Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

  • કોરોના વેક્સિન ન લેનાર લોકો માટે સરકારી નિયંત્રણ લગાવ્યા
  • કોરોના વેક્સિન નહિ લેનારને કેટલીક જગ્યાઓ પર પ્રવેશ પર પ્રતિબંધ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
સમગ્ર દેશ સહિત દુનિયા છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ ના ભરડામા છે, કોરોના સંક્રમણના અટકાવવા અનેક નિયમો અને ગાઈડલાઈન જાહેર કરવામાં આવ્યા છે, કોરોના સંક્રમણને રોકવા માટે રસી એકમાત્ર ઉપાય છે. કોરોના વાયરસ સામે ભારત પણ સતત મજબૂતી સાથે લડી રહ્યુ છે, સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા દરેક નાગરિકને વિનામૂલ્યે પોરણા વ્યક્તિના બે ડોઝ આપી તેને કરુણાથી સુરક્ષિત કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 110.23 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. તેમ છતાં હજી ઘણા લોકો એવા છે જેઓએ કોવિડ-19 રસી લીધી નથી જેને લઈને ગુજરાત સરકારે એક અનોખી પહેલ શરૂ કરી છે.
ગુજરાત સરકારે એવા લોકો માટે કેટલાક નિયંત્રણો લગાવ્યા છે, જે લોકો યોગ્યતા ધરાવતા હોવા છતાં કોરોના વેક્સિન લેતા નથી. આ અંગે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ  18 વર્ષથી વધુ ઉંમરના જેઓ રસી માટે લાયક છે અને હજુ સુધી પ્રથમ કે બીજો ડોઝ મળ્યો નથી, તેમને એએમટીએસ, બીઆરટીએસમાં પ્રવેશ આપવામાં આવશે નહી. કાંકરિયા લેકફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય, સાબરમતી રિવરફ્રન્ટમાં પણ જવા દેવામાં આવશે નહીં.
નવી માર્ગદર્શિકા અનુસાર લાઇબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પૂલ, AMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિટી સિવિક સેન્ટર અને કોર્પોરેશનની તમામ ઇમારતોમાં પ્રવેશતા પહેલા રસીના પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. સરકારની આ સૂચના બાદ હવે આવા લોકો કાં તો વહેલામાં વહેલી તકે રસી આપવા માટે આગળ આવશે અથવા તો તેઓએ તેમના ઘરે જ રહેવું પડશે.
મયુર રાઠોડ,  મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

ફતેપુરાના મોટાનટવા ખાતે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

Panchayat Samachar24

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત સરકારે 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ ફરજિયાતપણે શણના થેલામાં પેકિંગ કરવા કર્યો આદેશ

Panchayat Samachar24