Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

ફતેપુરા નગરમા આવેલો બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ પર ખાડા પડી જતા બિસ્માર હાલતમા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ફતેેેેેપુરા તા.૧૯

ફતેપુરા નગરની બહાર થી બલૈયા રોડ થી ઝાલોદ રોડ તરફ આવતો બાયપાસ રોડ પર મસ મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, આ રોડ પર ફતેપુરા કોર્ટ અને સાયન્સ સ્કુલ આવેલી છે, ફતેપુરામા ટ્રાફીક સમસ્યા ને લઈને મોટા ભાગે નગરજનો આ રોડની ઉપયોગ કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રોડ બિસ્માર હાલત માં હોવા છતાં તંત્ર ધ્વારા રીપેરીંગ કરવામા આવતુ નથી જેના કારણે વાહન ચાલકો અને નગરજનોમા ભારો રોષ જોવા મળી રહ્યો છે, હાલમા ચોમાસુ શરુ થવાની ભીતી સેવાઈ રહી છે ત્યા ચોમાસાની રુતુમા આ બિસ્માર અને ખાડા વાળા રોડ પરથી પસાર થવુ વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે,
ફતેપુરા બજાર માં ટ્રાફિક ની સમસ્યા હોવાથી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ આ રોડ થી દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડે છે, બલૈયા રોડ થી ઝાલોદ રોડ ને જોડતો રોડ બિસ્માર હોવા થી અકસ્માત થવા ની પણ સંભાવનઓ રહેલી છે, તંત્ર આ બાયપાસ રોડનુ સમારકામ કરવા માં આવે આવી લોકમાંગ ઉઠી રહી છે, ત્યારે તંત્ર દ્વારા ક્યારે આ રોડનુ રીપેરીંગ કરવામા આવે છે તે જોવાનુ રહેશે.

સંબંધિત પોસ્ટ

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

લીમખેડા માં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનુ સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું : શુક્ર-શનિ-રવિ બજારો સજ્જડ બંધ રહેશે

Panchayat Samachar24

આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત સરકારે 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ ફરજિયાતપણે શણના થેલામાં પેકિંગ કરવા કર્યો આદેશ

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું: દાહોદ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24