Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

  • ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા પરિવારમા ખુશીનો માહોલ છવાયો
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.11
ધોરણ 12 સાયન્સ મા અભ્યાસ પુર્ણ કર્યા બાદ મેડીકલ ક્ષેત્રમા એડમિશન મેળવવા નીટની પરીક્ષા યોજવામા આવી હતી, જે પરિક્ષાનુ પરિણામ તાજેતરમા જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણકુમાર છગનલાલ પ્રજાપતિની દિકરી આર્ચિ પ્રજાપતિએ નીટની પરિક્ષામા 700 માર્કસ માંથી 544 માર્કસ મેળવીને તેના પરિવાર સહિત બલૈયા સહિત ફતેપુરા તાલુકાના સમગ્ર પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું, આર્ચિ પ્રજાપતિ 544 માર્કસ સાથે ઉતરણી થતા પરિવારજનોએ આર્ચિનુ મો મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજે સોશિયલ મિડીયા અને ટેલીફોન મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી, આર્ચિ પ્રજાપતિ ભવિષ્ય મા મેડીકલ ક્ષેત્રે ખુબ પ્રગતિ કરે તેવી હ્દય પુર્વક શુભકામનાઓ આપો હતી.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર
Advertisement

સંબંધિત પોસ્ટ

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

Panchayat Samachar24