Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

  • જન્મદિવસની ઉજવણીના રક્તદાન કેમ્પમાં 103 યુનિટ રક્ત એકત્ર
  • લીમખેડા નગરના સમાજસેવક દિનેશ શાહના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી
  • Advertisement
  • સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી ભોરિયું પહેરાવી રક્તદાન કેમ્પ ખુલ્લો મુક્યો.
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.10
લીમખેડા નગરના સમાજસેવક અને પત્રકાર દિનેશભાઇ નંદકિશોર શાહના 57માં જન્મ દિવસના ભાગરૂપે લીમખેડા રામજી મંદિરની સમાજવાડીમાં રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજી અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી.આ કેમ્પનું ઉદ્ધાટન પૂર્વ કેન્દ્રિય મંત્રી અને દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી સ્નેહલ ધરીયા,જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ ચેરમેન રમીલાબેન રાવત લીમખેડા તાલુકા ભાજપ મહામંત્રી અનિલ શાહ જીલ્લા પંચાયત સભ્ય છત્રસિંહ મેડા ટી.કે.બારીયા ડો.ઉમેશ સથવારા સરપંચ દિનેશભાઈ ભરવાડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

સાંસદ જસવંતસિંહ ભાભોરે દિનેશભાઈ શાહને માનવતાના ઉમદા કાર્યને બિરદાવી ચાંદીનું ભોંયરું તથા સાલ પહેરાવી સમ્માન કર્યું હતું.રકતદન કેમ્પમાં કુલ103 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના ડો પંચાલે રક્તદાન કેમ્પનું સફળ સંચાલન કરી કેમ્પને ખૂબજ સફળ ગણાવ્યો હતો. શાહ પરિવાર દ્વારા આ ચોથો રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો.રક્તદતા તમામનો દિનેશભાઇ શાહે આભાર વક્ત કર્યો હતો.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર ના હસ્તે કરવામાં આવ્યું

Panchayat Samachar24

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24