની જવાબદારી શુ માત્ર ચૂંટણી ટાણે જોવાતા નેતાઓ અને કાર્યક્રમો માં જોવાતા નેતાઓ માત્ર શોભાના ગાઢિયા જ છે ત્યારે કુંભ કર્ણ ની નિંદ્રા માં પોઢેલ તંત્ર શહેરીજનો ની સુખાકારી માટે યોગ્ય પગલાં લે તે જરૂરી છે.
***********************************
સ્માર્ટસીટી અંતર્ગત શહેરમા રોપવામા આવેલ વૃક્ષોની હાલ ની સ્થિતિ શુ છે? તેમજ વૃક્ષો રોપવા પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કરવામા આવેલ છે? કેટલા વૃક્ષો રોપવામાં આવ્યા અને હાલ આ રોપઓ ની જાળવણી કઈ રીતે કરાય છે? તેનો વિશેષ અહેવાલ ટૂંક સમયમાં જનતા સમક્ષ મુકીશુ…

આપ જોડાયેલા રહો… પંચાયત સમાચાર24 સાથે…

Advertisement

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

Panchayat Samachar24

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

Panchayat Samachar24

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

Panchayat Samachar24

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24