Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારસંજેલી

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

  • સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ
  • ઘોડાવડલી ફળિયામાં રાત્રીના સમયે બાળક મૂકી અજાણી વ્યકિત ફરાર
  • Advertisement
  • બાળકને ઝાયડ્સ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.23
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાંસીયા ગામના ઘોડાવડલી ફળિયામાં ગત મોડી રાત્રે અજાણ્યો ઈસમ બાળકને મૂકી ફરાર થઈ ગયો હતો, રાત્રીના અંધકાર ભર્યા સુમસામ શાત વાતાવરણ મા બાળકના રડવાનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ આ બિનવારસી મળી આવેલ બાળકની જાણ સંજેલી પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બિનવારસી બાળકનો કબજો લઈ સંજેલી સરકારી દવાખાને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામા આવ્યું હતું, બાળકની પ્રાથમિક સારવાર બાદ બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદ ની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયુ હતું,  સંજેલી પોલીસે બિનવારસી મળી આવેલ બાળક મામલે ફરિયાદ દાખલ કરી  બિનવારસી બાળક ક્યાંનું છે? તેને કોણ તરછોડી ગયુ છે? તેની માતા કોણ છે? તે અંગે ઝીણવટભરી તપાસ શરુ કરી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24