Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ શહેર સહિત જીલ્લામા રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજની હાટડીઓ : તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ઉઠી લોકમાંગ

  • રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજ હાટડીઓ
  • રોડ નજીક નોનવેજની લારીઓના કારણે ટ્રાફિક જામની સમસ્યામા વધારો
  • Advertisement
  • તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તે જરુરી બન્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
ગુજરાતના મોટા શહેરોમાં માંસ મટન અને ઈંડાની લારીઓ જાહેર રોડ નજીકથી દુર કરવાના આદેશો કરવામા આવ્યા છે, રોડની નજીકની નોનવેજ બનાવતી ઉડતા વઘારની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. ત્યારે સરકારી તંત્ર હાલમાં એલર્ટ બન્યું છે  ત્યારે દાહોદ શહેર સહિત જીલ્લાના તાલુકાઓમા તંત્ર દ્વારા તપાસ કરી આવી મટન, ઈંડાની લારીઓ જાહેર રસ્તાઓ પરથી દુર કરવાની લોકો ની માંગ ઉઠી છે.
જ્યારે દાહોદ શહેર સહિત તાલુકાઓના ગામડાઓના રોડ ઉપર રોડની નજીકમાં જ માંસ, મટનની હાટડીઓ લગાવી વેચાણ કરી રહ્યા છે,  જ્યારે કેટલીક જગ્યાએ હાઇવે રોડ નજીક માંસને આગમા શેકવાથી ખુબ જ દુર્ગન્ધ આવતી હોય છે, નસકોરા ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધ આવતી હોવાના કારણે જેના કારણે રાહદારીઓને ખુબ જ મુશ્કેલી પડી રહી છે, રોડની નજીક માં જ આ પ્રકારની માંસ મટન ની ધમ ધમતી હાટડીઓ મા દિવસે દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, જ્યારે કેટલાક ગામોમા સરકારી જમીન પર દબાણ કરી માંસ મટનની હાટડી શરુ કરવામા આવી છે, તેમ છતા ગ્રામ પંચાયત કે, મામલતદાર દ્વારા આ સરકારી જમીન પરની ગેરકાયદેસર માંસ ની હાટડી બંધ કરાવવામા આવી નથી, તંત્ર દ્વવારા આવી ગેરકાયદેસર હાટડીઓ રોડ નજીક થી હટાવી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ