Panchayat Samachar24
Breaking News
અન્યગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ હતુ.

દેશને શરમમાં ડૂબાડી ડે તેવી ઘટનાનો એક વિડીયો મણિપુર માંથી સામે આવ્યો હતો, આ વિડીયોમાં કેટલાક લોકો બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં ફેરવી રહ્યા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં તેની પ્રતિક્રિયા જોવા મળી હતી, ત્યારે આજે ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા લીમખેડા તાલુકા માંથી આ ઘટનાને લઈને પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. આજે સવારથી જ લીમખેડા તાલુકામાં મણિપુરની ઘટનાના વિરોધમાં નગરના વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખી આદિવાસી સમાજ સાથે થતા અત્યાચાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

મણિપુર માંથી વાયરલ થયેલા વિડીયોમાં મૈતેઇ સમુદાયના લોકો કુકી આદિવાસી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી સાથે નરાધમોએ મહિલાઓ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. આ વિડીયો વાયરલ થયો હતો, ત્યાર બાદ દેશમાં બધી જ જગ્યાએ સોશિયલ મીડિયા પર અને જાહેરમાં આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં પણ લીમખેડા તાલુકાના આદિવાસી સમુદાય દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત લીમખેડા તાલુકામા વેપાર, ધંધા ના એ દુકાનો સ્વયંભૂ બંધ રાખવામા આવી હતી. આદિવાસી પરિવાર દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી હતી.

એક તરફ દેશના વડાપ્રધાન જાહેર મંચ પરથી ‘સૌનો સાથ સૌનો વિકાસ’ની વાત કરે છે અને ગરીબો, વાંચીતો અને પિડિતોને અપમાન સાંખી લેવામાં નહી આવે તેવા નિવેદન આપી રહ્યા છે. બીજી તરફ દેશના કેટલાક રાજ્યમાં આજે પણ દલિત અને આદિવાસીઓ પર અત્યાચારની ઘટના બની રહી છે. ક્યારેક પેશાબ કરતી ઘટના તો કયારેક ચંપલ ચટાડતી ઘટના. ત્યારે હવે તો હદ થઈ ગઈ છે જ્યારે મણિપુરમાં લગભગ 3 મહિનાથી જાતિગત રમખાણો ચાલી રહ્યા છે અને હવે તો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં ફેરવતા હોય તેવો વિડીયો વાયરલ થાય છે, તેમ છતાં સરકાર આ હિંસાને રોકવામાં નિષ્ફળ રહી છે. તેવો આક્ષેપ આદિવાસી સમાજને આગેવાનો દ્વારા લગાવવામા આવ્યો હતો.

સંબંધિત પોસ્ટ

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું પાણી પુરુ પાડવાની યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો: અગાઉની યોજનાઓમાં બનાવેલ પાણીના ટાંકાઓ તથા સંપમાં વર્ષો બાદ પણ પાણી આવ્યુ નથી

લીમડી થી ચાકલીયા રોડ પર મલવાસી ગામ નજીક તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હોમગાર્ડ જવાનની કરપીણ હત્યા: ઘટનાને પગલે લીમડી પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24