Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા નગરના વિકાસ માટે આવેલ 96 લાખની ગ્રાન્ટ માંથી પંચાયત ભવન બનાવવાની હિલચાલ સામે સોશિયલ મીડિયામા સવાલોનો ધોધ: 42 લાખની આવક છતાં કર્મચારીઓનો પગાર ગ્રાન્ટમાંથી કેમ? સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા વહીવટી તંત્ર સામે પ્રશ્નાર્થ

  • ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટ મુદ્દે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ: 96 લાખની ગ્રાન્ટ માંથી પંચાયત ભવન બનાવવાની હિલચાલ સામે ઉઠ્યા સવાલો
  • સ્વભંડોળની 42 લાખની આવક સામે ગ્રાન્ટમાંથી પગાર કેમ? RCC રોડના કામના હિસાબ મુદ્દે પણ વોટ્સએપ ગ્રૂપોમાં ચર્ચાઓનું બજાર ગરમ
  • Advertisement
ફતેપુરા તા.7, રીપોર્ટર-વિશાલ નાહર 
ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટ અને નાણાકીય વ્યવહારોને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વિવિધ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. વોટ્સએપ ગ્રૂપોમાં વહેતા થયેલા આ મેસેજમાં પંચાયતની કામગીરી અને લાખોની ગ્રાન્ટના વપરાશ સામે અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ વાયરલ વાતોએ તંત્ર સામે પ્રશ્નાર્થ ચિન્હ જરૂર ઊભું કર્યું છે.

પંચાયત ભવન નિર્માણની હિલચાલ ચર્ચાના ચકડોળે

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી વિગતો મુજબ, ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા અંદાજે 96 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટમાંથી નવું ભવન બનાવવાની હિલચાલ ચાલી રહી છે. આ બાબતે લોકોમાં એવી ચર્ચા છે કે ગામમાં હજુ પણ અનેક વિકાસના કામો બાકી છે, ત્યારે આટલી મોટી રકમ માત્ર ભવન પાછળ ખર્ચવા પાછળ કોનો વિશેષ રસ હોઈ શકે? સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરનારા લોકો સરકારની ગ્રાન્ટના અન્ય હેતુ માટેના વપરાશ સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

પંચાયતની આવક અને ખર્ચના ગણિત મુદ્દે આક્ષેપો

ચર્ચાઓ મુજબ, ફતેપુરા ગ્રામ પંચાયતની વાર્ષિક સ્વભંડોળની આવક અંદાજે 42 લાખ રૂપિયા જેટલી હોવા છતાં, કર્મચારીઓના પગાર વિકાસ માટે આવેલી ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નિયમ મુજબ પંચાયતે પોતાની આવકમાંથી પગાર કરવાના હોય છે, ત્યારે 42 લાખની આવકનો ઉપયોગ ક્યાં થયો અને ગ્રાન્ટના નાણાં પગારમાં કેમ વપરાયા તે બાબતે સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

RCC રોડના હિસાબ અને કર્મચારીની ભરતી પ્રક્રિયા પર શંકાની સોય

માત્ર ભવન જ નહીં, પરંતુ આરસીસી રોડના અંદાજે 9 લાખ રૂપિયાના હિસાબમાં પણ કંઈક અજૂગતું હોવાની આશંકાઓ વોટ્સએપના માધ્યમથી વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથોસાથ પંચાયત કર્મચારીઓની નિમણૂક કોના આદેશથી અને કયા ધોરણે થઈ તે ભરતી પ્રક્રિયા સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વાયરલ પોસ્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ વિગતોમાં ‘દાળમાં કંઈક કાળું’ છે અને સત્ય બહાર લાવવા માટે તટસ્થ તપાસની જરૂર છે.

વહીવટીતંત્રનો પક્ષ બાકી

સોશિયલ મીડિયામાં ચાલી રહેલી આ ચર્ચાઓ અને વાયરલ મેસેજમાં કેટલું તથ્ય છે તે તપાસનો વિષય છે. હાલ તો આ માત્ર જનતા વચ્ચે ચાલતી ચર્ચાઓ છે, જેના પર પંચાયત કે વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો વહીવટમાં પારદર્શિતા હશે તો આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાશે.

સંબંધિત પોસ્ટ

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

Panchayat Samachar24

બીમારીઓથી દુર રહેવા સવારે ખાલી પેટ મેથીના દાણાનું કરો સેવન: ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Panchayat Samachar24

લીમખેડાના ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા

Panchayat Samachar24