Panchayat Samachar24
Breaking News
ગોધરાતાજા સમાચારપંચમહાલ

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

  • બાળ લગ્ન કરાવતાં વરરાજા, સગીરાના માતા, પિતા સહિત 5 લોકો સામે ફરિયાદ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.11

ખજુરી ગામની સગીર કન્યાના લગ્ન પતંગડી ગામના યુવક સાથે નક્કી થયા હતા, લગ્ન ગ્રથી જોડાનાર વર-અને કન્યા ની સરકાર ના નિયમો અનુસાર લગ્ન માટે નિર્ધારીત ઉમર નહિ હોવાની ફરિયાદ ગોધરા બાળ લગ્ન પ્રતિબંધક અધીકારીને કરાઈ હતી, ટીમ પોલીસ સાથે લગ્ન અટકાવવા માટે લગ્ન મંડપ મા પહોચે તે પહેલા પરિવારજનોએ લગ્ન કરાવીને જાનને વળાવી દેતા પોલીસે 5 ઈસમો વિરુદ્ધ સામે ફરીયાદ દાખલ કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર ગોઘરા ચાઇલ્ડ હેલ્પ લાઇન ને ખજુરી ગામે બાળલગ્ન થવાના હોવાની જાણ બપોરે 12.30 વાગ્યે થઈ હતી. જે ફરિયાદ ને પગલે ગોધરા જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી જે.એચ.લખારા તથા બાળ સુરક્ષા અઘિકારી જે.પી.પંચાલ તથા લીગલ ઓફિસર ભાવનાબેન, ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ, ગોઘરા તાલુકા પોલીસ સ્ટાફ સાથે રાખી ખજૂરી ગામે સ્થળ તપાસ કરતા કિશોરીનાં બાળલગ્ન બપોરે 12 વાગે થઇ ગયા હતા. અને સગીરાને લઇને જાન દાહોદના પતંગડી ગામે સાસરીમાં જતી રહી હતી, અધીકારીએ સગીરાના માતા પિતા પાસે સગીરાની ઉમંરના પુરાવા અને લગ્નની કંકોત્રી માંગીને તપાસ કરતાં 16 વર્ષ અને 5 માસની હોવાનું જાણવા મળી આવ્યું હતુ. જયારે લગ્ન કરવા આવનાર વરરાજાની ઉમંર પણ લગ્નની ઉમંર 21 વર્ષ કરતાં નાની હતી. અધિકારી અને પોલીસે તપાસ કરતાં બાળલગ્ન થયા હોવાના પુરાવા મળતા આ લગ્ન કરનાર વરરાજા અને તેના માતા પિતા તથા કિશોરીના માતા-પિતા સહિત કુલ 5 ગુનેગારો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે બાળલગ્ન પ્રતિબંઘક કાયદા હેઠળ ગુનો નોંઘવામાં આવ્યો હતો.
Advertisement

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

દાહોદ SOG અને LCB પોલીસે સીંગવડ ના હાંડી ગામેથી રૂપીયા 2.75 કરોડની કિંમતનો 2745 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ