Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારફતેપુરા

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

  • ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના ઉડાવ્યા લીરેલીરા
  • જાહેર કાર્યક્રમ મા મામલતદાર માસ્ક વગર જોવા મળ્યા
  • Advertisement
  • શુ મામલતદારને કોઈ નિયમ કાનુન લાગુ નહિ પડે?
  • મામલતદાર પી.એન.પરમાર માસ્ક નહિ પહેરવા બદલ નિયમ મુજબ ભરશે રૂપીયા ૧૦૦૦/- નો દંડ?
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.13
ફતેપુરા તાલુકાના યોગ ટ્રેનર તાલીમ પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ફતેપુરા મામલતદાર દ્વારા જ સરકારની કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા, મામલતદારે માસ્ક નહિ પહેરી સરકારના નિયમો નુ પાલન નથી કર્યુ, હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, સાથે હાલ કોરોના ના કેસોમા પણ મહદઅંશે રાહત મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા કોરોના ગાઇડ લાઇન મુજબ માસ્ક એન સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે ની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ જો અધિકારી જ કોરોના નો ભંગ કરતા જોવા મળે તો ? ત્રીજી લહેર કંટ્રોલ કેમ કરી શકાશે તે એક મોટો સવાલ છે, કોરોના ગાઇડ લાઈનના ધજાગરા ઉડયા એ પણ અધિકારી કે, લોકો એ પણ માસ્ક પહેરેલા નથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. જો આમ વ્યક્તિ કોરોના નો ભંગ કરતા જોવા મળે તો તેને ભંગ બદલ રૂપીયા ૧૦૦૦/- નો દંડ ભરવો પડે છે ત્યારે જો અધિકારીઓ જ કોરોના ગાઇડ લાઇનનુ પાલન ન કરે તો? તેમણે દંડ ભરવો કે નહિ તેવો સવાલ આમ જનતા ના મનમા ઉઠી રહ્યા છે, ત્યારે હવે જોવા નું રહ્યું કે, ફતેપુરા મામલતદાર પી.એન.પરમાર પાસે પોલીસ નિયમ ભંગ કરવા બદલ દંડ ની વસુલાત કરે છે કે કેમ તે તો જોવાનુ રહેશે.

ફતેપુરા તાલુકામા હજી પણ દરરોજ કોરોના સંક્રમણ ના એક બે કેસો નોધાઈ રહ્યા છે ત્યારે જો આવી રીતે જ જો કોરોના ના નિયમો નું પાલન કરવા મા નહીં આવે તો કોરોના ના કેસોમા વધારો નોધાય તો નવાઈ નહી.

સંબંધિત પોસ્ટ

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદ ની સામાન્ય વરસાદ માંજ ખુલી પોલ… રેલ્વે અંડર બ્રિજ પાસે ગોદી રોડ પર ટ્રકે યોગ દિવસે પાલિકા ના કાર્યો થી કર્યો યોગ… ટ્રક ફસાતા ટ્રાફિક જામ ના દ્રષ્યો

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24