Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

  • 22મી લગ્નતિથિએ ધો-10ના 2200 વિદ્યાર્થીઓને બુકલેટો અર્પણ કરી
  • વિદ્યાર્થીઓને ગણિત – વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની નોખી ઉજવણી કરી
  • Advertisement
  • શિક્ષણમાં જ વણાઇ ગયા ત્યારે શિક્ષણને જ દરેક પ્રસંગમાં વણી લેવાનો સફળ પ્રયત્ન કર્યો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.23
લગ્નની તિથિની ઉજવણી કરવાની નોખી રીતો જોવા મળી રહી છે.ત્યારે કેટલાક યુગલો આ દિવસે પુનઃ પ્રભુતામાં પગલા પણ પાડે છે પરંતુ પ્રિય વિષય અને પોતે જે માધ્યમથી સમાજ સેવા કરતા હોય તેને જ માધ્યમ બનાવી પોતાના જીવનના આવા દિવસોોને યાદગાર બનાવનારા જૂજ ઉદાહરણો હોય છે.તેવી જ રીતે દાહોદના એક શિક્ષકવિદે પોતાની 22મી લગ્ન તિથિ નિમિત્તે ધોરણ 10 ના 2200 વિદ્યાર્થીઓને મુખ્ય વિષયોના એસાઇનમેન્ટ વિતરણ કરીને આ દિવસને યાદગાર બનાવવાની સાથે આજના યુવાનોને એક નવી દિશા બતાવી છે.
પોતાના સુખી દાંપત્યજીવનની ઉજવણી કરવા માટેનો સપરમો દિવસ એટલે પોતાની લગ્ન તિથિ એટલે કે મેરેજ એનીવર્સરી.સામાન્ય રીતે કેક કાપીને કે એક બીજાને ભેટ સોગાદો આપીને ખાણી પીણી સાથે આ દિવસની ઉજવણી કરવી એ સામાન્ય છે.ત્યારે કેટલાક માલેતુજારો મોટા આયોજનો પણ કરે છે અથવા તેમના ફરજંદો આ દિવસની ઉજવણી પાછળ લાખો રુપિયાના ખર્ચ કરે છે.કેટલાક દંપત્તિઓ હવે આ દિવસે દાન કરીને પૂણ્ય પણ કમાય છે તો કેટલાક ખાસ ફોટોો સૂટ કરાવે છે.ધાર્મિક કાર્યક્રમોના આયોજનો પણ થાય છે તો લગ્ન જીવનના 25 વર્ષ પૂર્ણ થાય તો ફરીથી સપ્તપદીના ફેરા ફરીને લગ્નની યાદો તાજી કરવામાં આવે છે.
તેવા સમયે દાહોદ પાસે લીમડીમાં રહેતા નરેન્દ્ર અમૃતલાલ સોનીએ પણ તારીખ 22 જાન્યુઆરીના રોજ પોતાની લગ્નતિથિની ઉજવણી કરી હતી.નરેન્દ્ર સોની વ્યવસાયે શિક્ષક હતા અને હાલ ધી ન્યુ એચીવર પ્રિ સાયન્સ સ્કુલ, લીમડી,શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, લીમડી અને દાહોદમાં સનરાઇઝ પબ્લીક સ્કુલ અને એમએનઆર એજ્યુકેશન એકેડેમી ચલાવી રહ્યા છે.આમ મૂળ શિક્ષણનો જીવ હોવાથી તેમણે લગ્નતિથિ નિમિત્તિ શિક્ષણલક્ષી ભેટ જ આપવાનો વિચાર કર્યો હતો.બીજી તરફ હાલ કોરોોનાની ત્રીજી લહેર ચાલી રહી હોવાથી શાળાઓમાં ઓન લાઇન શિક્ષણ ચાલી રહ્યુ છે,માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે આવા વિકટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેના પડકારમય સમયમાં આ અવસર કેવી રીતે યાદગાર બની રહે તેેના માટે તેમણે નોખી ભેટ આપવાનુ નક્કી કર્યુ હતુ.આમ પણ બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો અઘરા પડતા હોય છે ત્યારે તેમણે તેમની 22મી લગ્નતિથિ નિમિત્તે ધોરણ 10ના 2200 વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના એસાઇનમેન્ટ ભેટ આપ્યા હતા.આ એસાઇન્મેન્ટમાંથી જ તેમને સમયાંતરે પ્રશ્નપત્રો પણ આપવામાં આવશે અને તેેમની કસોટી સાથે ગુણવત્તા પણ ચકાસી શકાશે.ઉપરાંત અન્ય કેટલાયે વિદ્યાર્થીઓને સોશ્યલ મિડીયાના માધ્યમથી પણ આ એસાઇન્મેન્ટ પહોંટાડવામાં આવ્યા છે.આમ એક શિક્ષણવિદે શિક્ષણને જ માધ્યમ બનાવી શિક્ષણની જ ભેટ આપી શિષ્યોને સુદ્રઢ રીતે શિક્ષિત કરવાની નેમ સાથે પોતાની લગ્નતિથિ સદાયને માટે સ્મરણીય બને તેવો નોખી ઉજવણી કરી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

Panchayat Samachar24

ફતેપુરા નગરના વિકાસ માટે આવેલ 96 લાખની ગ્રાન્ટ માંથી પંચાયત ભવન બનાવવાની હિલચાલ સામે સોશિયલ મીડિયામા સવાલોનો ધોધ: 42 લાખની આવક છતાં કર્મચારીઓનો પગાર ગ્રાન્ટમાંથી કેમ? સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા વહીવટી તંત્ર સામે પ્રશ્નાર્થ

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24