Panchayat Samachar24
Breaking News
અન્ય

​​​​​​​દાહોદની સગીર પીડિતા પર સામુહિક દુષ્કર્મની ફરિયાદને બે દિવસ થયા બાદ કોઈ નક્કર કાર્યવાહી ન કરતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

  • દાહોદ પોલીસ કામગીરી સામે પ્રશ્નાર્થ
  • દાહોદમા પિડીતા પર સામુહિક બળાત્કારની ઘટનામા પોલીસના હવાતિયા
  • Advertisement
  • એફઆઈઆર ના 48 કલાક બાદ પણ એકેય આરોપી ઝડપાયો નથી
  • બધા આરોપીઓ દાહોદ શહેરના જ છે

 

ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
દાહોદ શહેરમાં સગીર બાળા ઉપર બળાત્કારની ઘટનામાં આરોપીઓને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ સાથે દાહોદ શહેર પોલીસે તપાસના ધમધમાટ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લા પોલીસ વડાના જણાવ્યાં અનુસાર, આ કેસમાં જે કોઈની પણ સંડોવણી હશે તેઓને કોઈને બક્સવામાં આવશે નહીં અને આ મામલે દાહોદ જિલ્લા પોલીસ સંપુર્ણપણે સક્રિય હોવાનું જણાવ્યું હતું.જો કે ફરિયાદ થયાના 48 કલાક પણ એકેય આરોપી ઝડપાયેલા નથી.જો કે તમામ આરોપીઓ દાહોદ શહેરના જ છે

દાહોદ જિલ્લા પોલીસવડાના જણાવ્યાં અનુસાર,દાહોદ શહેર પોલીસ મથકમાં દાહોદ શેસન્સ કોર્ટના હુકમ મુજબ 376ની કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં બે મહિલાઓ સહિત 17 આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કમલ મુજબ પણ ગુનો નોંધવામાં આવેલ છે. નામદાર કોર્ટના આદેશ મુજબ તપાસ કરવામાં આવી રહી છે જેને અનુસંધાન આ ઘટનામાં મેડીકલ તપાસ, નિવેદનો લેવાની કામગીરી પણ ચાલુ છે. દાહોદ જિલ્લા પોલીસે ફરિયાદી અને પીડીતાનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે સત્વરે દાહોદ આવી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમામ જે આરોપીઓ છે જેમાં કોનો શું રોલ, કોની શુ ભુમીકા અને તેના વિરૂધ્ધમાં શું પુરાવા છે તેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ દાહોદ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.આ પિડીતાનુ શોષણ એક મહિના સુધી કરવામા આવ્યુ હોવાનો આક્ષેપ કરાયો છે તેમજ તમામ આરોપીઓ દાહોદ શહેર ના જ છે.તેમ છતા બે દિવસ બાદ પણ એકેય આરોપી પોલીસ પકડમા આવ્યો નથી.આ ગુનાના કોઈ મોટા માથાની સંડોવણી છે કે નહી તે પણ બહાર આવ્યુ નથી.કારણ કે એફઆઈઆર મા કેટલાક નામ પુરા લખાયેલા નથી ત્યારે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવી અતિ આવશ્યક લાગી રહ્યુ છે.

સંબંધિત પોસ્ટ

શ્રી મૂરજીભાઇ પટેલ પ્રસ્તુત કરે છે ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ’, મુંબઈમાં પહેલી વાર કચ્છની કોયલ, ‘ગીતા રબારી’ મચાવશે ગરબાની ધૂમ

Admin

સિલિન્ડર ન મળ્યો છતાં મેસેજ આવ્યો: તપાસમાં એજન્સીની પોલ ખૂલી, 27.81 લાખનો દંડ થયો, નજીબાબાદની ગેસ એજન્સી સામે કાળાબજારી અને ગેરરીતિના પુરાવા મળતા કંપનીએ વસૂલ્યો ભારે દંડ, સમગ્ર પંથકમાં ચકચાર મચી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર ના હસ્તે કરવામાં આવ્યું

Panchayat Samachar24

તાલુકા પ્રાથમિક શાળા લીમખેડાના એસ.એમ.સી. કમીટીના અધ્યક્ષ નિતેશભાઈ રાઠોડ દ્વારા રૂપીયા ૨.૨૪ લાખના ખર્ચે તૈયાર થયેલા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ રુમનુ કર્યુ લોકાર્પણ

Panchayat Samachar24

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગૃહ વિભાગનો સપાટો: એકસાથે 37 IPSની બદલીમાં ગોધરા રેન્જ આઈજી બદલાયા, વિધિ ચૌધરીને સોંપાઈ પંચમહાલની મહત્વની કમાન

Panchayat Samachar24