Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું: દાહોદ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો

  • આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં ‘પેડલ ટુ કાલી ડેમ’ સાયકલ રેલી યોજાઇ
  • દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ વહેલી પરોઢે સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો હતો. નગર પાલિકા પ્રમુખ રીના પંચાલે આ સાયકલ રેલીમાં ભાગ પણ લીધો હતો. આ સાયકલ રેલી દાહોદ નગરનાં વિવિધ વિસ્તારોમાં થઇને જિલ્લા સેવા સદનના રસ્તે કાલી ડેમ પહોંચી હતી અને ત્યાર બાદ વિશ્રામગૃહ દાહોદ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. ૮૦ થી વધુ સાયકલ સવારોએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને આઝાદીના ઇતિહાસથી નવી પેઢીને અવગત કરવામાં આવી રહી છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24