Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ LCB પોલીસે છટકું ગોઠવી રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ઈસમને 11 ઈન્જેકશન તથા રુપિયા 75,000 રોકડા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો

દાહોદ જીલ્લાની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેકશનની અછત જોવા મળી રહી છે. આવા કપરાકાળમાં દાહોદમાં રેમડેસિવિર ઈન્જેકશન નો કાળા બજાર કરી વધુ ભાવમાં ઈન્જેકશન વેચતો ઈસમ ઝડપાઇ જતાં ઘણાંની પોલ ખુલી ગઇ છે. પોલીસે આ ઈન્જેકશન નો કાળા બજાર કરતા ઈસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. હવે આ તપાસનો રેલો આગળ ક્યાં સુધી પહોંચશે તે હાલ કહેવું મુશ્કેલ છે.

દાહોદ શહેરની સરકારી ઝાયડસ હોસ્પિટલ સહિત અન્ય ખાનગી હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી. કોરોનાના દર્દીઓને લઇને પરિવારજનો હોસ્પિટલે હોસ્પિટલે ફરી રહ્યા છે. વહીવટી તંત્ર હજી પણ લીપાપોતીમાં વ્સસ્ત છે. કારણ કે રોજ બતાવાતાં પોઝિટિવના આંકડા એક માયાજાળ સમાન બની ગયા છે. રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ હોવાની ગુલબાંગો વચ્ચે ઇન્જેકશન માટે પણ દર્દીઓના સંબંધીઓ હાથમાં નાંણા લઇને પણ વલખાં મારી રહ્યા છે.

બીજી તરફ દાહોદમાં સ્ટેશન રોડ પર આવેલી ક્રિષ્ના ભોજનાલયમાં દાહોદ એલસીબી પોલીસે છટકું ગોઠવીને રેમડેસિવિરના કાળા બજાર થતાં હોવોનો પર્દાફાશ કર્યો છે. જેમાં ગોધરા રોડ પર માં પાર્વતી નગરમાં રહેતો કમલેશ ગટુલાલ રાજપુરોહિત આ ઇન્જેકશનનું વેચાણ કરતો હોવાનું જણાતા પોલીસે ડમી ગ્રાહક મોકલીને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરમાં લોકો એક એક ઇન્જેકશન માટે તરસી રહ્યાં છે. ત્યારે આ ગઠિયા પાસેથી 11 ઇન્જેક્શન મળી આવ્યા હતા. રૂ. 75,000 રોકડા અને 5000 રુ.ના મોબાઇલ સાથે 1,39,400 રુ.નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આરોપી ઈસમની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધી ઈન્જેકશન ના કાળા બજારના કોભાડની તપાસ શરુ કરી છે.

સંબંધિત પોસ્ટ

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24

લીમખેડાના ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા

Panchayat Samachar24

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત: રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે ઉચ્ચક દંડ વસુલાશે: ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે

Panchayat Samachar24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24