Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

  • આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કુમારે પરિપત્ર જાહેર કર્યો
  • પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા પર મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે
  • Advertisement
  • પોલીસ કર્મીઓ દ્વારા ફરજોના કલાકો નક્કી કરવા બાબતે જેવા અનેક મુદ્દાઓને લઈને માંગો

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26

ગુજરાત પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફતે ચાલી રહેલા ગ્રેડ પે આંદોલનનો મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કમારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ના કરવા સૂચના આપવામાં આવી છે. આચાર સહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે, આ પરીપત્ર અનુસાર સોશિયલ મીડિયા પર આચાર સહિતા ભંગ થતી ટીપ્પણી ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
હાલ પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા પર મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે આંદોલનને લઈને અધિક પોલીસ મહાનિર્દેશક પોલીસ કર્મીઓને પરિપત્ર જાહેર કરી આમ ન કરવા માટેની કડક સૂચના આપી છે. બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસથી પોલીસ ગ્રેડ પે ને લઈને સોશિયલ મીડિયામાં જોરશોરથી આંદોલન ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા ગ્રેડ પેમાં વધારો, રજાઓ, કામનો નિયત સમય જેવી અને માંગો ઉભી થવા પામી છે જે મુદ્દાઓ દિવસેને દિવસે સોશિયલ મીડિયામાં તીવ્રતા પકડી રહ્યા છે. જોકે પોલીસ કર્મીઓ દ્વારા પણ ગ્રેડ પેના નામે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું.
પોલીસ કર્મીઓ દ્વારા ફરજોના કલાકો નક્કી કરવા બાબતે જેવા અનેક મુદ્દાઓને લઈને માંગો થવા પામી છે પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા કર્મીઓ તેમને હાલ મળી રહેલા હકને લઈને લડાઇના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત પોલીસ એક પોલીસ કોન્સ્ટેબલ કર્મચારીએ ગાંધીનગર વિધાનસભા ખાતે ધરણા કરી આંદોલન શરુ કરી દીધી છે, સમગ્ર ગુજરાત ના કર્મચારીઓ તેના સમર્થન મા ગાંધીનગર પહોંચવાની શરુઆત કરી દીધી છે ત્યારે આ પોલીસ આંદોલન આગામી સમય મા વધુ વેગ પકડશે તેમ લાગુ રહ્યુ છે.

સંબંધિત પોસ્ટ

દાહોદના વિકાસના શિલ્પી બચુભાઈ ખાબડની મધુર વાણીથી વિરોધીઓના ષડયંત્રો અને સત્તાના સપનાઓ ચકનાચૂર

Panchayat Samachar24

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24

કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાય: વેક્સિનના બંને ડોઝ લેનારા સંજીવભાઇએ કોરોના સંક્રમિત માતાની સેવા કરી પરંતુ કોરોના સ્પર્શયો પણ નહી

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24