Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ

દાહોદ જીલ્લા કોંગ્રેસ દ્વારા ૦૯ તાલુકાના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ
ગુજરાત પ્રદેશ મહિલા કોન્ગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક પ્રગતિબેન આહીર ઉપસ્થિત રહ્યા
દાહોદ તા.23
આજ રોજ *તારીખ:૨૩/૬/૨૦૨૧ને બુધવાર* ના રોજ *સમય:બપોરે ૩:૦૦થી સાજે ૬:૦૦ સુધી* કાર્યકારી પ્રમુખ હર્ષદભાઇ નીનામાની ઓફીસ(કોંગ્રેસ કાર્યાલય),કોલેજ રોડ,દાહોદ ખાતે *સંગઠન પર્વ* ના હેતુથી *દાહોદ જીલ્લા કોંગ્રેસ સેવાદળ* ની *કારોબારી બેઠક* યોજાઈ હતી. કોન્ગ્રેસ પક્ષના નિર્માણકર્તા એવા પાયાના સંગઠન સેવાદળની દાહોદ જીલ્લાના કુલ ૯(નવ)તાલુકા જેમાં *ફતેપુરામાં અલ્પેશભાઇ બરજોડ*, *સંજેલીમાં નિમેશભાઇ ગરાસિયા*, *ઝાલોદમાં મુકેશભાઇ ભાભોર*, *દાહોદમાં પારૂભાઇ બીલવાળ* *લીમખેડામાં સંજયભાઇ તડવી*, *સીગવડમાં રાજેન્દ્રભાઇ કટારા*, *ગરબાડામાં ગોવિંદભાઇ પલાસ*, *ધાનપુરમાં રસુલભાઇ સંગોડ*, *દેવગઢબારીયામાં શૈલેષભાઇ વડેલ* તથા ૩(ત્રણ) શહેર જેમાં *ઝાલોદ શહેરમાં પ્રમેજીભાઇ રાઠોડ*, *દાહોદ શહેરમાં હેમંતકુમાર પરમાર*, *દેવગઢબારીયા શહેરમાં હાર્દિકસિંહ ઝાલા* એમ કોન્ગ્રેસ સેવાદળના પ્રમુખશ્રીઓની નવી નિમણૂંક કરી સૌ સેવાદળના સૈનિકોને સક્રિય રહીને પુરા ખંતથી તથા પોતાની દુરદર્શી સુઝબુઝથી આ નવી જવાબદારી નિભાવશો એવી અપેક્ષાઓ સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોન્ગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક *પ્રગતિબેન આહીર*,ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસ સેવાદળના ઉપપ્રમુખ શ્રી *લક્ષ્મણસિંહ ખાટ*,દાહોદ જીલ્લા કોન્ગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ *હર્ષદભાઇ નીનામા*,દાહોદના માજી સાસદ *ડો.પ્રભાબેન તાવિયાડ*, દાહોદ વિધાનસભાના ધારાસભ્ય *શ્રી વજુભાઇ પણદા*, ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય *શ્રી ચંદ્રિકાબેન બારીયા*, દાહોદ જીલ્લા કોન્ગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક *અજીતસિંહ સંગાડા*,દાહોદ જીલ્લા કોન્ગ્રેસના મુખ્ય પ્રવકતા *ઇશ્વરભાઇ પરમાર*,ગુજરાત પ્રદેશ યુવા કોન્ગ્રેસના મહામંત્રી *નિકુંજભાઇ મેડા*,દાહોદ તાલુકા કોન્ગ્રેસના પ્રમુખ *હરીશભાઇ નાયક*,દાહોદ શહેર કોન્ગ્રેસ સમિતિના પ્રમુખ *મોઇનભાઇ કાઝી*,સીગવડ તાલુકા કોન્ગ્રેસના પ્રમુખ *સુરેશભાઇ બારીયા* વગેરે હોદ્દેદારોએ ઉપસ્થિત રહી સેવાદળના સંગઠનલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યો હતુુ.

સંબંધિત પોસ્ટ

કોરોના સારવાર અને બે ડોઝ વેક્સીનના લીધા બાદ પણ આ આરોગ્ય અધિકારી ફરીવાર બન્યા કોરોનાનો શિકાર

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24