Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદધાનપુર

ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડાને બાંધી પજવણી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: ત્રણેય આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

  • ધાનપુરના દુધામલી ગામે દિપડાને પજવણીનો વિડીયો વાયરલ
  • વનવિભાગે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
  • Advertisement
  • કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધાળા ગામે બે દિવસ અગાઉ એક ખેતરમાં દીપડો દેખાતા ગ્રામજનો દ્વારા દીપડાને દોરડા વડે બાંધી પજવણી કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયોના આધારે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં વીડિયોમાં દેખાતા ત્રણ ઈસમો વિરુદ્ધ વનવિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ને અડીને આવેલા રતન મહાલ જંગલમાં દિપડાની વસ્તી માં વધારો જોવા મળ્યો છે જેના કારણે ખોરાકની શોધમાં જંગલને અડીને આવેલા ગામોમાં દીપડાઓ અવાર નવાર આવતા હોય છે હાલમાં ખેતરમાં તૈયાર થયેલા મકાઇના પાકને મેળવવા માટે ખેડૂત પરિવારો ખેતરમાં જતા હોય છે તે સમય દરમિયાન દીપડાના હુમલાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે.
ધાનપુર તાલુકાના દુધામલી ગામે બે દિવસ અગાઉ એક દીપડો ખોરાકની શોધમાં ગામમાં આવી પહોંચ્યો હતો જે દીપડો ગ્રામજનોની નજરે પડતાં ગામજનોએ ટોળે વળીને દીપડાને ઘેરીને દોરડા વડે બાંધી તેની પજવણી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વીડિયો વાયરલ થતાં વનવિભાગના અધિકારીઓ હરકતમાં આવીને સમગ્ર ઘટના બાબતે તપાસ હાથ ધરી હતી, સમગ્ર સંદર્ભે વન વિભાગ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમા જે લોકો દ્વારા દીપડાને પજવણી કરવામાં આવી હતી તેમાંના ત્રણ ઈસમોની વનવિભાગે ધરપકડ કરી ત્રણેય વિરોધ ફરિયાદ દાખલ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા વનવિભાગે સમગ્ર ઘટના મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

Panchayat Samachar24

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

આસામના ગંગાનગર ગામમા બની અજીબ ઘટના: બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ, થોડા સમયમાં જ તોડી નાખ્યો દમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24