Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ભૂ-માફીયાઓ વિરુદ્ધ ની સરકારની મુહીમને ઘોળીને પી જતુ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર: ફતેપુરાની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર નહિ કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

  • સ્થાનિક ગ્રામજનોએ ગેરકાયદેસર થતુ દબાણ અટકાવવા અનેક વખત રજુઆત કરવા છતા સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યુ
  • સ્થાનીક વહીવટીતંત્રની મીલીભગતથી ફતેપુરાની સરકારી જમીનો પચાવી પાડવાનુ મસમોટુ કૌભાંડ આચરાયા હોવાના આક્ષેપો
  • Advertisement
  • સ્થાનિક ગ્રામજનોએ રાજ્ય સરકાર સુધી રજુઆત કરતા આખરે તંત્ર હરકત મા આવ્યુ
  • ફતેપુરાના બે ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.18 
ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેલ સરકારી મામલતદાર કચેરી હસ્તક ની જમીન રે. સ. નં.૩૩૪(જૂનો ૧૩૫/૨) વાળી કરોડો રુપીયાની કિંમતની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી મસમોટુ શોપિંગનુ ગેરકાયદેસર બાંધકામ કરનાર ફતેપુરા નગરના ભૂ-માફિયાઓ વસંતલાલ નાનાલાલ કલાલ અને પંકજ વસંતલાલ કલાલ વિરૂદ્ધ ફતેપુરા મામલતદારે લેન્ડ ગ્રેબિગ એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોધાવતા ભૂમાફિયાઓ મા ફફડાટ ફેલાયો હતો.
ગુજરાતમાં જમીનો પર ગેરકાયદેસર કબજાની અનેક ફરિયાદો રાજ્ય સરકારને મળતાં રાજ્ય સરકાર દ્વારા આવા ભૂ-માફીયાઓને કાબુમા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિગ એક્ટ નો નવો ખરડો વિધાનસભામાં પસાર કરી કડક કાયદો અમલમાં મૂક્યો છે, જેના અનુસંધાને સરકારને અનેક ભૂમાફિયાઓ ઉપર કાબૂ કરવામાં સફળતા મળી હતી.
જોકે સમગ્ર ગુજરાતમાં ના બન્યો હોય એવો બનાવ દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં નોંધાયો છે, જેમાં સરકારી જમીન પર કબજો કરતા કબજેદારો સામે પોતે સરકાર જ ફરિયાદી બની છે, આશ્ચર્યની બાબતતો એ છે કે, આ સમગ્ર ઘટનામાં કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવા આવી છે, તેની સામે ફતેપુરાના જાગૃત ગ્રામજનોએ બાયો ચડાવી હતી,  અને સરકારી જમીન પર જે શોપિંગ સેન્ટર બનાવવામાં આવી રહ્યું હતુ તેને રોકવા સ્થાનિક, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ફતેપુરા ગ્રામ પંચાયત ને અનેકવાર લેખિત રજૂઆતો કરી હતી, પરંતુ સ્થાનિક અધિકારીઓએ આ સરકારી જમીન પર થતુ દબાણ અટકાવવાને બદલે સરકારી જમીન થતુ બાંધકામ ચાલુ રખાવ્યુ હોવાનો ગ્રામજનોએ અનેકવાર આક્ષેપો કર્યા હતા, ગ્રામજનોએ અનેકવાથ કામગીરી બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભૂમાફિયાઓને સ્થાનિક તંત્ર નો આડકતરી રીતે ભરપુર સહયોગ હોવાના કારણે બાંધકામની કામગીરી ચાલુ રહી હતી,  તેમ છતાં પણ ફતેપુરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આ પ્રકરણમાં ઢાંકપિછોડો કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો, જોકે કહેવાય છે કે અસત્યની સામે સત્યનો વિજય હોય જ છે, જ્યારે વાડ ચીભડા ગલતી હોય તેમ સમગ્ર પ્રકરણમાં જેની સંડોવણી હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે તેવા ફતેપુરા મામલતદાર દ્વારા આજ રોજ ફરિયાદી પક્ષે ફરિયાદી બનીને લેન્ડ ગ્રેબિગ હેઠળ ફતેપુરા ના બે ભૂમાફિયાઓ વસંત કલાલ અને પંકજ કલાલ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિગ એક્ટ મુજબ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવી છે, જે ફરિયાદ ને લઈને સમગ્ર વહીવટીતંત્ર સામે અનેક પ્રશ્નાર્થો ઉભા કરે છે, કારણ કે, એક તરફ ફતેપુરા મામલતદારની નજર સામે જ સરકારી જમીન પર શોપિંગ સેન્ટર બની ગયું છે, અને બીજી તરફ મામલતદાર પોતે આટલું મોટું શોપિંગ સેન્ટર બન્યા છતાં પણ કોઇ કાર્યવાહી નહીં કરી શક્યા અને છેલ્લે પોલીસ ફરિયાદ નોંધી નોંધાવી અને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. સ્થાનિક ગ્રામજનોએ જ્યારે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ થતુ હતુ તે દરમિયાન અનેકવાર મામલતદાર,  ટીડીઓ તેમજ ગામના સરપંચને અનેક રજુઆતો કરી હતી, પરંતુ એકપણ અધિકારીએ ભૂમાફિયાઓ સામે કોઈપણ પ્રકાર કાર્યવાહી નહી કરતા અનેક પ્રશ્નાર્થો ઉભા કરી રહ્યા છે, તો બીજી તરફ લેન્ડ ગ્રેબિગ એક્ટ જે કાયદો છે, એ ખાનગી મિલકત ની સામે કોઈ જો કબજેદાર કે ભૂમાફિયાઓ કબજો કરતા હોય તેઓની સામે જ આ કાયદાનુ શસ્ત્ર ઉગામવામાં આવતુ હોય છે, પરંતુ સરકારી જમીન પર જ્યારે માથાભારે ભૂમાફિયા તત્વો કબજો કરે છે ત્યારે સરકારી અધિકારીઓ પોતે સરકારી જમીન પરનુ દબાણ દુર કરવાના બદલે અધિકારી પોતે ફરિયાદી બનતા અનેક પ્રશ્નાર્થ ઉઠ્યા છે, તો આમ જનતા સામે આવા ભૂમાફિયાઓ કઇ રીતનો નગ્ન નાચ કરતા હશે તે સમજવુ ખુબ જ અઘરુ છે, ત્યારે હવે ફતેપુરાની સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરેલ શોપિંગ સેન્ટર ક્યારે દુર કરવામા આવશે તેના પર સૌ ગ્રામજનો મીટ માંડીને બેઠા છે.

સંબંધિત પોસ્ટ

સ્માર્ટ સીટી દાહોદ ની સામાન્ય વરસાદ માંજ ખુલી પોલ… રેલ્વે અંડર બ્રિજ પાસે ગોદી રોડ પર ટ્રકે યોગ દિવસે પાલિકા ના કાર્યો થી કર્યો યોગ… ટ્રક ફસાતા ટ્રાફિક જામ ના દ્રષ્યો

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત: રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે ઉચ્ચક દંડ વસુલાશે: ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24