Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડાના ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા

  • ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ.
  • 52 ગજની ધજા સાથે રુદણ અને મરતોલી જવા રવાના થયા.
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.17
લીમખેડા તાલુકાના ઉમેદપુરા થી રુદણ મરતોલી દર્શનાર્થે પગપાળા સંઘ રવાના થયો હતો જેઓને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જેઓ 52 ગજ ની ધજા લઇ ને રવાના થયા હતા.

લીમખેડા તાલુકાના ઉમેદપુરા થી રૂદણ,મરતોલી માતાજી ના દર્શન માટે ભક્તો રથ લઈને પગપાળા જવા નીકળ્યા હતા. રવિવારના રોજ સવારે પ્રસ્થાન થયું હતું. માતાજીની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલકુમારી વાઘેલાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ,એપીએમસી ના ચેરમેન ભરતભાઈ, રમેશભાઈ, મેહુલભાઈ ગારી, સહીત સરપંચ ઉપસરપંચ જિલ્લા તાલુકા ના સભ્યો તથા ગ્રામજનો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પગપાળા જનારા ભક્તો બાવન ગજની ધજા લઈને રવાના થયા હતા જેઓ રુદન અને મરતોલી માં માતાજીના દર્શન કરી ધજા અર્પણ કરશે. પદયાત્રીઓને ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

Panchayat Samachar24