Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

  • આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કુમારે પરિપત્ર જાહેર કર્યો
  • પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા પર મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે
  • Advertisement
  • પોલીસ કર્મીઓ દ્વારા ફરજોના કલાકો નક્કી કરવા બાબતે જેવા અનેક મુદ્દાઓને લઈને માંગો

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26

ગુજરાત પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફતે ચાલી રહેલા ગ્રેડ પે આંદોલનનો મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કમારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ના કરવા સૂચના આપવામાં આવી છે. આચાર સહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે, આ પરીપત્ર અનુસાર સોશિયલ મીડિયા પર આચાર સહિતા ભંગ થતી ટીપ્પણી ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
હાલ પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા પર મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે આંદોલનને લઈને અધિક પોલીસ મહાનિર્દેશક પોલીસ કર્મીઓને પરિપત્ર જાહેર કરી આમ ન કરવા માટેની કડક સૂચના આપી છે. બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસથી પોલીસ ગ્રેડ પે ને લઈને સોશિયલ મીડિયામાં જોરશોરથી આંદોલન ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા ગ્રેડ પેમાં વધારો, રજાઓ, કામનો નિયત સમય જેવી અને માંગો ઉભી થવા પામી છે જે મુદ્દાઓ દિવસેને દિવસે સોશિયલ મીડિયામાં તીવ્રતા પકડી રહ્યા છે. જોકે પોલીસ કર્મીઓ દ્વારા પણ ગ્રેડ પેના નામે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું.
પોલીસ કર્મીઓ દ્વારા ફરજોના કલાકો નક્કી કરવા બાબતે જેવા અનેક મુદ્દાઓને લઈને માંગો થવા પામી છે પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા કર્મીઓ તેમને હાલ મળી રહેલા હકને લઈને લડાઇના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત પોલીસ એક પોલીસ કોન્સ્ટેબલ કર્મચારીએ ગાંધીનગર વિધાનસભા ખાતે ધરણા કરી આંદોલન શરુ કરી દીધી છે, સમગ્ર ગુજરાત ના કર્મચારીઓ તેના સમર્થન મા ગાંધીનગર પહોંચવાની શરુઆત કરી દીધી છે ત્યારે આ પોલીસ આંદોલન આગામી સમય મા વધુ વેગ પકડશે તેમ લાગુ રહ્યુ છે.

સંબંધિત પોસ્ટ

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

Panchayat Samachar24

ફાયર સેફટીના નિયમોના ભંગ કરનારાઓ સામે ઝાલોદ નગરપાલીકાએ કરી લાલ આંખ: નિયમોના ભંગ બદલ સાત બિલ્ડીંગોને કરી સીલ: 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા અને 3 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24