Panchayat Samachar24
Breaking News
ગોધરાતાજા સમાચારપંચમહાલ

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

  • બાળ લગ્ન કરાવતાં વરરાજા, સગીરાના માતા, પિતા સહિત 5 લોકો સામે ફરિયાદ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.11

ખજુરી ગામની સગીર કન્યાના લગ્ન પતંગડી ગામના યુવક સાથે નક્કી થયા હતા, લગ્ન ગ્રથી જોડાનાર વર-અને કન્યા ની સરકાર ના નિયમો અનુસાર લગ્ન માટે નિર્ધારીત ઉમર નહિ હોવાની ફરિયાદ ગોધરા બાળ લગ્ન પ્રતિબંધક અધીકારીને કરાઈ હતી, ટીમ પોલીસ સાથે લગ્ન અટકાવવા માટે લગ્ન મંડપ મા પહોચે તે પહેલા પરિવારજનોએ લગ્ન કરાવીને જાનને વળાવી દેતા પોલીસે 5 ઈસમો વિરુદ્ધ સામે ફરીયાદ દાખલ કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર ગોઘરા ચાઇલ્ડ હેલ્પ લાઇન ને ખજુરી ગામે બાળલગ્ન થવાના હોવાની જાણ બપોરે 12.30 વાગ્યે થઈ હતી. જે ફરિયાદ ને પગલે ગોધરા જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી જે.એચ.લખારા તથા બાળ સુરક્ષા અઘિકારી જે.પી.પંચાલ તથા લીગલ ઓફિસર ભાવનાબેન, ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ, ગોઘરા તાલુકા પોલીસ સ્ટાફ સાથે રાખી ખજૂરી ગામે સ્થળ તપાસ કરતા કિશોરીનાં બાળલગ્ન બપોરે 12 વાગે થઇ ગયા હતા. અને સગીરાને લઇને જાન દાહોદના પતંગડી ગામે સાસરીમાં જતી રહી હતી, અધીકારીએ સગીરાના માતા પિતા પાસે સગીરાની ઉમંરના પુરાવા અને લગ્નની કંકોત્રી માંગીને તપાસ કરતાં 16 વર્ષ અને 5 માસની હોવાનું જાણવા મળી આવ્યું હતુ. જયારે લગ્ન કરવા આવનાર વરરાજાની ઉમંર પણ લગ્નની ઉમંર 21 વર્ષ કરતાં નાની હતી. અધિકારી અને પોલીસે તપાસ કરતાં બાળલગ્ન થયા હોવાના પુરાવા મળતા આ લગ્ન કરનાર વરરાજા અને તેના માતા પિતા તથા કિશોરીના માતા-પિતા સહિત કુલ 5 ગુનેગારો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે બાળલગ્ન પ્રતિબંઘક કાયદા હેઠળ ગુનો નોંઘવામાં આવ્યો હતો.
Advertisement

સંબંધિત પોસ્ટ

લીમખેડા ગ્રામ પંચાયત ચૂંટણી: નિરસતા વચ્ચે રસપ્રદ બનશે ચૂંટણી, પ્રજાપતિ-ભરવાડ સમાજની ચાલ પર સૌની નજર: ગ્રામજનોમાં ઉત્સાહનો અભાવ, સરપંચના ઉમેદવારોને વોર્ડ સભ્યો શોધવામાં મુશ્કેલી, 22 જૂને મતદાન

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24