Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારફતેપુરા

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

  • ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના ઉડાવ્યા લીરેલીરા
  • જાહેર કાર્યક્રમ મા મામલતદાર માસ્ક વગર જોવા મળ્યા
  • Advertisement
  • શુ મામલતદારને કોઈ નિયમ કાનુન લાગુ નહિ પડે?
  • મામલતદાર પી.એન.પરમાર માસ્ક નહિ પહેરવા બદલ નિયમ મુજબ ભરશે રૂપીયા ૧૦૦૦/- નો દંડ?
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.13
ફતેપુરા તાલુકાના યોગ ટ્રેનર તાલીમ પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ફતેપુરા મામલતદાર દ્વારા જ સરકારની કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા, મામલતદારે માસ્ક નહિ પહેરી સરકારના નિયમો નુ પાલન નથી કર્યુ, હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, સાથે હાલ કોરોના ના કેસોમા પણ મહદઅંશે રાહત મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા કોરોના ગાઇડ લાઇન મુજબ માસ્ક એન સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે ની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ જો અધિકારી જ કોરોના નો ભંગ કરતા જોવા મળે તો ? ત્રીજી લહેર કંટ્રોલ કેમ કરી શકાશે તે એક મોટો સવાલ છે, કોરોના ગાઇડ લાઈનના ધજાગરા ઉડયા એ પણ અધિકારી કે, લોકો એ પણ માસ્ક પહેરેલા નથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. જો આમ વ્યક્તિ કોરોના નો ભંગ કરતા જોવા મળે તો તેને ભંગ બદલ રૂપીયા ૧૦૦૦/- નો દંડ ભરવો પડે છે ત્યારે જો અધિકારીઓ જ કોરોના ગાઇડ લાઇનનુ પાલન ન કરે તો? તેમણે દંડ ભરવો કે નહિ તેવો સવાલ આમ જનતા ના મનમા ઉઠી રહ્યા છે, ત્યારે હવે જોવા નું રહ્યું કે, ફતેપુરા મામલતદાર પી.એન.પરમાર પાસે પોલીસ નિયમ ભંગ કરવા બદલ દંડ ની વસુલાત કરે છે કે કેમ તે તો જોવાનુ રહેશે.

ફતેપુરા તાલુકામા હજી પણ દરરોજ કોરોના સંક્રમણ ના એક બે કેસો નોધાઈ રહ્યા છે ત્યારે જો આવી રીતે જ જો કોરોના ના નિયમો નું પાલન કરવા મા નહીં આવે તો કોરોના ના કેસોમા વધારો નોધાય તો નવાઈ નહી.

સંબંધિત પોસ્ટ

દાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ લોન્ચ કરાઈ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

ગુજરાત વિભાનસભાની ચુંટણીની થઈ શકે છે જાહેરાત: જાણો ચુંટણીની સંભવિત તારીખો

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લામાં કોરોના વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24