Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

  • ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા 
  • મામલતદાર કચેરીમા જ કોરોના ગાઈડ લાઈન નુ પાલન નહિ થતા અનેક સવાલો ઉઠ્યા 
  • Advertisement

 

ફતેપુરા મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ નિયમના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. કચેરીમાં વિવિધ કામગીરી માટે આવતાં અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી. અરજદારોની ભીડ અને કોરોના વાયરસના આંતરિક  સંક્રમણની દહેશત વચ્ચે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જરૃરી જણાય રહ્યું છે.
કોરોના મહામારી વચ્ચે આશિક લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા કેટલીક છુટછાટો આપી છે. પરંતુ કોઈપણ સંજોગોમા જાહેર જનતાને કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક અને સોશિયલ  ડિસ્ટન્સની બાબત ઉપર ખાસ ભાર મૂકી અમલ કરવા અપીલ કરી રહી છે.
એક તરફ સરકારના નિયમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના અમલીકરણ માટે સંલગ્ન વિભાગ ભંગ થતો જણાય ત્યાં પગલાં પણ ભરી નિયમોનું  પાલન કરાવી રહ્યા છે. પરંતુ જેની સામે  કેટલીક સરકારી કચેરીઓમાં જ સરકારના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળે છે. ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારો વિવિધ કામગીરી માટે મોટી સંખ્યા આવ્યા હતા.પોતાની જરૃરિયાત માટે અરજદારો કચેરીમાં આવવું પડે એ જરૂરી જ છે.
પરંતુ મામલતદાર કચેરીમાં ઓછી જગ્યાને લઈ કોરોના વાયરસના આંતરિક સંક્રમણ અટકાવવા સરકારે અમલમાં મુકેલા સોશિયલ  ડિસ્ટન્સ નિયમ પાલનના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા.હાલ  અરજદારોને આવકના દાખલા સહિતની કામગીરી માટે મામલતદાર કચેરી જ વિકલ્પ છે.
ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે એ પ્રકારે વ્યવસ્થા કરી કામગીરી કરવામાં આવે એ અત્યંત જરૃરી જણાય રહ્યું છે.

સંબંધિત પોસ્ટ

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!

બીમારીઓથી દુર રહેવા સવારે ખાલી પેટ મેથીના દાણાનું કરો સેવન: ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Panchayat Samachar24

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ