Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

  • ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા પરિવારમા ખુશીનો માહોલ છવાયો
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.11
ધોરણ 12 સાયન્સ મા અભ્યાસ પુર્ણ કર્યા બાદ મેડીકલ ક્ષેત્રમા એડમિશન મેળવવા નીટની પરીક્ષા યોજવામા આવી હતી, જે પરિક્ષાનુ પરિણામ તાજેતરમા જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણકુમાર છગનલાલ પ્રજાપતિની દિકરી આર્ચિ પ્રજાપતિએ નીટની પરિક્ષામા 700 માર્કસ માંથી 544 માર્કસ મેળવીને તેના પરિવાર સહિત બલૈયા સહિત ફતેપુરા તાલુકાના સમગ્ર પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું, આર્ચિ પ્રજાપતિ 544 માર્કસ સાથે ઉતરણી થતા પરિવારજનોએ આર્ચિનુ મો મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજે સોશિયલ મિડીયા અને ટેલીફોન મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી, આર્ચિ પ્રજાપતિ ભવિષ્ય મા મેડીકલ ક્ષેત્રે ખુબ પ્રગતિ કરે તેવી હ્દય પુર્વક શુભકામનાઓ આપો હતી.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર
Advertisement

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાની કેટલીક બક્ષીપંચ છાત્રાલયોમા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવની ચર્ચાઓ: કેટલીક છાત્રાલયોમા મંજુરીની સંખ્યા કરતા ઓછા વિધાર્થીઓ સાથે ચાલતી હોવાની વ્યાપક બુમો ઉઠી, છાત્રાલયોની તાત્કાલિક તપાસની જરૂરિયાત

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24