Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા નગરના વિકાસ માટે આવેલ 96 લાખની ગ્રાન્ટ માંથી પંચાયત ભવન બનાવવાની હિલચાલ સામે સોશિયલ મીડિયામા સવાલોનો ધોધ: 42 લાખની આવક છતાં કર્મચારીઓનો પગાર ગ્રાન્ટમાંથી કેમ? સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા વહીવટી તંત્ર સામે પ્રશ્નાર્થ

  • ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટ મુદ્દે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ: 96 લાખની ગ્રાન્ટ માંથી પંચાયત ભવન બનાવવાની હિલચાલ સામે ઉઠ્યા સવાલો
  • સ્વભંડોળની 42 લાખની આવક સામે ગ્રાન્ટમાંથી પગાર કેમ? RCC રોડના કામના હિસાબ મુદ્દે પણ વોટ્સએપ ગ્રૂપોમાં ચર્ચાઓનું બજાર ગરમ
  • Advertisement
ફતેપુરા તા.7, રીપોર્ટર-વિશાલ નાહર 
ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટ અને નાણાકીય વ્યવહારોને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વિવિધ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. વોટ્સએપ ગ્રૂપોમાં વહેતા થયેલા આ મેસેજમાં પંચાયતની કામગીરી અને લાખોની ગ્રાન્ટના વપરાશ સામે અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ વાયરલ વાતોએ તંત્ર સામે પ્રશ્નાર્થ ચિન્હ જરૂર ઊભું કર્યું છે.

પંચાયત ભવન નિર્માણની હિલચાલ ચર્ચાના ચકડોળે

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી વિગતો મુજબ, ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા અંદાજે 96 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટમાંથી નવું ભવન બનાવવાની હિલચાલ ચાલી રહી છે. આ બાબતે લોકોમાં એવી ચર્ચા છે કે ગામમાં હજુ પણ અનેક વિકાસના કામો બાકી છે, ત્યારે આટલી મોટી રકમ માત્ર ભવન પાછળ ખર્ચવા પાછળ કોનો વિશેષ રસ હોઈ શકે? સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરનારા લોકો સરકારની ગ્રાન્ટના અન્ય હેતુ માટેના વપરાશ સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

પંચાયતની આવક અને ખર્ચના ગણિત મુદ્દે આક્ષેપો

ચર્ચાઓ મુજબ, ફતેપુરા ગ્રામ પંચાયતની વાર્ષિક સ્વભંડોળની આવક અંદાજે 42 લાખ રૂપિયા જેટલી હોવા છતાં, કર્મચારીઓના પગાર વિકાસ માટે આવેલી ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નિયમ મુજબ પંચાયતે પોતાની આવકમાંથી પગાર કરવાના હોય છે, ત્યારે 42 લાખની આવકનો ઉપયોગ ક્યાં થયો અને ગ્રાન્ટના નાણાં પગારમાં કેમ વપરાયા તે બાબતે સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

RCC રોડના હિસાબ અને કર્મચારીની ભરતી પ્રક્રિયા પર શંકાની સોય

માત્ર ભવન જ નહીં, પરંતુ આરસીસી રોડના અંદાજે 9 લાખ રૂપિયાના હિસાબમાં પણ કંઈક અજૂગતું હોવાની આશંકાઓ વોટ્સએપના માધ્યમથી વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથોસાથ પંચાયત કર્મચારીઓની નિમણૂક કોના આદેશથી અને કયા ધોરણે થઈ તે ભરતી પ્રક્રિયા સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વાયરલ પોસ્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ વિગતોમાં ‘દાળમાં કંઈક કાળું’ છે અને સત્ય બહાર લાવવા માટે તટસ્થ તપાસની જરૂર છે.

વહીવટીતંત્રનો પક્ષ બાકી

સોશિયલ મીડિયામાં ચાલી રહેલી આ ચર્ચાઓ અને વાયરલ મેસેજમાં કેટલું તથ્ય છે તે તપાસનો વિષય છે. હાલ તો આ માત્ર જનતા વચ્ચે ચાલતી ચર્ચાઓ છે, જેના પર પંચાયત કે વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો વહીવટમાં પારદર્શિતા હશે તો આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાશે.

સંબંધિત પોસ્ટ

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

ફતેપુરાની બેન્ક ઓફ બરોડાની બહાર લાગી લાંબી લાઈનો: કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24