Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારસંજેલી

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

  • સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ
  • ઘોડાવડલી ફળિયામાં રાત્રીના સમયે બાળક મૂકી અજાણી વ્યકિત ફરાર
  • Advertisement
  • બાળકને ઝાયડ્સ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.23
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાંસીયા ગામના ઘોડાવડલી ફળિયામાં ગત મોડી રાત્રે અજાણ્યો ઈસમ બાળકને મૂકી ફરાર થઈ ગયો હતો, રાત્રીના અંધકાર ભર્યા સુમસામ શાત વાતાવરણ મા બાળકના રડવાનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ આ બિનવારસી મળી આવેલ બાળકની જાણ સંજેલી પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બિનવારસી બાળકનો કબજો લઈ સંજેલી સરકારી દવાખાને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામા આવ્યું હતું, બાળકની પ્રાથમિક સારવાર બાદ બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદ ની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયુ હતું,  સંજેલી પોલીસે બિનવારસી મળી આવેલ બાળક મામલે ફરિયાદ દાખલ કરી  બિનવારસી બાળક ક્યાંનું છે? તેને કોણ તરછોડી ગયુ છે? તેની માતા કોણ છે? તે અંગે ઝીણવટભરી તપાસ શરુ કરી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારતા ખડભળાટ

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24