Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

  • આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કુમારે પરિપત્ર જાહેર કર્યો
  • પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા પર મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે
  • Advertisement
  • પોલીસ કર્મીઓ દ્વારા ફરજોના કલાકો નક્કી કરવા બાબતે જેવા અનેક મુદ્દાઓને લઈને માંગો

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26

ગુજરાત પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફતે ચાલી રહેલા ગ્રેડ પે આંદોલનનો મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કમારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ના કરવા સૂચના આપવામાં આવી છે. આચાર સહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે, આ પરીપત્ર અનુસાર સોશિયલ મીડિયા પર આચાર સહિતા ભંગ થતી ટીપ્પણી ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
હાલ પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા પર મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે આંદોલનને લઈને અધિક પોલીસ મહાનિર્દેશક પોલીસ કર્મીઓને પરિપત્ર જાહેર કરી આમ ન કરવા માટેની કડક સૂચના આપી છે. બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસથી પોલીસ ગ્રેડ પે ને લઈને સોશિયલ મીડિયામાં જોરશોરથી આંદોલન ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા ગ્રેડ પેમાં વધારો, રજાઓ, કામનો નિયત સમય જેવી અને માંગો ઉભી થવા પામી છે જે મુદ્દાઓ દિવસેને દિવસે સોશિયલ મીડિયામાં તીવ્રતા પકડી રહ્યા છે. જોકે પોલીસ કર્મીઓ દ્વારા પણ ગ્રેડ પેના નામે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું.
પોલીસ કર્મીઓ દ્વારા ફરજોના કલાકો નક્કી કરવા બાબતે જેવા અનેક મુદ્દાઓને લઈને માંગો થવા પામી છે પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા કર્મીઓ તેમને હાલ મળી રહેલા હકને લઈને લડાઇના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત પોલીસ એક પોલીસ કોન્સ્ટેબલ કર્મચારીએ ગાંધીનગર વિધાનસભા ખાતે ધરણા કરી આંદોલન શરુ કરી દીધી છે, સમગ્ર ગુજરાત ના કર્મચારીઓ તેના સમર્થન મા ગાંધીનગર પહોંચવાની શરુઆત કરી દીધી છે ત્યારે આ પોલીસ આંદોલન આગામી સમય મા વધુ વેગ પકડશે તેમ લાગુ રહ્યુ છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની કેટલીક બક્ષીપંચ છાત્રાલયોમા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવની ચર્ચાઓ: કેટલીક છાત્રાલયોમા મંજુરીની સંખ્યા કરતા ઓછા વિધાર્થીઓ સાથે ચાલતી હોવાની વ્યાપક બુમો ઉઠી, છાત્રાલયોની તાત્કાલિક તપાસની જરૂરિયાત

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

દાહોદ SOG અને LCB પોલીસે સીંગવડ ના હાંડી ગામેથી રૂપીયા 2.75 કરોડની કિંમતનો 2745 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

Panchayat Samachar24