Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

  • ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા 
  • મામલતદાર કચેરીમા જ કોરોના ગાઈડ લાઈન નુ પાલન નહિ થતા અનેક સવાલો ઉઠ્યા 
  • Advertisement

 

ફતેપુરા મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ નિયમના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. કચેરીમાં વિવિધ કામગીરી માટે આવતાં અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી. અરજદારોની ભીડ અને કોરોના વાયરસના આંતરિક  સંક્રમણની દહેશત વચ્ચે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જરૃરી જણાય રહ્યું છે.
કોરોના મહામારી વચ્ચે આશિક લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા કેટલીક છુટછાટો આપી છે. પરંતુ કોઈપણ સંજોગોમા જાહેર જનતાને કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક અને સોશિયલ  ડિસ્ટન્સની બાબત ઉપર ખાસ ભાર મૂકી અમલ કરવા અપીલ કરી રહી છે.
એક તરફ સરકારના નિયમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના અમલીકરણ માટે સંલગ્ન વિભાગ ભંગ થતો જણાય ત્યાં પગલાં પણ ભરી નિયમોનું  પાલન કરાવી રહ્યા છે. પરંતુ જેની સામે  કેટલીક સરકારી કચેરીઓમાં જ સરકારના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળે છે. ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારો વિવિધ કામગીરી માટે મોટી સંખ્યા આવ્યા હતા.પોતાની જરૃરિયાત માટે અરજદારો કચેરીમાં આવવું પડે એ જરૂરી જ છે.
પરંતુ મામલતદાર કચેરીમાં ઓછી જગ્યાને લઈ કોરોના વાયરસના આંતરિક સંક્રમણ અટકાવવા સરકારે અમલમાં મુકેલા સોશિયલ  ડિસ્ટન્સ નિયમ પાલનના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા.હાલ  અરજદારોને આવકના દાખલા સહિતની કામગીરી માટે મામલતદાર કચેરી જ વિકલ્પ છે.
ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે એ પ્રકારે વ્યવસ્થા કરી કામગીરી કરવામાં આવે એ અત્યંત જરૃરી જણાય રહ્યું છે.

સંબંધિત પોસ્ટ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

Panchayat Samachar24

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24