Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા નગરના વિકાસ માટે આવેલ 96 લાખની ગ્રાન્ટ માંથી પંચાયત ભવન બનાવવાની હિલચાલ સામે સોશિયલ મીડિયામા સવાલોનો ધોધ: 42 લાખની આવક છતાં કર્મચારીઓનો પગાર ગ્રાન્ટમાંથી કેમ? સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા વહીવટી તંત્ર સામે પ્રશ્નાર્થ

  • ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટ મુદ્દે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ: 96 લાખની ગ્રાન્ટ માંથી પંચાયત ભવન બનાવવાની હિલચાલ સામે ઉઠ્યા સવાલો
  • સ્વભંડોળની 42 લાખની આવક સામે ગ્રાન્ટમાંથી પગાર કેમ? RCC રોડના કામના હિસાબ મુદ્દે પણ વોટ્સએપ ગ્રૂપોમાં ચર્ચાઓનું બજાર ગરમ
  • Advertisement
ફતેપુરા તા.7, રીપોર્ટર-વિશાલ નાહર 
ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટ અને નાણાકીય વ્યવહારોને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વિવિધ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. વોટ્સએપ ગ્રૂપોમાં વહેતા થયેલા આ મેસેજમાં પંચાયતની કામગીરી અને લાખોની ગ્રાન્ટના વપરાશ સામે અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ વાયરલ વાતોએ તંત્ર સામે પ્રશ્નાર્થ ચિન્હ જરૂર ઊભું કર્યું છે.

પંચાયત ભવન નિર્માણની હિલચાલ ચર્ચાના ચકડોળે

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી વિગતો મુજબ, ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા અંદાજે 96 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટમાંથી નવું ભવન બનાવવાની હિલચાલ ચાલી રહી છે. આ બાબતે લોકોમાં એવી ચર્ચા છે કે ગામમાં હજુ પણ અનેક વિકાસના કામો બાકી છે, ત્યારે આટલી મોટી રકમ માત્ર ભવન પાછળ ખર્ચવા પાછળ કોનો વિશેષ રસ હોઈ શકે? સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરનારા લોકો સરકારની ગ્રાન્ટના અન્ય હેતુ માટેના વપરાશ સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

પંચાયતની આવક અને ખર્ચના ગણિત મુદ્દે આક્ષેપો

ચર્ચાઓ મુજબ, ફતેપુરા ગ્રામ પંચાયતની વાર્ષિક સ્વભંડોળની આવક અંદાજે 42 લાખ રૂપિયા જેટલી હોવા છતાં, કર્મચારીઓના પગાર વિકાસ માટે આવેલી ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નિયમ મુજબ પંચાયતે પોતાની આવકમાંથી પગાર કરવાના હોય છે, ત્યારે 42 લાખની આવકનો ઉપયોગ ક્યાં થયો અને ગ્રાન્ટના નાણાં પગારમાં કેમ વપરાયા તે બાબતે સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

RCC રોડના હિસાબ અને કર્મચારીની ભરતી પ્રક્રિયા પર શંકાની સોય

માત્ર ભવન જ નહીં, પરંતુ આરસીસી રોડના અંદાજે 9 લાખ રૂપિયાના હિસાબમાં પણ કંઈક અજૂગતું હોવાની આશંકાઓ વોટ્સએપના માધ્યમથી વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથોસાથ પંચાયત કર્મચારીઓની નિમણૂક કોના આદેશથી અને કયા ધોરણે થઈ તે ભરતી પ્રક્રિયા સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વાયરલ પોસ્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ વિગતોમાં ‘દાળમાં કંઈક કાળું’ છે અને સત્ય બહાર લાવવા માટે તટસ્થ તપાસની જરૂર છે.

વહીવટીતંત્રનો પક્ષ બાકી

સોશિયલ મીડિયામાં ચાલી રહેલી આ ચર્ચાઓ અને વાયરલ મેસેજમાં કેટલું તથ્ય છે તે તપાસનો વિષય છે. હાલ તો આ માત્ર જનતા વચ્ચે ચાલતી ચર્ચાઓ છે, જેના પર પંચાયત કે વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો વહીવટમાં પારદર્શિતા હશે તો આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાશે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24