Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

  • ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા 
  • મામલતદાર કચેરીમા જ કોરોના ગાઈડ લાઈન નુ પાલન નહિ થતા અનેક સવાલો ઉઠ્યા 
  • Advertisement

 

ફતેપુરા મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ નિયમના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. કચેરીમાં વિવિધ કામગીરી માટે આવતાં અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી. અરજદારોની ભીડ અને કોરોના વાયરસના આંતરિક  સંક્રમણની દહેશત વચ્ચે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જરૃરી જણાય રહ્યું છે.
કોરોના મહામારી વચ્ચે આશિક લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા કેટલીક છુટછાટો આપી છે. પરંતુ કોઈપણ સંજોગોમા જાહેર જનતાને કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક અને સોશિયલ  ડિસ્ટન્સની બાબત ઉપર ખાસ ભાર મૂકી અમલ કરવા અપીલ કરી રહી છે.
એક તરફ સરકારના નિયમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના અમલીકરણ માટે સંલગ્ન વિભાગ ભંગ થતો જણાય ત્યાં પગલાં પણ ભરી નિયમોનું  પાલન કરાવી રહ્યા છે. પરંતુ જેની સામે  કેટલીક સરકારી કચેરીઓમાં જ સરકારના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળે છે. ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારો વિવિધ કામગીરી માટે મોટી સંખ્યા આવ્યા હતા.પોતાની જરૃરિયાત માટે અરજદારો કચેરીમાં આવવું પડે એ જરૂરી જ છે.
પરંતુ મામલતદાર કચેરીમાં ઓછી જગ્યાને લઈ કોરોના વાયરસના આંતરિક સંક્રમણ અટકાવવા સરકારે અમલમાં મુકેલા સોશિયલ  ડિસ્ટન્સ નિયમ પાલનના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા.હાલ  અરજદારોને આવકના દાખલા સહિતની કામગીરી માટે મામલતદાર કચેરી જ વિકલ્પ છે.
ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે એ પ્રકારે વ્યવસ્થા કરી કામગીરી કરવામાં આવે એ અત્યંત જરૃરી જણાય રહ્યું છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24