Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

  • કોરોના વેક્સિન ન લેનાર લોકો માટે સરકારી નિયંત્રણ લગાવ્યા
  • કોરોના વેક્સિન નહિ લેનારને કેટલીક જગ્યાઓ પર પ્રવેશ પર પ્રતિબંધ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
સમગ્ર દેશ સહિત દુનિયા છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ ના ભરડામા છે, કોરોના સંક્રમણના અટકાવવા અનેક નિયમો અને ગાઈડલાઈન જાહેર કરવામાં આવ્યા છે, કોરોના સંક્રમણને રોકવા માટે રસી એકમાત્ર ઉપાય છે. કોરોના વાયરસ સામે ભારત પણ સતત મજબૂતી સાથે લડી રહ્યુ છે, સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા દરેક નાગરિકને વિનામૂલ્યે પોરણા વ્યક્તિના બે ડોઝ આપી તેને કરુણાથી સુરક્ષિત કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 110.23 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. તેમ છતાં હજી ઘણા લોકો એવા છે જેઓએ કોવિડ-19 રસી લીધી નથી જેને લઈને ગુજરાત સરકારે એક અનોખી પહેલ શરૂ કરી છે.
ગુજરાત સરકારે એવા લોકો માટે કેટલાક નિયંત્રણો લગાવ્યા છે, જે લોકો યોગ્યતા ધરાવતા હોવા છતાં કોરોના વેક્સિન લેતા નથી. આ અંગે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ  18 વર્ષથી વધુ ઉંમરના જેઓ રસી માટે લાયક છે અને હજુ સુધી પ્રથમ કે બીજો ડોઝ મળ્યો નથી, તેમને એએમટીએસ, બીઆરટીએસમાં પ્રવેશ આપવામાં આવશે નહી. કાંકરિયા લેકફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય, સાબરમતી રિવરફ્રન્ટમાં પણ જવા દેવામાં આવશે નહીં.
નવી માર્ગદર્શિકા અનુસાર લાઇબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પૂલ, AMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિટી સિવિક સેન્ટર અને કોર્પોરેશનની તમામ ઇમારતોમાં પ્રવેશતા પહેલા રસીના પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. સરકારની આ સૂચના બાદ હવે આવા લોકો કાં તો વહેલામાં વહેલી તકે રસી આપવા માટે આગળ આવશે અથવા તો તેઓએ તેમના ઘરે જ રહેવું પડશે.
મયુર રાઠોડ,  મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની કેટલીક બક્ષીપંચ છાત્રાલયોમા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવની ચર્ચાઓ: કેટલીક છાત્રાલયોમા મંજુરીની સંખ્યા કરતા ઓછા વિધાર્થીઓ સાથે ચાલતી હોવાની વ્યાપક બુમો ઉઠી, છાત્રાલયોની તાત્કાલિક તપાસની જરૂરિયાત

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

ફતેપુરાના મોટાનટવા ખાતે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24