Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદધાનપુર

ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડાને બાંધી પજવણી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: ત્રણેય આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

  • ધાનપુરના દુધામલી ગામે દિપડાને પજવણીનો વિડીયો વાયરલ
  • વનવિભાગે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
  • Advertisement
  • કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધાળા ગામે બે દિવસ અગાઉ એક ખેતરમાં દીપડો દેખાતા ગ્રામજનો દ્વારા દીપડાને દોરડા વડે બાંધી પજવણી કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયોના આધારે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં વીડિયોમાં દેખાતા ત્રણ ઈસમો વિરુદ્ધ વનવિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ને અડીને આવેલા રતન મહાલ જંગલમાં દિપડાની વસ્તી માં વધારો જોવા મળ્યો છે જેના કારણે ખોરાકની શોધમાં જંગલને અડીને આવેલા ગામોમાં દીપડાઓ અવાર નવાર આવતા હોય છે હાલમાં ખેતરમાં તૈયાર થયેલા મકાઇના પાકને મેળવવા માટે ખેડૂત પરિવારો ખેતરમાં જતા હોય છે તે સમય દરમિયાન દીપડાના હુમલાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે.
ધાનપુર તાલુકાના દુધામલી ગામે બે દિવસ અગાઉ એક દીપડો ખોરાકની શોધમાં ગામમાં આવી પહોંચ્યો હતો જે દીપડો ગ્રામજનોની નજરે પડતાં ગામજનોએ ટોળે વળીને દીપડાને ઘેરીને દોરડા વડે બાંધી તેની પજવણી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વીડિયો વાયરલ થતાં વનવિભાગના અધિકારીઓ હરકતમાં આવીને સમગ્ર ઘટના બાબતે તપાસ હાથ ધરી હતી, સમગ્ર સંદર્ભે વન વિભાગ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમા જે લોકો દ્વારા દીપડાને પજવણી કરવામાં આવી હતી તેમાંના ત્રણ ઈસમોની વનવિભાગે ધરપકડ કરી ત્રણેય વિરોધ ફરિયાદ દાખલ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા વનવિભાગે સમગ્ર ઘટના મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24