Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

  • જન્મદિવસની ઉજવણીના રક્તદાન કેમ્પમાં 103 યુનિટ રક્ત એકત્ર
  • લીમખેડા નગરના સમાજસેવક દિનેશ શાહના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી
  • Advertisement
  • સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી ભોરિયું પહેરાવી રક્તદાન કેમ્પ ખુલ્લો મુક્યો.
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.10
લીમખેડા નગરના સમાજસેવક અને પત્રકાર દિનેશભાઇ નંદકિશોર શાહના 57માં જન્મ દિવસના ભાગરૂપે લીમખેડા રામજી મંદિરની સમાજવાડીમાં રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજી અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી.આ કેમ્પનું ઉદ્ધાટન પૂર્વ કેન્દ્રિય મંત્રી અને દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી સ્નેહલ ધરીયા,જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ ચેરમેન રમીલાબેન રાવત લીમખેડા તાલુકા ભાજપ મહામંત્રી અનિલ શાહ જીલ્લા પંચાયત સભ્ય છત્રસિંહ મેડા ટી.કે.બારીયા ડો.ઉમેશ સથવારા સરપંચ દિનેશભાઈ ભરવાડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

સાંસદ જસવંતસિંહ ભાભોરે દિનેશભાઈ શાહને માનવતાના ઉમદા કાર્યને બિરદાવી ચાંદીનું ભોંયરું તથા સાલ પહેરાવી સમ્માન કર્યું હતું.રકતદન કેમ્પમાં કુલ103 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના ડો પંચાલે રક્તદાન કેમ્પનું સફળ સંચાલન કરી કેમ્પને ખૂબજ સફળ ગણાવ્યો હતો. શાહ પરિવાર દ્વારા આ ચોથો રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો.રક્તદતા તમામનો દિનેશભાઇ શાહે આભાર વક્ત કર્યો હતો.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરા પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી ૬ હજારનો દંડ જ્યારે ૧૧ હજાર દંડ વસુલી ૩ વાહનો મુક્ત કર્યા

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24