Panchayat Samachar24
Breaking News
અન્યગુજરાતતાજા સમાચારદાહોદસીંગવડ

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

  • સિંગવડ ગામમાં ચોરીની ઘટનાઓ વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ
  • ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસને કરી રજૂઆત
  • Advertisement
સીંગવડ તા.14
સિંગવડ ગામ તસ્કરો માટે જાણે મોકલું મેદાન બન્યું હોય તેમ ચોરીની ઘટનાઓને તસ્કરો અંજામ આપીને ફરાર થઈ જાય છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સિંગવડ નગર માં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો તરખાટ મચાવતા આજે સિંગવડ ગામના જાગૃત ગ્રામજનોએ રણધીકપુર પોલીસ મથકનો પીઆઇ એન.કે.ચૌધરી ને લેખિતમાં આવેદનપત્ર આપી રાત્રી દરમિયાન ચોરી થતી અટકાવવા રજૂઆત કરી હતી.
સિંગવડ નગરમાં રાત્રી દરમિયાન તસ્કરોએ આતંક મચાવ્યો છે, ત્યારે પોલીસના  ગ્રામરક્ષક દળ તેમજ હોમગાર્ડના જવાનો કેટલાક સમયથી કાયમી ગેરહાજરી જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોએ આજ રાતથી જ રાત્રી દરમિયાન પોતાના કિમતી સામાનની સુરક્ષા માટે જાતે જ રોન ફરવાની શરૂઆત કરશે તેવી રજૂઆત  કરવામાં આવી હતી, જેમાં રણધીકપુર પોલીસ મથકના પીઆઇ એન.કે.ચૌધરી તેમજ પીએસઆઇ જી.બી.રાઠવા એ ગ્રામજનોને રણધીકપુર પોલીસને સહકાર આપવા જણાવ્યું હતું જ્યારે બહાર ગામના રહેવાસીઓ કેટલાક મકાનોમાં ભાડે રહેતા હોય મકાનમાલિકોએ પોલીસ વેરિફિકેશન કરવા માટે ખાસ સૂચના આપી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો મકાન માલિકની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. સીંગવડ ગામમા પુરતા હોમગાર્ડ અને જી.આર.ડી. ના પોઈન્ટ ગોઠવવા માટે તેમજ જરૂરિયાત પડે તો વધૂ પોલીસના જવાનો ગોઠવીને સીગવડ મા થતી ચોરીઓ અટકાવવા ગ્રામજનોએ રજૂઆત કરી હતી.

સંબંધિત પોસ્ટ

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

Panchayat Samachar24

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24