Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદહેલ્થ

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

અમદાવાદમાં કોરોનાની રસીનું આગમન થયુ છે. અને આ કોવિશિલ્ડ રસી એરપોર્ટથી સીધી જ અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1.20 લાખ ડોઝ રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસ અગાઉથી રસીને રાખવા માટેની વ્યવસ્થા કરી દેવાઈ હતી.

રસીકરણનો ડ્રાય રન પણ યોજાયો હતો. અને હવે આખરે વેક્સિનને મુકવામાં આવી છે. ચોક્કસ તાપમાનમાં રસી જળવાઈ રહે તે માટેના રેફ્રિજરેટરની પણ વ્યવસ્થા અસારવા સિવિલમાં કરવામા આવી છે. વોક ઈન કુલમાં બેથી આઠ ડિગ્રી તાપમાનમાં વેક્સિન રાખવામાં આવી છે. અમદાવાદના વેક્સિન સ્ટોરેજથી અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર જિલ્લાને વેક્સિનનો જથ્થો આપવામાં આવશે.

લાંબા સમયથી પ્રતીક્ષા જોવાતી હતી તેનો આખરે અંત આવ્યો છે. અમદાવાદ એરપોર્ટથી ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે કોરોના રસીનો પ્રથમ જથ્થો પાટનગર ગાંધીનગર પહોંચ્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ, તબીબોની હાજરીમાં 2.76 લાખના કોરોના રસીના જથ્થાનું સ્વાગત સાથે સ્વીકાર કરાયો હતો.

”ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોરેજ સેન્ટરમાં રાખવામાં આવી. આ સ્ટોરેજ સેન્ટર બહાર ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી કોરોના રસીને રાજ્યના બીજા કેન્દ્રો પર પહોંચાડાશે જેથી રસીકરણમાં આને ઉપયોગમાં લઈ શકાય. તો આગામી 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં કોરોનાની રસીકરણ શરૂ કરાશે. રસીકરણમાં સૌ પ્રથમ કોરોના વોરિયર્સને અગ્રતા આપવામાં આવશે.

 

 

 

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

લીમડી થી ચાકલીયા રોડ પર મલવાસી ગામ નજીક તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હોમગાર્ડ જવાનની કરપીણ હત્યા: ઘટનાને પગલે લીમડી પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ

Panchayat Samachar24

​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરતા નગરપાલીકાના પ્રમુખ રીના પંચાલ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24

ગાંધીનગરથી ઝડપાયો નકલી કલેક્ટર: પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24