Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત: એમ.જે.સોલંકી એજન્સી દ્વારા પગાર મામલે હાથ ઉંચા કરતા કર્મચારીના જીવ તાળવે ચોટ્યા

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓને બે મહિનાથી પગાર નહીં ચૂકવવામાં આવતા કર્મચારીઓની હાલત કફોડી
ડેસ્ક પંચાયત સમાચાર24,તા.06
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ એજન્સી મારફતે ફરજ કર્મચારીઓને એજન્સી દ્વારા છેલ્લા બે મહિનાથી પગારની ચૂકવણી કરવામાં આવી નથી જેમાં આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર તેમજ પટાવાળા સહીત ના અંદાજીત ૪૦૦ જેટલા કર્મચારીઓને બે મહિનાથી પગાર નહિ મળતા આ કારમી મોઘવારીમા પરીવારનુ ગુજરાન ચાવવુ મુશ્કેલ બન્યુ છે, આરોગ્ય વિભાગ ના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી આજદિન સુધી કરવામા આવી નથી, આઉટસોસિંગ કોન્ટ્રાક્ટ એજન્સી એમ.જે.સોલંકી દ્વારા પણ કર્મચારીઓને ઉડાઉ જવાબ આપવામા આવે છે, એજન્સી દ્વારા પગાર બાબતે હાથ ઉંચા કરી દેતા કર્મચારીઓની મુંઝવણ મા વધારો થયો છે, એજન્સી પગાર બાબતે જવાબદારી લેવા માટે તૈયાર નથી, આ આરોગ્ય વિભાગ ના આઉટસોર્સિંગ કર્મચારીઓએ પણ કોરોનાની મહામારીમા રાત દિવસ ખુબ જ નજીવા વેતનમાં પોતાના જીવનની ચિંતા કર્યા વગર ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી છે, ત્યારે હવે આઉટસોર્સિંગ કર્મચારીઓ પગાર માંગે તો કોની પાસે માગે તે પણ એક યક્ષ પ્રશ્ન બની ગયો છે, અધિકારીઓ દ્વારા એજન્સી ના માથે ખો આપવામા આવે છે, અને એજન્સી અધિકારીઓને ખો આપી રહી છે, અધિકારીઓ અને એજન્સીની ખો-ખો ની રમતથી આરોગ્ય વિભાગ ના આઉટસોર્સિંગ કર્મચારીઓની હાલત કફોડી બની છે ત્યારે રાજ્ય સરકાર આ બાબતે યોગ્ય પગલા લઈ કર્મચારીઓને પગાર મળે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરુરી બન્યુ છે.

સંબંધિત પોસ્ટ

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

હવે 2000 રૂપિયાની નોટ 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે: રિઝર્વ બેંકે મુદ્દતમા કર્યો વધારો

Panchayat Samachar24

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24

ફતેપુરામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય…ગ્રામજનો ત્રાહિમામ…ગ્રામ પંચાયત તંત્ર નિદ્રાધીન

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું: દાહોદ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!