Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

  • જન્મદિવસની ઉજવણીના રક્તદાન કેમ્પમાં 103 યુનિટ રક્ત એકત્ર
  • લીમખેડા નગરના સમાજસેવક દિનેશ શાહના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી
  • Advertisement
  • સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી ભોરિયું પહેરાવી રક્તદાન કેમ્પ ખુલ્લો મુક્યો.
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.10
લીમખેડા નગરના સમાજસેવક અને પત્રકાર દિનેશભાઇ નંદકિશોર શાહના 57માં જન્મ દિવસના ભાગરૂપે લીમખેડા રામજી મંદિરની સમાજવાડીમાં રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજી અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી.આ કેમ્પનું ઉદ્ધાટન પૂર્વ કેન્દ્રિય મંત્રી અને દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી સ્નેહલ ધરીયા,જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ ચેરમેન રમીલાબેન રાવત લીમખેડા તાલુકા ભાજપ મહામંત્રી અનિલ શાહ જીલ્લા પંચાયત સભ્ય છત્રસિંહ મેડા ટી.કે.બારીયા ડો.ઉમેશ સથવારા સરપંચ દિનેશભાઈ ભરવાડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

સાંસદ જસવંતસિંહ ભાભોરે દિનેશભાઈ શાહને માનવતાના ઉમદા કાર્યને બિરદાવી ચાંદીનું ભોંયરું તથા સાલ પહેરાવી સમ્માન કર્યું હતું.રકતદન કેમ્પમાં કુલ103 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના ડો પંચાલે રક્તદાન કેમ્પનું સફળ સંચાલન કરી કેમ્પને ખૂબજ સફળ ગણાવ્યો હતો. શાહ પરિવાર દ્વારા આ ચોથો રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો.રક્તદતા તમામનો દિનેશભાઇ શાહે આભાર વક્ત કર્યો હતો.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

બીમારીઓથી દુર રહેવા સવારે ખાલી પેટ મેથીના દાણાનું કરો સેવન: ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Panchayat Samachar24

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24