Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદહેલ્થ

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

અમદાવાદમાં કોરોનાની રસીનું આગમન થયુ છે. અને આ કોવિશિલ્ડ રસી એરપોર્ટથી સીધી જ અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1.20 લાખ ડોઝ રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસ અગાઉથી રસીને રાખવા માટેની વ્યવસ્થા કરી દેવાઈ હતી.

રસીકરણનો ડ્રાય રન પણ યોજાયો હતો. અને હવે આખરે વેક્સિનને મુકવામાં આવી છે. ચોક્કસ તાપમાનમાં રસી જળવાઈ રહે તે માટેના રેફ્રિજરેટરની પણ વ્યવસ્થા અસારવા સિવિલમાં કરવામા આવી છે. વોક ઈન કુલમાં બેથી આઠ ડિગ્રી તાપમાનમાં વેક્સિન રાખવામાં આવી છે. અમદાવાદના વેક્સિન સ્ટોરેજથી અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર જિલ્લાને વેક્સિનનો જથ્થો આપવામાં આવશે.

લાંબા સમયથી પ્રતીક્ષા જોવાતી હતી તેનો આખરે અંત આવ્યો છે. અમદાવાદ એરપોર્ટથી ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે કોરોના રસીનો પ્રથમ જથ્થો પાટનગર ગાંધીનગર પહોંચ્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ, તબીબોની હાજરીમાં 2.76 લાખના કોરોના રસીના જથ્થાનું સ્વાગત સાથે સ્વીકાર કરાયો હતો.

”ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોરેજ સેન્ટરમાં રાખવામાં આવી. આ સ્ટોરેજ સેન્ટર બહાર ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી કોરોના રસીને રાજ્યના બીજા કેન્દ્રો પર પહોંચાડાશે જેથી રસીકરણમાં આને ઉપયોગમાં લઈ શકાય. તો આગામી 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં કોરોનાની રસીકરણ શરૂ કરાશે. રસીકરણમાં સૌ પ્રથમ કોરોના વોરિયર્સને અગ્રતા આપવામાં આવશે.

 

 

 

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24