Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ શહેર સહિત જીલ્લામા રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજની હાટડીઓ : તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ઉઠી લોકમાંગ

  • રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજ હાટડીઓ
  • રોડ નજીક નોનવેજની લારીઓના કારણે ટ્રાફિક જામની સમસ્યામા વધારો
  • Advertisement
  • તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તે જરુરી બન્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
ગુજરાતના મોટા શહેરોમાં માંસ મટન અને ઈંડાની લારીઓ જાહેર રોડ નજીકથી દુર કરવાના આદેશો કરવામા આવ્યા છે, રોડની નજીકની નોનવેજ બનાવતી ઉડતા વઘારની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. ત્યારે સરકારી તંત્ર હાલમાં એલર્ટ બન્યું છે  ત્યારે દાહોદ શહેર સહિત જીલ્લાના તાલુકાઓમા તંત્ર દ્વારા તપાસ કરી આવી મટન, ઈંડાની લારીઓ જાહેર રસ્તાઓ પરથી દુર કરવાની લોકો ની માંગ ઉઠી છે.
જ્યારે દાહોદ શહેર સહિત તાલુકાઓના ગામડાઓના રોડ ઉપર રોડની નજીકમાં જ માંસ, મટનની હાટડીઓ લગાવી વેચાણ કરી રહ્યા છે,  જ્યારે કેટલીક જગ્યાએ હાઇવે રોડ નજીક માંસને આગમા શેકવાથી ખુબ જ દુર્ગન્ધ આવતી હોય છે, નસકોરા ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધ આવતી હોવાના કારણે જેના કારણે રાહદારીઓને ખુબ જ મુશ્કેલી પડી રહી છે, રોડની નજીક માં જ આ પ્રકારની માંસ મટન ની ધમ ધમતી હાટડીઓ મા દિવસે દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, જ્યારે કેટલાક ગામોમા સરકારી જમીન પર દબાણ કરી માંસ મટનની હાટડી શરુ કરવામા આવી છે, તેમ છતા ગ્રામ પંચાયત કે, મામલતદાર દ્વારા આ સરકારી જમીન પરની ગેરકાયદેસર માંસ ની હાટડી બંધ કરાવવામા આવી નથી, તંત્ર દ્વવારા આવી ગેરકાયદેસર હાટડીઓ રોડ નજીક થી હટાવી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24