Panchayat Samachar24
Breaking News
ગોધરાતાજા સમાચારપંચમહાલ

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

  • બાળ લગ્ન કરાવતાં વરરાજા, સગીરાના માતા, પિતા સહિત 5 લોકો સામે ફરિયાદ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.11

ખજુરી ગામની સગીર કન્યાના લગ્ન પતંગડી ગામના યુવક સાથે નક્કી થયા હતા, લગ્ન ગ્રથી જોડાનાર વર-અને કન્યા ની સરકાર ના નિયમો અનુસાર લગ્ન માટે નિર્ધારીત ઉમર નહિ હોવાની ફરિયાદ ગોધરા બાળ લગ્ન પ્રતિબંધક અધીકારીને કરાઈ હતી, ટીમ પોલીસ સાથે લગ્ન અટકાવવા માટે લગ્ન મંડપ મા પહોચે તે પહેલા પરિવારજનોએ લગ્ન કરાવીને જાનને વળાવી દેતા પોલીસે 5 ઈસમો વિરુદ્ધ સામે ફરીયાદ દાખલ કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર ગોઘરા ચાઇલ્ડ હેલ્પ લાઇન ને ખજુરી ગામે બાળલગ્ન થવાના હોવાની જાણ બપોરે 12.30 વાગ્યે થઈ હતી. જે ફરિયાદ ને પગલે ગોધરા જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી જે.એચ.લખારા તથા બાળ સુરક્ષા અઘિકારી જે.પી.પંચાલ તથા લીગલ ઓફિસર ભાવનાબેન, ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ, ગોઘરા તાલુકા પોલીસ સ્ટાફ સાથે રાખી ખજૂરી ગામે સ્થળ તપાસ કરતા કિશોરીનાં બાળલગ્ન બપોરે 12 વાગે થઇ ગયા હતા. અને સગીરાને લઇને જાન દાહોદના પતંગડી ગામે સાસરીમાં જતી રહી હતી, અધીકારીએ સગીરાના માતા પિતા પાસે સગીરાની ઉમંરના પુરાવા અને લગ્નની કંકોત્રી માંગીને તપાસ કરતાં 16 વર્ષ અને 5 માસની હોવાનું જાણવા મળી આવ્યું હતુ. જયારે લગ્ન કરવા આવનાર વરરાજાની ઉમંર પણ લગ્નની ઉમંર 21 વર્ષ કરતાં નાની હતી. અધિકારી અને પોલીસે તપાસ કરતાં બાળલગ્ન થયા હોવાના પુરાવા મળતા આ લગ્ન કરનાર વરરાજા અને તેના માતા પિતા તથા કિશોરીના માતા-પિતા સહિત કુલ 5 ગુનેગારો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે બાળલગ્ન પ્રતિબંઘક કાયદા હેઠળ ગુનો નોંઘવામાં આવ્યો હતો.
Advertisement

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

Panchayat Samachar24